________________
એટલે કે જે પ્રકારની દેશના પ્રભુએ દીધી છે તેને અનુરૂપ શબ્દ જ આ સૂત્રમાં પણ જાય છે તેથી આ પાંચમાં અંગમાં ભગવતી શબ્દઘટક જે ભગવત્ત્વ વિશેષણ છે તે અન્ય સૂત્રોના કરતાં અન્ય છવાસ્થજનકૃત સૂત્રોના કરતાં – આ સૂત્રમાં મહત્તા પ્રગટ કરે છે. એટલે કે “ભગવતી’ વિશેષણ દ્વારા આ સૂત્રમાં અતિપૂક્યતા દર્શાવવાનું સૂત્રકારને હેતુ છે. “ભગવત્ ”ને અતિપૂજ્યતાના અર્થમાં પ્રયોગ થાય છે. જેમ કે “તત્ર માૉતીર્થ:”માં ઐશ્વર્યને “ભગ નામ આપેલું છે. એ એશ્વર્યા જેનામાં મેજૂદ છે તેને ભગવતી કહે છે. આ બધા કથનને નિચેડ એ છે કે આ શાસ્ત્ર અતિપૂજ્ય છે. એ વાત તેની સાથે વપરાયેલ “ભગવતી’ શબ્દથી સમજી શકાય છે.
મંગલાચરણ કી આવશ્યકતા
શાસ્ત્રોની રચના કરતી વખતે બધા શાસ્ત્રકારે મંગળાચરણ કરે છે. આ શાસ્ત્રની પણ શરૂઆત થઈ રહી છે તેથી સમસ્ત જીવનું કલ્યાણ કરનાર આ શાસ્ત્રની રચનામાં કઈ પણ જાતનું વિન ન આવે, અને કેઈ પણ જાતના વિM કે હરક્ત વિના તેની સારી રીતે સમાપ્તિ થઈ જાય, તથા તેનું અધ્યયન કરનારમાં દીર્ધાયુષ્યતા રહે, તથા ગુરુપરંપરાપ્રાપ્ત શિષ્યજનેને શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે મંગળાચરણ કરવાની શિક્ષા મળે, તથા શિષ્ય પરંપરામાં ભગવતીસૂત્રને વ્યવચ્છેદ ન થાય, એ સઘળા અભિપ્રાયોથી પ્રેરાઈને સૂત્રકારે શાસ્ત્રની શરૂઆતમાં મંગળાચરણ કરેલ છે. મંગલ બે પ્રકારનાં હોય છે – (૧) દ્રવ્યમંગળ અને (૨) ભાવમંગળ. દ્રવ્યમંગળ રૂપ જે લેકપ્રસિદ્ધ દહી, અક્ષત (ચોખા) આદિ પદાર્થો છે તેઓ દ્વારા વિદનેને આત્મત્તિક રૂપે વિનાશ થતું નથી, કારણ કે તેમના સદ્ધાવમાં પણ વિદનો નાશ થતો હોય એવું જોવા મળતું નથી, અને કદાચ તેનાથી વિઇને નાશ થઈ જાય તે પણ ભવિષ્યમાં તે વિશ્ન ન આવી પડે એવું બનતું નથી. તેથી શાસ્ત્રકર્તાની દષ્ટિએ દ્રવ્યમંગલ વિઘોને નાશ કરવામાં અનેકા. ન્તિક અને અનાત્યન્તિક હોવાથી, તેમને તે વધારે ઉપયોગી લાગ્યું નથી. તેથી શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે દ્રવ્યમંગલને ઉપયોગ ન કરતાં ભાવમંગલને ઉપયોગ કરવાનું શ્રી સુધર્મા સ્વામીને એગ્ય લાગ્યું છે. કારણ કે ભાવમંગળ જ વિઘોના ઐકાન્તિક અને આત્યન્તિક નાશ કરવામાં સાધક બને છે. તેથી તે ભાવમંગળજ અભિલષિત ફળ પ્રાપ્ત કરવાને સમર્થ છે, એવું તેઓ ચોક્કસ માનતા હતા. એ નિશ્ચયાનુસાર શ્રીસુધર્માસ્વામીએ શરૂઆતમાં ભાવમંગળરૂપ પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યા છે, જો કે તપ, સંયમ આદિ અનેક વસ્તુઓ ભાવમંગળરૂપ છે છતાં પણ પંચપરમેષ્ટિને નમસ્કાર રૂપ જે મંગળાચરણ કર્યું છે તે “ો પં. નમુશરે સવપાવMirrળો, મંઢા જ નહિં પઢમં ય મારું” – “આ પંચ નમસ્કાર સમસ્ત પાપ નાશ કરનારાં છે અને સમસ્ત મંગલેમાં આદ્ય મંગળ છે” આ આગમપ્રસિદ્ધ આદેશાનુસાર કરેલ છે. જ્ઞાનાવરણ આદિ જે આઠ પ્રકારનાં કર્મ છે તે વિધરૂપ બને છે. તે કર્મો જીવના કેઈ પણ કાર્યમાં નડતરરૂપ થયા કરે છે. તેથી આ જે આઠ પ્રકારના કર્મો તેમાં નડતરરૂપ છે–તેમાં વિશ્વરૂપ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૧