________________
વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અહંત પ્રભુના કેવળ ઘાતિયા કર્મો નાશ થયાં હોય છે, પણ સિદ્ધ ભગવાનનાં આઠે કર્મો નાશ પામ્યાં છે. એ રીતે સિદ્ધ ભગવાનમાં જ ઉત્કૃષ્ટતા લાગે છે. પણ એવું હોવા છતાં તેમનામાં શરીર આદિનો અભાવ હોય છે, તેથી સિદ્ધ પરમાત્માઓ ઉપદેશ દેતા નથી અને તીર્થની પ્રવૃત્તિ પણ કરતા નથી. પણ અહંત પ્રભુના ઘાતિયા કર્મોનો ક્ષય થઈ જવાથી તેઓ કેવળ જ્ઞાની હોય છે અને ભવ્યજીને મેક્ષમાર્ગને યથાવત્ ઉપદેશ દે છે–રાગદ્વેષનો નાશ થઈ જવાને લીધે તેમને ઉપદેશ પ્રમાણભૂત હોય છે. અને અઘાતિયા કર્મોનું અસ્તિત્વ રહેવાથી તેમનામાં શરીર આદિનું અસ્તિત્વ રહે છે તેથી તેઓ ઉપદેશ આપી શકે છે. આ રીતે તેમના દ્વારા લેકેપકાર થતું રહે છે. તે ઉપકારને કારણે લોકોમાં તેઓ સત્કૃષ્ટ ગણાય છે. આ સર્વોત્કૃષ્ટતાને લીધે સૂત્રકારે અહીં તેમને સૌથી પહેલાં નમસ્કાર કર્યા છે. સૂ. ૧૫
આ રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને હવે શ્રી સુધર્માસ્વામી શ્રતજ્ઞાનમાં મદદરૂપ લિપિજ્ઞાન હોવાથી ભાષાલિપિને નમસ્કાર કરવાના ઉદ્દેશથી કહે છે “નમો ફચારિ.
બ્રાહ્મીલિપિ નમસ્કાર વિચાર
“નમો મણ ” બ્રાહ્મીલિપિને નમસ્કાર છે. “રા'થી શરૂ કરીને “૬ સુધીની જે વર્ણરૂપ ભાષા છે તેને લિપિ કહે છે. અમરકેષમાં “ગાહી તુ મારી મજા, વાળી સરસ્વતી?” આ શ્લોકાર્ધ દ્વારા એવું જ કહ્યું છે. આ ભાષાની સંકેતરૂપ લિપિનું નામ બ્રાહ્મીલિપિ છે. તેનો ભાવાર્થ એ છે કે પુસ્તક વગેરેમાં ‘ક’ આદિ અક્ષરરૂપ જે સાંકેતિક રચના નજરે પડે છે તે બ્રાહ્મીલિપિ છે. અથવા – ઋષભદેવ પ્રભુએ પોતાની પુત્રી બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિ બતાવી હતી, તેથી તે લિપિને બ્રાહ્મીલિપિ કહી છે. લિપિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં સહાયક થતું હેવાથી સુધર્માસ્વામીએ ભાવકૃતજ્ઞાનના કારણરૂપ આ લિપિજ્ઞાનરૂપ ભાષાલિપિને “નમો મીણ સ્ટિવી” આ સૂત્રદ્વારા નમસ્કાર કર્યા છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં લિપિજ્ઞાન મદદરૂપ બને છે કારણ કે લિપિજ્ઞાનથી લિપિના સાંકેતિક શબ્દોનું સ્મરણ થાય છે. ત્યારબાદ શબ્દથી અર્થજ્ઞાન થાય છે. તેથી ભગવાન તીર્થકર દ્વારા ઉપદિષ્ટ અર્થને સમજાવવાને માટે તે તીર્થકરકથિત અર્થનું બેધક જે શબ્દસમુદાયરૂપ દ્રવ્યદ્ભુત છે તેને લિપિબદ્ધ કરવાની કામનાવાળા શ્રી સુધર્મા સ્વામી ભાવલિપિને વંદણ કરવારૂપ નમસ્કાર કરે છે. અહીં દ્રવ્યલિપિને નમસ્કાર કર્યા નથી કારણ કેભાવકૃતના વિષયમાં દ્રવ્યલિપિ સહેજ પણ મદદરૂપ થતી નથી, તેથી તે ભાવકૃતની બોધક થઈ શકતી નથી. ભાવકૃતની બેધક તે ભાવલિપિ જ થાય છે, એવી દઢ શ્રદ્ધા તેમના હૃદયમાં થયેલી છે, તેથી લિપિજ્ઞાનરૂપ ભાવલિપિનું માહા.
ભ્ય પ્રગટ કરીને તેઓ તેને નમસ્કાર કરે છે. ભાવકૃતમાં ભાવલિપિ કારણરૂપ હેવાથી તેમાં પૂજ્યતા છે, તે કારણે તેમણે અહીં ભાવકૃતને પહેલાં નમસ્કાર ન કરતાં ભાવકૃતની કારણભૂત ભાવલિપિને “નમો વમી ઢિવી” આ સૂત્ર દ્વારા નમસ્કાર કર્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧