SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભા પૃથિવીકે નરકાવાસમેં સ્થિત નારકજીવોં કે શરીરસંહનન | (અસિથરચના) કાનિરૂપણ (इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव नेरइयाणं सरीरया # સંઘથળr voiા ?) હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંના પ્રત્યેક નરકાવાસમાં રહેનારા નારક જીનાં શરીરનાં સંહનન કેવા પ્રકારનાં કહ્યાં છે ? હાડકાઓનાં સમૂહરૂપ સંહનન ( સંઘયણ) હોય છે, તે સંઘયણના વજીભષ નારાચ વગેરે છ ભેદ હોય છે. ગૌતમસ્વામી એમ પૂછે છે કે આ છએ પ્રકારમાંથી કયા પ્રકારનું સંઘયણ નારકને હોય છે ? ઉત્તર–(જોયા!) હે ગૌતમ ! (છvણું સંઘયા અસંઘચળ) નારક જીનાં શરીર છએ સંઘયણમાંથી કઈ પણ સંધયણવાળાં નથી. નારક છે શા કારણે સંઘયણરહિત હોય છે, તે હવે બતાવે છે-નેવટ્ટી, નેવરા , પાળિ) કારણ કે તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી, નસો હોતી નથી અને નાયુ પણ હોતાં નથી. ધમનીઓને શિરા કહે છે, અને હાડકાને બાંધનારી શિરાઓને સ્નાયુ કહે છે. સંઘયણ તે હાડકાં વગેરેના સંચયરૂપ હોય છે. હાડકાં વગેરેના અભાવે હાડકાં વગેરેનાં સંચયરૂપ સંઘયણે નારકને સંભવી શકતાં નથી તેથી તેમને સંઘયણ રહિત કહેલ છે. (જે નાગ બળિટ્રા अकंता, अप्पिया, असुहा, अमणुन्ना अमणामा एतेसिं सरीर संघयत्ताए परिणमंति) જે કે નારક જીનાં શરીર હાડકાં વગેરેથી રહિત હોય છે, એટલે કે તેમને કઈ પ્રકારનું સંઘયણ હોતું નથી. તો પણ તેમનું શરીર પુદ્ગલના પરિણામ સ્વરૂપ જ હોય છે-એજ વાત આ સૂત્ર મારફત સૂત્રકારે પ્રકટ કરી છે. જે પુદ્ગલો અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનેમ હોય છે તે પુદગલે નારક એના શરીર સંઘાતરૂપે (શરીર સંચયરૂપે) પરિણમે છે. જે પુલો પિતાની અભિલાષા પ્રમાણે હોય છે તેમને ઈષ્ટ કહે છે અને જે પુદ્ગલો પિતાની ઈચ્છા પ્રમાણેનાં હોતાં નથી તેમને અનિષ્ટ કહે છે. અનલિષિત હોવા છતાં પણ કેટલાંક પુતલે સુંદર-મજેના હોય છે. જેમ કે કિમ્પાકફલ તે નરકના પદ્રલે અનિષ્ટ હોય છે એટલું જ નહીં પણ કિમ્પાફલની જેમ સુંદર પણ હતાં નથી–પરન્તુ વાસ્ત-અપ્રિય હોય છે. કેટલાંક પુતલે અકાન્ત હોવા છતાં પણ પ્રિય હોય છે. જેમ કે કાંટા તે કાંટા એકાન્ત હોવા છતાં પણ ઉટને પ્રિય હોય છે. ઉંટ તે તે કંટકને પણ પ્રેમથી ખાય છે. પણ નારકનાં પુલ. એકાન્ત હોવા ઉપરાંત અપ્રિય પણ છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે અપ્રિય હોવા છતાં પણ શુભ હોય છે. જેમ કે કડવી ઔષધિ પરંતુ નારકનાં શરીરના પુલો અપ્રિય હોય છે એટલું જ નહીં પણ કડવી ઔષધિના જેવાં શુભ પણ નથી હોતાં-પરંતુ અશુભ જ હોય છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે અશુભ હોવા છતાં પણ વિષકન્યા જેવાં મનેઝ હોય છે. પણ નારકોનાં શરીરનાં પુદ્ગલે અશુભ હોવા ઉપરાંત અમનેઝ પણ છે–વિષકન્યાની જેમ મને જ્ઞા નથી. જે વસ્તુ મનને રુચિકર લાગે તેને મનોજ્ઞ કહે છે. કેટલાંક પદાર્થ એવા પણ હોય છે કે જે અમનેઝ હોવા છતાં દુઃખ દૂર કરવાના ગુણને કારણે ત્રિફળાની જેમ મને ગમ્ય હોય છે. પણ નારકના પુલે અમનેશ હોવા ઉપરાંત શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૭૪
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy