________________
પ્રથમ ઉદ્દેશક કી અવતરણા
ગુજરાતી અનુવાદ જેમણે રાગદ્વેષ આદિ સમસ્ત કલેશેને સારી રીતે જીતી લીધા છે એવા મહાવીર પ્રભુએ સંસારરૂપી કાદવમાં ફસાયેલા જીના ઉદ્ધારને માટે પિતાના ગણધરને દ્વાદશાંગરૂપ પ્રવચનને ઉપદેશ દીધો. આ દ્વાદશાંગીરૂપ પ્રવચન મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ કરનાર છે. શ્રદ્ધારૂપ તિ પ્રગટાવનાર છે, તત્વ અને અતત્ત્વનું વિવેચક છે, અમૃતપાન સમાન હિતકારક છે, ચમકતા ચન્દ્રની ચાંદનીની જેમ હૃદયને પ્રફુલ્લિત કરનાર છે, સ્વમમાં દેખેલી વસ્તુની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ થતાં એટલે આનંદ થાય એટલે આનંદ-સુખ દેનાર છે. કઈ ખજાનાની પ્રાપ્તિ થતાં જેવું સુખ મળે તેવા સુખનું જનક છે, સમસ્ત સંતાપોને દૂર કરનાર છે, સંસાર રૂપી સમુદ્રને પાર જવા માટે નાવ સમાન છે, મિથ્યાત્વના ગાઢ અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન છે, અને સ્વર્ગ અને મોક્ષનાં સુખ દેવામાં ચિન્તામણિ રત્ન સમાન છે. ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ આ દ્વાદશાંગી રૂપ પ્રવચન ક્ષપકક્ષેણ પર પહોંચવા માટે એક સુંદર માર્ગ છે, તે કર્મરૂપ શત્રુઓનું દમન કરનાર છે, અને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન કરનાર છે. જેમ પાણીની મદદથી વસ્તુપરની રજ ધોઈ શકાય છે તેમ તે કર્મરૂપ રજને જોઈ નાખે છે. જેમ મંત્રથી સર્પનું નિવારણ કરી શકાય છે તેમ તેની મદદથી સાંસારિક ભોગ રૂપી સર્પોનું નિવારણ થાય છે. જેવી રીતે પવન આકાશમાં રહેલા મેઘ પટને વેર-વિખેર કરી નાખે છે તેમ આ દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ કર્મરૂપ
ઘપટલને આત્માથી તદ્દન અલગ કરીને વેર-વિખેર કરી નાખે છે. જેવી રીતે પૂર્વ દિશા ભાસ્કર (સૂર્ય)ને જન્મ આપે છે, તેવી રીતે આ બાર અંગરૂપ પ્રવચન દ્વારા પણ કેવલજ્ઞાનરૂપ સૂર્યનો જન્મ થાય છે. જેવી રીતે કલ્પવૃક્ષ યાચકને ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવે છે તેવી રીતે આ દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ તેનું સેવન કરનારને સાદિ (આદિ સહિત) અનંત (અંતરહિત) મુક્તિના સામ્રાજ્યરૂપ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૭