SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્પર્ય આ પ્રમાણે છે–પહેલી પૃથ્વીની અપેક્ષાએ નારકની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટની સ્થિતિ એક સાગરોપમની છે. આ જઘન્ય સ્થિતિમાં એક એક સમયની વૃદ્ધિ કરવાથી અસંખ્યાત સ્થિતિસ્થાને થઈ જાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે પણ એજ પ્રમાણે સમ જવું. કારણ કે સાગરોપમનાં સમય અસંખ્યાતા હોય છે. જેમ કે—કોઈ નારક જીવની જઘન્યસ્થિતિ દસ હજારવર્ષની છે, કેઈ બીજા નારક જીવની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષ કરતાં એક સમય અધિક છે. કેઈ ત્રીજા નારકજીવની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ કરતાં બે સમયની અધિક હોય છેઆ રીતે સાગરોપમ સુધી સમયની વૃદ્ધિ અસંખ્યાત વિભાગવાળી હોવાથી તેમનું આયુષ્ય પણ અસંખ્યાત વિભાગવાળું હોય છે. આ રીતે નરકાવાસની અપેક્ષાએ અસંખ્યાતા સ્થિતિસ્થાને હોય છે. આ નારકાવાસમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિના વિભાગે કેટલાં છે અને કેવાં છે. તે બીજા સૂત્રની મદદથી જાણું લેવું. જેમ કે પહેલા પાથડાના નરકાવાસમાં જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની છે. એ વાત આ સૂત્ર મારફત દર્શાવે છે-“તંના” ઈત્યાદિ. ( fromયા ) “જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષ આદિની છે.” આ પ્રથમ સ્થિતિનું સ્થાન થયું ? તે સ્થિતિસ્થાન દરેક નરકમાં જુદાં જુદાં છે. (સચાહિયા =ન્નિયા સિર્ફ ) આ જઘન્ય એટલે ઓછામાં ઓછી સ્થિતિમાં જ્યારે એક સમય વધી જાય છે ત્યારે બીજું સ્થિતિ સ્થાન બની જાય છે, આ પ્રમાણે એક એક સમય વધતાં વધતાં જ્યારે અસંખ્યાતા સમય સુધી આ જઘન્ય આયુષ્ય વધતું જાય છે ત્યારે તેને અસંખ્યાત સમયાધિક જઘન્યાયું કહેવાય છે. એજ વાત દુનનયા ” ઇત્યાદિ પદે વડે આ રીતે પ્રકટ કરવામાં આવી છે. “સુરમવાહિયા =નિયા ઢિ નાવ બન્નસમાણિયા કાિયા દિ” હવે સૌથી છેલ્લા સ્થિતિસ્થાનને બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે “તવાલાસિયા ટિ” “આ ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક પ્રકારની છે.” તેથી તેને “તwા ” આ વિશેષણ વડે બતાવવામાં આવેલ છે. જે નરકવાસની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે, તે પણ એક સ્થિતિ સ્થાન છે. તે સ્થિતિસ્થાન પણ અનેક પ્રકારનાં છે, કારણ કે જુદા જુદા નરકાવાસની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જુદી જુદી હોય છે, આ સમસ્ત કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રથમ પૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકાવાસ છે, તે નરકાવાસમાંના જુદા જુદા નરકાવાસમાં રહેનાર નારક જીવની સ્થિતિનાં સ્થાને અસંખ્યાતા છે. કારણ કે જુદા જુદા નરકાવાસમાં રહેનારા નારક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સરખી તે હોતી જ નથી. પહેલી પૃથ્વીની અપેક્ષાએ આ કથન થયું છે કે જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. જુદા જુદા નરકાવાસની અપેક્ષાએ જઘન્ય સ્થિતિમાં પણ અનેક ભેદે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં પણ અનેક ભેદે છે. કેઈ જીવની દસ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે તે કઈ જીવની “એક સમયે અધિક દસ હજાર વર્ષની” જઘન્ય સ્થિતિ છે. આ રીતે કે ત્રીજા નારક જીવની બે સમય અધિક, કોઈની ત્રણ સમય શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૬૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy