SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા–એ વાત ઠીક છે. પણ અહીં નમસ્કાર કરવામાં વ્યતિક્રમ (કમને ફેરફાર) શા માટે કરવામાં આવ્યું છે. જે નમસ્કાર ન કરવા ગ્ય વ્યક્તિને નમસ્કાર કરવામાં આવતાં હોય, અને નમસ્કાર કરવા ગ્ય વ્યક્તિને નમસ્કાર કરવામાં વ્યતિક્રમ કરવામાં આવતું હોય તો તેના કારણરૂપ ત્રણ બાબતે હશે, (૧) દારિદ્રય, (૨) મરણ અને (૩) ભય. તેનું તાત્પર્ય એ છે કે નમન કરવા લાયક વ્યક્તિને નમસ્કાર કરવામાં વ્યતિક્રમ થાય તે એ દારિદ્રયાદિક દેષ ઉદ્ભવે છે એવી શિષ્ટ જનની માન્યતા છે. તે એ દૃષ્ટિએ જોતાં અહીં સિદ્ધોને સૌથી પહેલાં નમસ્કાર કરવા જોઈતા હતા. કારણ કે તેઓ કૃતકૃત્ય છે– તેમણે અષ્ટકર્મોને સર્વથા વિનાશ કરી નાખ્યો છે– તેથી તેઓ એ બધાના કરતાં શ્રેષ્ઠ છે. તેમની પછી અર્હત આદિને નમસકાર થવા જોઈએ. પણ જિનસદશ શ્રી સુધર્મા સ્વામીએ આ કેમને છોડીને અહંત ભગવાનને નમસ્કાર કર્યા છે તેનું કારણ શું છે? ઉત્તર– આ જાતની જે આશંકા ઉભી કરવામાં આવી છે તે હેતુને સમજ્યા વિના કરવામાં આવેલ છે. તેને સીધે અને સાદે જવાબ એ જ છે કે પાક્કમ કરતાં અર્થક્રમ બળવાન હોય છે. પ્રકૃતિમાં અર્થની દૃષ્ટિએ અહં તને જ પ્રધાન ગણ્યા છે“ કદંતાપ સિદ્ધ નન્નતિ તેજ કાર્ડ” આગમનું એવું કથન છે કે “અહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધોનું સ્વરૂપ જાણી શકાય છે.” વળી તીર્થના પ્રવર્તક અહંત જ હોય છે, સિદ્ધ હતા નથી, તેથી આને ધર્મ દેશનાની પ્રાપ્તિ અહંત દ્વારા જ થાય છે. તેથી તેઓ પર પ્રત્યક્ષ ઉપકાર કરનાર છે. જે અહીં એવી આશંકા કરવામાં આવે કે જેમ સિદ્ધોનું સ્વરૂપ અહંત ભગવાન બતાવે છે તેથી તેમને સિદ્ધ ભગવાને કરતાં પ્રધાન (શ્રેષ્ઠ) માનવામાં આવે છે, એજ પ્રમાણે કાળાંતરે અહં તે વિષેનું જ્ઞાન પણ આચાર્યો કરાવે છે તેથી તેમને પણ અહત કરતાં પ્રધાન માનવા જોઈએ, અને તે રીતે તેમનામાં પણ પરમ પપકારિતા હોવાથી અહં તેની પહેલાં તેમને નમસ્કાર કરવા જોઈએ, આ પ્રકારની આશંકાને ઉત્તર એ છે કે અહંત ભગવાનનાં ઉપદેશથીજ આચાર્યાદિકમાં ઉપદેશ દ્વારા અર્થબેધકતા હોય છે-એટલે કે આચાર્ય આદિ જે ઉપદેશ આપે છે તેને મૂળ સ્રોત તે તેમને અહંત ભગવાનના ઉપદેશમાંથી જ પ્રાપ્ત થાય છે. તેઓ કદી પણ સ્વતંત્ર રીતે ઉપદેશ દેતા નથી. તેમને અહંત પ્રભુના ઉપદેશ દ્વારા જે બંધ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે જ તેઓ ભવ્ય જીને અહંત આદિનું સ્વરૂપ વગેરે સમજાવે છે. આ રીતે આચાર્ય મહારાજના ઉપદેશમાં સ્વતંત્રતા નથી. પરતંત્રતા છે. બીજું – આચાર્યો અહંત પ્રભુની પરિષદારૂપ હોય છે. એટલે કે તેમની સભાના સભ્ય હોય છે. તેથી તેઓ તેમને અધીન હોય છે. અહંત પ્રભુ તે અર્થની સમજણ આપવામાં સદા સ્વતંત્ર હોય છે-આચાર્યને આધીન હોતા નથી. એ વાત પણ સમજાવવાને માટે આચાર્યને પહેલાં નમસ્કાર ન કરતાં અહંત પ્રભુને જ સૂત્રકારે પહેલાં નમસ્કાર કર્યા છે. એ જ પ્રમાણે ઉપાધ્યાય પણ અહંત પ્રભુને આધીન હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy