SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે. તેનાથી ભિન્ન પ્રકારના જીવને ખરી રીતે અપંડિત માનવામાં આવે છે. સાવદ્ય કર્મ કરનારાઓ અજ્ઞાની હોવાને કારણે તેમનામાં પાંડિત્યનો અભાવ હોય છે કહ્યું પણ છે –“ તત્ જ્ઞાનમેવ” ઈત્યાદિ. તે જ્ઞાનને વાસ્તવિક જ્ઞાન જ કહી ન શકાય કેમ કે જેની હાજરીમાં રાગષ વગેરેનો સમહ આત્મામાં ઉદિત થતું રહે. શું અંધકારમાં એવી શક્તિ છે કે તે સૂર્યના ઉદય થતાં ટકી શકે? જેમ સૂર્યનો ઉદય થતાં અંધકારને જવું જ પડે છે તેમ જ્ઞાનનો ઉદય થતાં રાગદ્વેષ વગેરેને પણ જવું જ પડે છે. - રાગદ્વેષ રહિત દશાવાળા પંડિતની વીર્યતાને પંડિતવીર્યતા કહે છે. શું તે પંડિતવીર્યતાથી જીવ ઉપસ્થાન કરે છે? કે બાલપંડિતવીર્યતાથી ઉપસ્થાન કરે છે ? અમક અંશે વિરતિના અભાવથી બાલ અને અમુક અંશે વિરતિના સહભાવે પંડિત એવો જે દેશવિરતિવાળે તે શ્રાવક કહેવાય છે તેને બાલપંડિત કહે છે. એવા બાલપંડિતની વીર્યતાને બાલપંડિતવીર્યતા કહે છે. શું જીવ તે બાલપંડિત વીર્યતાથી ઉપસ્થાન કરે છે ? જ્યાં સુધી જીવમાં મિથ્યાત્વને ઉદય રહે છે ત્યાં સુધી તેને મિથ્યાદૃષ્ટિ કહેવામાં આવે છે, એવા મિથ્યાષ્ટિ જીવને બાલવીર્યતાવાળે કહેવાય છે. તેથી આ જગ્યાએ એવું કહ્યું છે કે જીવનું ઉપસ્થાન બાલવીર્યતાથી જ થાય છે. પંડિતવીર્યતાથી કે બાલપંડિત વીર્યતાથી જીવનું ઉપસ્થાન થતું નથી. તે કારણે મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીના પ્રશ્નોના જવાબરૂપે કહ્યું છે કે “નોરમા ! વાઢવરિચત્તાપ કzes=ા, નો પંડિચવીચિરાજી વરાણકા, જો વાપંડિચીચિત્તા ઉapgહે ગૌતમ ! જીવનું જે ઉપસ્થાન થાય છે. તે બાલવીર્યતાથી થાય છે. તે પંડિતવીર્યતાથી તેમજ બાલપંડિત વીર્યતાથી થતું નથી. તાત્પર્ય એ છે કે બાલવીર્યતા જ જીવના ઉપસ્થાનમાં કારણભૂત છે. સૂત્રકારે જે “જો પંડિચીરિયા વાવેરા, જે વાવિવરિચત્તા વવજ્ઞા ” એવું નિષેધાત્મક કથન કર્યું છે તેથી એ વાત પ્રકટ કરી છે કે સમસ્ત વાક્ય અવધારણ સહિત હોય છે. એ નિયમ પ્રમાણે જે ઉપસ્થાન બાલવીયતાને કારણે થતું હોય તે પંડિતવીર્યતા અને બાલપ ડિતવીર્યતાને કારણે થાય જ નહીં. ઉપસ્થાનની ઉલટા અર્થની કિયા તે અપકમણ છે. ઉપસ્થાનનું વર્ણન કરતી વખતે ઉપસ્થાન વિરોધી અપકમણ ક્રિયાનું સ્મરણ થઈ આવે છે, જેવી રીતે છાયાનું ભાન થતાં છાયાના વિરોધી સૂર્યના તડકાનું સ્મરણ થાય છે. “મૃત૨ રોવેશનવ” જેની યાદ આવે તે વિષયની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. ” એ નિયમ અનુસાર ઉપસ્થાનનું કથન કરીને હવે સૂત્રકાર અપક્રમણનું કથન કરે છે–“વી મતેઓ ઈત્યાદિ. | ( અંતે !) હે પૂજ્ય! sીવે) શું જીવ ( વળે નોળિજો મેળ ) કરાયેલ મેહનીય કર્મના (ફિmi ) ઉદયથી (વફ્રકા) અપકમણ કરે છે ? એટલે કે ઉત્તમ ગુણસ્થાનમાંથી હીનતર (નીચા) ગુણસ્થાનમાં ચાલ્યો જાય શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૩૫
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy