________________
અભયદેવસૂરિકૃત વૃત્તિમાં—“સંજ્ઞાડક્ષર ચબુત નમસ્કુર્વમાનમાં વમી સ્ટિકg” એવું જે કહ્યું છે તે બરાબર નથી. કારણ કે પુસ્તક આદિમાં વિદ્યમાન (રહેલ) જે અકારાદિ વર્ણસંકેતરૂપ લિપિ છે તે દ્રવ્યકૃતરૂપ નથી. દ્વાદશાંગીરૂપ જે અહપ્રવચન શાસ્ત્ર છે તેને જ શ્રત કહે છે. આ શ્રત જ્યારે કઈ જીવને શિક્ષિત સ્થિત યાવદ્વાચને પગત તે થાય છે પણ તે જીવ તેમાં વાચના પૃચ્છના આદિ ક્રિયા દ્વારા વર્તમાન થતું હોવા છતાં પણ જ્યારે તેના ઉપગથી રહિત રહે છે ત્યારે આગમની અપેક્ષાએ તે જીવને દ્રવ્યકૃત માનવામાં આવે છે. આચાર આદિ આગમને પૂર્ણ ઘોષ અને કઠેષ્ઠવિપ્રમુક્ત થઈને પઠન કરનાર સાધુ આદિને જ્યારે તેમના અર્થનું જ્ઞાન હેતું નથી ત્યારે તે સાધુ આદિ જન તેમાં ઉપયોગરહિત હોવાથી દ્રવ્યશ્રુત ગણાય છે. અનુગદ્વારમાં દ્રવ્યકૃતનું આ પ્રમાણે જ વર્ણન કર્યું છે. વર્ષોની સંકેતરૂપ જે લિપિ છે તે શબ્દસ્વરૂપ જ હોતી નથી. કારણ કે ત્યાં તે વર્ણનું જ ઉચ્ચારણ થાય છે લિપિ યુક્ત તેના સંકેતનું નહીં. પુસ્તકાદિનું કૃત તે શિક્ષિત યાવદ્વાચનપગત જ થઈ શકતું નથી, તેથી તેમાં દ્રવ્યશ્રુતતા હોતી નથી, તો પુસ્તકાદિગત લિપિમાં દ્રવ્ય શ્રતતાની સંભાવના કેવી રીતે હોઈ શકે? કોઈ પણ રીતે હોઈ શકે નહીં. હવે આ વિષયમાં બીજું શું કહેવું?
મંગલાચરણાવશ્યકતા ચર્ચા
શાસ્ત્રકારે વિધોને નાશ કરવાના હેતુથી શાસ્ત્રના આરંભમાં મંગલાચરણ કર્યો છે. પણ શાસ્ત્ર પિતે જ મંગલસ્વરૂપ છે તે વિઘોને નાશ કરવાની શક્તિ તેમાં રહેલી જ હોય છે તે શાસ્ત્રકારે “નમો અરિહંતાળ” આદિ દ્વારા કરીથી મંગલાન્તર કેમ કર્યું છે? સૂર્યને પ્રકાશિત કરવા માટે બીજા સૂર્યના તેની આવશ્યકતા રહે છે ખરી ? જે સૂર્યના દર્શન કરાવવા માટે બીજા સૂર્યની જરૂર પડતી નથી તે શાસ્ત્ર પોતે જ જ્યારે મંગલરૂપ છે તે તેના આરંભે બીજા મંગલાચરણની કઈ પણ આવશ્યકતા રહેતી નથી માટે એમ કરવું અનાવશ્યક છે. જે તેના જવાબરૂપે એમ કહેવામાં આવે કે મંગલાન્તર કરવું અના
શ્રી ભગવતી સૂત્ર : ૧
૩૦