SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ t વશ્યક નથી, કારણ કે “ ધિત્ત્વ બધિરૂં” આ કહેવત પ્રમાણે અધિકનું અધિક ફળ મળે છે. તેથી મંગલાંતર વિલક્ષણ ફળ આપનાર હાવાથી સાક માની શકાય, એ કથનનું પણ કોઈ મહત્ત્વ રહેતું નથી, કારણ કે આ કથનથી અનવસ્થા દોષની પ્રસક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે જે પ્રકૃત શાસ્ત્ર પાતે જ મ'ગલરૂપ છે, અને તેમાં પણ વિલક્ષણ ફળની પ્રાપ્તિને માટેજ જો મ`ગલાન્તર કરવામાં આવતું હાય તા તે રીતે વિલક્ષણ ફળની પ્રાપ્તિને માટે ત્રીજું મંગ લાન્તર પણ કરવું જોઈએ અને એ રીતે બીજા અને ત્રીજા મગલાંતરમાં પણ વિલક્ષણ ફળ પ્રાપ્ત કરવા માટે ચાથું મંગલાંતર કરવું જોઈએ. આમ કરવા એસીએ તે મગલાંતર કરવાની અવસ્થાને પાર જ આવશે નહી'. તેથી અનવસ્થા દોષ કે જે મૂળમાં જ ક્ષતિરૂપ છે તેનું શમન થશે નહી. 66 ઉત્તર :—શકાકારની આ શકા ઠીક છે કે જો શાસ્ત્ર પોતે જ મગલરૂપ હાય તે તેમાં અન્ય મંગળની શી આવશ્યકતા છે? પણ શિષ્યજનાના મનમાં માજી જ્ઞાતમિતિ પ્રત્યયાર્થમ્ ” શાસ્ત્રમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે તે વિશ્વાસ જમાવવા માટે, તથા ગણધરાદ્વિ વિશિષ્ટ પુરુષાએ પણ પહેલાં મગલા ચરણ કરેલું છે, એવા શિષ્ટ પુરુષાના જે આચાર છે તેનું ખરાખર પરિપાલન કરવા માટે મગલરૂપ શાસ્ત્રમાં પણ મગલાચરણ કરવાની આવશ્યકતા રહે છે. વિષયાદિ અનુબન્ધ ચતુષ્ટય ચર્ચા શકા—શાસ્રકાર શાસ્ત્રની શરૂઆતમાં જ એ વાત સ્પષ્ટ કરે છે કે આ શાસ્ત્રમાં અમુક સંબંધ છે, તેના અમુક અધિકારી છે, તેમાં અમુક વિષય આવે છે, અને તેનું અમુક પ્રયેાજન છે. તેને અનુબન્ધ ચતુષ્ટય કહે છે. ગ્રન્થના આરંભે આ અનુષધ ચતુષ્ટયના ઉલ્લેખ કર્યા વિના મ'ગલાચરણ પ્રશ'સનીય મનાતું નથી એમ લેકામાં કહેવાય છે. આ લૌકિક ઉક્તિ પ્રમાણે આ શાસ્ત્રના આરજે આ ચારે વાત ગ્રંથકારે અવસ્ય કહેવી જોઈ એ, કારણ કે તેમ કરવાથી શ્રોતાજના તેના અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. તેથી શ્રોતૃપ્રવ્રુત્તિજનક (શ્રોતાઓમાં પ્રવૃત્તિ પેદા કરનાર) હાવાને કારણે શાસ્ત્રકારને શાસ્ત્રની શરૂઆતમાં અનુખ ધ ચતુષ્ટયનું કથન કરવું અત્યંત આવશ્યક ગણાય છે. જો શાસ્ત્રકાર એમ ન કરે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy