SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યને જ હોય છે અને આહારકશરીરવાળા મનુષ્ય અલ્પ હોય છે. તે કારણે ૮૦ભાંગા કહ્યા છે. નારક જીવોને આહારક શરીર હોતું નથી. તેથી નારકે કરતાં મનુષ્યોમાં આ પણ એક વિશિષ્ટતા હોય છે. સામાન્ય રીતે મનુષ્યસૂત્રો અને નારકસૂત્રમાં શરીર, સંઘયણ, સંસ્થાન, અને લક્ષ્યા આ ચાર સ્થાનોની અપેક્ષાએ તથા જ્ઞાનદ્વારની અપેક્ષાએ વિશેષતા છે. તે વિશેષતા હવે બતાવવામાં આવે છે. હે પૂજ્ય ! અસંખ્યાત મનુષ્યાવાસમાં રહેતા મનુષ્યનાં કેટલાં શરીર કહ્યાં છે? હે ગૌતમ ! તેમનાં પાંચ પ્રકારના શરીર કહ્યાં છે (૧) દારિક (૨) વૈકિય, (૩) આહારક (૪) તૈજસ અને (૫) કામણ હે પૂજા અસંખ્યાત ઔદારિક શરીરમાં રહેનારા મનુષ્ય શું કોધોપયુક્ત હોય છે ? ઈત્યાદિ. હે ગૌતમ ! તેઓ કોપયુક્ત પણ હોય છે ? માન, માયા અને ભયુક્ત પણ હોય છે. આ પ્રકારનાં પ્રશ્ન સૂત્ર અને ઉત્તરસૂત્રે બધા પ્રકારનાં શરીરે વિષે બનાવી લેવા. અહીં વિશેષતા એટલી જ છે કે આહારક શરીરમાં અલ્પતા હોવાને કારણે ૮૦ ભાંગા થાય છે એ જ પ્રમાણે સંહનનદ્વારમાં પણ સૂત્રની રચના કરી લેવી. પણ અહીં જે વિશેષતા છે તે નીચેના પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્રમાં બતાવી છે. હે પૂજ્ય! મનુષ્યને કેટલા પ્રકારનાં સંઘયણ હોય છે? હે ગૌતમ ! તેમને છ પ્રકારનાં સંઘયણ હોય છે. તે છ પ્રકારે આ પ્રમાણે છે વાઝષભનારાજી સંઘયણથી લઈને છેવટુ સંઘયણ સુધીના છ સંઘયણે કહેવા જોઈએ. એજ પ્રમાણે સંસ્થાન દ્વારમાં મનુષ્યનાં છ સંઠાણ કહ્યાં છે. સમ. ચરિંસ સંડાણથી લઈને હુંડસંડાણ સુધીના સંઠાણે અહીં સમજવા. એજ પ્રમાણે લેસ્થા દ્વારમાં મનુષ્યને છ લેફ્સાઓ કહી છે. તે છે વેશ્યાઓ કૃષ્ણલેશ્યાથી લઈને શુકલેશ્યા સુધીની સમજવી તથા જ્ઞાનદ્વારમાં પણ સૂત્રની આ પ્રમાણે રચના થવી જોઈએ.“મપુરમાં અંતે ! વરૂ બાળ TUત્તા ! હે પૂજ્ય ! મનુષ્યને કેટલાં જ્ઞાન કહ્યાં છે ? “જોયમા! પંચતંગ-શામળવોહિયાળે કાવ વાળ” હે ગૌતમ! મનુષ્યને આભિનિધિક (મતિ) જ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પાંચજ્ઞાન હોય છે. તેમાં કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનમાં કષાની બહુલતાને લઈને ભાંગાઓને અભાવ હોય છે, જ્યારે કેવળજ્ઞાનમાં કષાયોને ઉદય જ હોતું નથી. કારણ કે તે કેવળજ્ઞાન સમસ્ત કષાયને ક્ષય થયા પછી જ પ્રકટ થાય છે. તેથી કષાયાભાવના કારણે ત્યાં ભાંગાઓને અભાવ છે એવું સમજવું. સૂક-૧ના વાતવ્યન્તર આદિકો કે સ્થિતિસ્થાન આદિ કા વર્ણન વાણુવ્યંતરાદિપ્રકરણ હવે સૂત્રકાર વાણવ્યંતર આદિ દેવોનાં સ્થિતિસ્થાન વગેરેનું વર્ણન કરવાને માટે સૂત્ર કહે છે-“વાળમંતા ઈત્યાદિ (વાળમતર-કોર-માળિયા ગઠ્ઠ મવળવાણી) ભવનપતિ દેવનાં દસ સ્થાનેનું જેવું વર્ણન કર્યું છે એવું જ વર્ણન વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવાનું પણ સમજવું જે સ્થાનમાં અસુરાકુમારાદિના ૮૦ ભાગ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૯૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy