________________
પર્યાયાર્થિક નયની અપેક્ષાએ મનાય છે. પર્યાયાર્થિક નયને વિષય પર્યાય છે. અપેક્ષા ભેદથી એક જ વસ્તુમાં બનેનો સમાવેશ થતો પ્રત્યક્ષ જોવા મળે છે જેમ કે-એક જ પુરૂષમાં પુત્રની અપેક્ષાએ પિતૃત્વ અને તેના પિતાની અપેક્ષાએ પુત્રત્વ એ બે ધર્મોને સમાવેશ થતો દેખાય છે. આ પ્રમાણે તેમની શંકાનું સમાધાન કરવા છતાં પણ તેમની શંકા દૂર થતી નથી.
તેમજ નિયમના વિષયમાં પણ તેમને શંકા થયા કરે છે. વતપ્રત્યાખ્યાનને નિયમ કહે છે. જે સર્વ પાપની વિરતિરૂપ સામાયિક કરવામાં આવે તે પછી નવકારસી, પિરસી વગેરે અન્ય નિયમે કરવાથી શો લાભ છે? કારણ કે સામાયિક મારફત જ બધા પાપની નિવૃત્તિ થઈ જ જાય છે તો પછી શાસ્ત્રમાં પિરસી વગેરે નિયમોને કર્તવ્યકોટિમાં સમાવેશ શા માટે કર્યો છે? આ વિષયમાં તેમની શંકાનું સમાધાન આ પ્રમાણે છે-સામાયિક વ્રતમાં સર્વ પાપ નિવૃત્તિ થઈ જતી હોવા છતાં પણ પિરસી વગેરે જે અન્ય નિયમ આચરવામાં આવે છે તે નિયમ પ્રમાદને નાશ કરનારા અને અપ્રમાદ ભાવના વર્ધક હોય છે. તેથી અપ્રમાદના હેતુરૂપ હોવાથી તેમને પણ કર્તવ્યકટિમાં સમાવેશ કર્યો છે. કહ્યું પણ છે –“મા ” ઈત્યાદિ.
સર્વપાપ વિરતિરૂપ સામાયિક કરવા છતાં પણ પિરસી વગેરે બીજા નિયમો અપ્રમાદ ભાવની વૃદ્ધિ કરનારા હેવાથી કરવા ગ્ય છે તાત્પર્ય એ છે કે તે નિયમ પ્રમાદને નાશ કરનારા હોવાથી ગુણકારી છે તેથી જ પ્રભુની તે પ્રકારની આજ્ઞા છે.
તેમજ પ્રમાણના વિષયમાં પણ તેમને શંકા થાય છે–પ્રત્યક્ષ વગેરે પ્રમાણ છે. તેમાંથી આગમ પ્રમાણમાં તેમને શંકા થાય છે-આગમમાં એવું કહ્યું છે કે સ સમ પૃથ્વીથી આઠ સે યેાજન ઉપર ચાલે છે. પરંતુ ચક્ષુઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ પ્રમાણે તે સૂર્યની ભૂમિમાંથી નીકળતે જ જુવે છે. તે બને વાતમાંથી કઈ વાતને સાચી માનવી? તેનું સમાધાન આ પ્રમાણે છે-આપણી આંખો સૂર્યને ભૂમિમાંથી નીકળતે જ પ્રત્યક્ષ દેખે છે તે પ્રત્યક્ષ સત્ય નથી. કારણ કે સૂર્ય તે અહીંથી ઘણે દૂર છે તેથી સૂર્ય ભૂમિમાંથી નીકળતે જે આંખથી પ્રત્યક્ષ દેખાય છે તે તો ભ્રમ છે. આ પ્રકારનું સમાધાન મળવા છતાં પણ તેમના મનમાંથી શંકા જતી નથી.
આ ઉદ્દેશકનો અર્થ સંગ્રહ અહીં આ પ્રમાણે છે-શ્રમણ નિને કાંક્ષાહનીય કર્મનું વેદના થાય છે કે નહીં ? આ પ્રશ્નનો ઉત્તર-“હા, તેઓ પણ કાંક્ષાહનીય કમનું વેદન કરે છે. ” “ તેઓ શા કારણે તેનું વેદન કરે છે??? આ પ્રશ્નના ઉત્તરરૂપે કહેવામાં આવ્યું છે કે જ્ઞાન-જ્ઞાનમાં અંતરથી લઈને પ્રમાણ-પ્રામાણમાં અંતર સુધીના જે કારણે ઉપર વર્ણવ્યા છે, તે કારણને લીધે તેઓ કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનજ્ઞાનમાં અંતર વગેરે કારણોને લીધે જિનેન્દ્ર પ્રતિપાદિત તોમાં શ્રમણ નિર્ચને શંકા વગેરે ઉત્પન્ન થાય છે. આ રીતે શંકાશીલ થવાથી શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષાએહનીય કમનું દાન કરે છે. આ પ્રકારનું યુક્તિયુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૨૮