________________
સિદ્ધસ્થાનને જેમણે પ્રાપ્ત કર્યું છે અને જેઓ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણોથી યુક્ત છે, એવા સિદ્ધો નિત્ય હોવાને કારણે, તથા પિતાના વિષયમાં આનંદાતિશયના કર્તા હોવાને કારણે ભવ્ય છ પ્રત્યે અતિશય ઉપકારકર્તા છે. તેથી તેઓ નમસ્કારને પાત્ર છે.
નો ભાવરિયાળ” આચાર્યોને નમસ્કાર છે. “આહૂ” ને “ર” ધાતુ લગાડી તેની પાછળ “ઇચ7 લગાડવાથી “આચાર્ય પદ બને છે. તેને અર્થ આ પ્રમાણે છે
જેઓ મર્યાદાપૂર્વક સેવાય છે તેમનું નામ આચાર્ય છે. એટલે કે જિન શાસનને ઉપદેશ દેનાર હોવાથી જ્ઞાનાભિલાષી શિખ્ય દ્વારા જેમનું સેવન કરાય છે, તેમને આચાર્ય કહે છે. તેઓ જિનશાસનના ઉપદેશક હોય છે, તેથી આચાર્ય કહેવાય છે. તેમને નમસ્કાર છે. કહ્યું પણ છે
" सुत्तत्थविऊ लक्खण,-जुत्तो गच्छस्स मेढिभूओ य ।
गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ ॥१॥" જેઓ સૂત્રાર્થના જ્ઞાતા છે, આચાર્યને યોગ્ય લક્ષણવાળા છે, ગચ્છના નેતા છે, ગણની ચિન્તાથી રહિત અર્થાત્ ગણના ભારથી નહીં થાકનાર છે, એવા આચાર્ય અર્થની વાચના કરે છે (૧)
અથવા--આચારમાં જેઓ નિષ્ણાત હોય તેમને આચાર્ય કહે છે. જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના જે આચાર શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તેનું તેઓ પોતે પાલન કરે છે તથા તેના પાલનને ઉપદેશ બીજાને આપે છે. અને બીજા લેકને તે આચારે જેઓ બતાવે છે, તેમને આચાર્ય કહે છે. કહ્યું પણ છે
"पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता।
માયા સંસંતા, ગારિયો તે સુતિ ? " જેઓ પાંચ પ્રકારના આચાર પતે પાળે છે, બીજાને તે આચારે પાળવાનો ઉપદેશ દે છે અને જેમાં તેનું પાલન કરીને બતાવે છે તેમને આચાર્ય કહે છે. (૧) બીજી જગ્યાએ પણ કહ્યું છે
"आचिनोति च शास्त्रार्थमाचारे स्थापयत्यपि ।
स्वयमाचरते यस्मादाचार्यस्तेन कथ्यते ॥१॥" જે કારણે તેઓ શાસ્ત્રોના અર્થને સંગ્રહ કરે છે, અન્ય જીવોને પણ આચાર પળાવે છે, અને જાતે પણ તે આચારને આચરણમાં ઉતારે છે, તે કારણે તેમને આચાર્ય કહે છે. (૧)
એવા આચાર્યોને નમસ્કાર છે. તેઓ નમસ્કારને ચેચે તે માટે કહ્યા છે કે તેઓ આચારના ઉપદેશક હોવાથી જીવોના પરમ ઉપકારક છે.
વાડજ્ઞાચાÉ– ઉપાધ્યાયને નમસ્કાર છે – જેમની પાસે આવીને શિષ્યો આગમશાસ્ત્રને અભ્યાસ કરે છે તેમને ઉપાધ્યાય કહે છે. “ઘ” ઉપસર્ગ પૂર્વક “gr' ધાતુના ઉપયોગી ઉપાધ્યાય શબ્દ બને છે. તેને અર્થ આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૪