SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક, કઈ ચાર સમયે અધિક આ રીતે એક સાગરોપમ સુધી સમયેની અધિકતા હવાથી સ્થિતિ સ્થાનોનાં પણ અસંખ્યાતા ભેદો થાય છે, એજ રીતે પહેલી નરકના પહેલા પ્રસ્તટની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ત્યાં પણ આ કથન લાગૂ પડે છે જેમ કે પહેલા પ્રસ્તટમાં જઘન્યની સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની છે. ત્યાં પણ જઘન્ય સ્થિતિનું એક સ્થાન અને એક સમયાધિક જઘન્ય સ્થિતિનું બીજું સ્થિતિ સ્થાન થાય છે, અને આ રીતે બે સમયાધિક જઘન્ય સ્થિતિનું ત્રીજું સ્થિતિ સ્થાન થઈ જાય છે. અસંખ્યાતા સમય સુધી એક એક સમયની વૃદ્ધિ થતાં થતાં જે અંતિમ જઘન્ય સ્થિતિ આવે છે તેને અસંખ્યાત સમયાધિક જઘન્ય આયુષ્ય કહે છે. અને આ રીતે તે સ્થિતિનાં અસંખ્યાત સ્થાન થાય છે. આ રીતે નેવું હજાર વર્ષનાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી અસંખ્યાતા સ્થિતિસ્થાને બની જાય છે. પૂર્વોક્ત પ્રકારે સ્થિતિસ્થાનેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્થાનમાં રહેનારા ક્રોધાદિક ઉપયોગ યુક્ત નારક છાનું વિભાગ પૂર્વક નિરૂપણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે-(રૂમીને બે મંતે ! રચcvમા ગુઢવીણ તીહાણ નિયાचाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि जहणियाए ठिईए वट्टमाणा नेरइया किं દોરવત્તા, માળવત્તા, માયાવત્તા, મોવલત્તા ?) હે પૂજય ! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસોમાં જઘન્ય સ્થિતિમાં વર્તમાન નારક જીવો શું કોપયુક્ત હોય છે? કે માપયુક્ત હોય છે? કે માયોપયુક્ત હોય છે? કે લેપયુક્ત હોય છે ? ઉત્તર-(જોયા ! સ ષ તાર ફોન્ના, દોરાકના ૨) હે ગૌતમ! સમસ્ત નારકાવાસમાં રહેલ પ્રથમની જઘન્ય સ્થિતિવાળા સમસ્ત નારક છે કોધયુક્ત હોય છે. એટલે કે સમસ્ત નરકાવાસમાં પ્રથમની જઘન્ય સ્થિતિવાળા નારક છ સદા કાળ રહે જ છે. તેમાં ક્રોધાયુક્ત નારકે ઘણું હોય છે. તેથી ક્રોધયુક્ત નારક છમાં સત્તાવીસ ભાંગ થાય છે. અને એક, બે, ત્રણ વગેરે અસંખ્યાત સમયથી અધિક અજઘન્ય સ્થિતિવાળા નારક છે ક્યારેક જ હોય છે. તેથી તેમનામાં ક્રોધાદિથી ઉપયુક્ત નારક જીવોની સંખ્યા એકથી અનેક હોય છે. તેથી ત્યાં એંસી ભાંગા થાય છે. એકેન્દ્રિય જીવોમાં તે બધા કષાયેથી ઉપયુક્ત જીવ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિ ગતિમાં ઘણું જ હોય છે. તેથી ત્યાં ભાંગા થતા નથી. એજ વાતને “સંમ” ઈત્યાદિ. ગાથામાં કહેવામાં આવી છે. જ્યાં વિરહને સંભવ હોય ત્યાં એંસી ભગા કરવા અને જ્યાં વિરહને સંભવ ન હોય ત્યાં ભાંગા કરવા નહીં અથવા ભાંગી કરવા હોય તો સત્તાવીસ ભાંગ કરવા આ ગાથામાં જે “વિરહ” કહ્યા છે તે ક્રોધાદિ ઉપયુક્ત નારક જીની સત્તાની અપેક્ષાએ જાણ–તેમની ઉત્પત્તિની અપેક્ષાએ નહીં. કારણ કે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિ વિરહકાળ જેવીસ મુહૂર્તને કહ્યું છે. જે અહિ ઉત્પત્તિની અપેક્ષાએ વિરહકાળ લેવામાં આવે તે જ્યાં સત્તાવીસ માં કહ્યા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૬૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy