________________
પ્રરૂપણા છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે- જેમાં વિવિધ પ્રકારના સમસ્ત જીવ અજીવ આદિ પ્રદાર્થવિષયક કથનરૂપ પ્રરૂપણા અભિવિધિપૂર્વક અથવા મર્યાદા પૂર્વક પ્રગટ કરવામાં આવે છે તેનું નામ વ્યાખ્યા છે. અહીં “મારૂ” મર્યાદા કે અભિવિધિના અર્થમાં વપરાયેલ છે. એજ વાત “તમત્તા”પદથી પ્રગટ કરી છે.
મર્યાદા” શબ્દનો અર્થ અહીં પરસ્પર અસંકીર્ણ – વિશાળ– લક્ષણકથન પૂર્વક” થાય છે. તથા “અભિવિધિ” એટલે “સમસ્ત ય પદાર્થોની વ્યામિ પૂર્વક કહેવાને ભાવાર્થ એ છે કે – આ જે જીવાજીવાદિવિષયક પ્રરૂપણાઓ કરવામાં આવી છે તે પરસ્પર અસંકીર્ણ – વિશાળ – લક્ષણકથનપૂર્વક કરવામાં આવી છે. અથવા આજે પ્રરૂપણ કરી છે તે એવી નથી કે જે કઈ કઈ ગેય પદાર્થોમાં જ વ્યાપ્ત હોય, પણ તે સમસ્ત ય પદાર્થોમાં વ્યાપ્ત છે. આ પ્રકારની જીવાજીવાદિ. વિષયક પ્રરૂપણુઓનું નિરૂપણ જે શાસ્ત્રમાં સંશય, વિપર્યય અને અધ્યવસાય આદિ દેષ રહિત કરવામાં આવ્યું છે તે શાસ્ત્રનું નામ “દયાપ્રજ્ઞa” છે. તેને તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ આદિ શિષ્યની સમક્ષ જીવ, અજીવ આદિ પદાર્થોનું કથન તેમણે પૂછેલા પ્રશ્નો પ્રમાણે જે મર્યાદા કે અભિવિધિપૂર્વક કરેલું છે તે વ્યાખ્યા છે. અને શ્રી સુધર્માસ્વામીએ પિતાના શિષ્ય શ્રી અંબૂસ્વામી સમક્ષ તે વ્યાખ્યાનું નિરૂપણ નિર્દોષ રીતે કર્યું છે. તેથી તેને પ્રજ્ઞમિ કહેલ છે. આ રીતે “ચાલ્યાજ્ઞપ્તિ' નામની પહેલી છાયાને અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું.
(૨) “વ્યાચાપ્રાપ્તિ ” આ બીજી સંસ્કૃત છાયાનો અર્થ આ પ્રમાણે છેવ્યાખ્યા અને પ્રજ્ઞા એ બન્નેમાં દ્વસમાસ થયો છે. આ રીતે “વ્યાખ્યા અને “પ્રજ્ઞા એ અને સ્વતંત્ર શબ્દ બની જાય છે. તેમાંના વ્યાખ્યા શબ્દને અર્થ કથન અને “પ્રજ્ઞા” શબ્દને અર્થ પદાર્થોને કથનમાં કારણભૂત વ્યાખ્યાતાનું જ્ઞાન છે. તે બનેની પ્રાપ્તિ શ્રી ભગવતીસૂત્રનાં અધ્યયનથી જીવને થાય છે. અથવા “ચાલ્યાણ પ્રજ્ઞા” આ રીતે સક્ષમીતપુરુષ સમાસ કરવાથી “વ્યાખ્યાપ્રજ્ઞા” શબ્દ બને છે. તેને અર્થ – “વ્યાખ્યાઓ કરવાના હેતુભૂત જ્ઞાનની પ્રાપ્તિ જેના દ્વારા થાય છે તેને વ્યાખ્યાપ્રજ્ઞાતિ કહે છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે પદાર્થનું પ્રતિપાદન કરનાર વ્યાખ્યાન જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યારે જેવું સમ્યગુજ્ઞાન થાય છે તેના કરતાં પણ વિલક્ષણ સમ્યજ્ઞાન શ્રી ભગવતીસૂત્રના અધ્યયનથી થાય છે. આ રીતે વ્યાખ્યાયોગ્ય પ્રજ્ઞાની પ્રાપ્તિ આ ભગવતીસૂત્રનું અધ્યયન કરનારને થાય છે તેથી તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞાતિ પણ હોઈ શકે છે. (૨)
(૩) હવે તેની ત્રીજી સંસ્કૃત છાયા ચાલ્યા જ્ઞાસિનો અર્થ સમજાવવામાં આવે છે– વ્યાખ્યા અને પ્રજ્ઞા એ બન્નેની, અથવા વ્યાખ્યાઓમાં પ્રજ્ઞાનું (ત્તિ) ગ્રહણ જેના દ્વારા થાય છે તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ છે.
(૪) “વિવાદુકaf” નામની ચેથી છાયાને અર્થ આ પ્રમાણે છે-જિવિશિષ્ટ અનેજા =પ્રવાહ,વિશિષ્ટ નયપ્રમાણવિષયક અથવા પદાર્થવિષયક પ્રવાહો (વિસ્તારોની સમજણ જેમાં આપવામાં આવી છે તેને વિવાહપ્રજ્ઞસિ કહે છે. તેના દ્વારા એ વાતનું પ્રતિપાદન થાય છે કે ભગવતીસૂત્ર વાંચનારને નય અને પ્રમાણના પ્રવાહોનું જ્ઞાન ઘણી જ સરલતાથી મળી જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯