________________
પ્રમાદી પુરુષના ચેગના લીધે જે જીવા માર્યો જાય છે તેને જ હિંસા કહે છે. આ રીતે હિંસા કરનાર પ્રમાદી જીવ અવશ્ય હિ'સક હાય છે. પણુ ઈય્યસમિતિપૂર્વક ચાલતા મુનિમાં પ્રમાદને ચેગ હાતા નથી. તેથી એવી સ્થિતિમાં જીવના પ્રાણાના નાશ થવા માત્રથી જ તેમને હિંસક માની શકાય નહી. આ રીતે પ્રમત્તચોપાત્ત્રાળચવરોપાં હિંસા ” આ લક્ષણના અભાવ હાવાથી કેવળ દ્રવ્યથી થયેલ હિંસાને હિ'સા કેવી રીતે કહી શકાય ? પણ શાસ્ત્રમાં તેને હિંસા કહેલી છે. તેથી તે વિષે તેમને શકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે–હિંસાનું જે લક્ષણ ઉપર ખતાવ્યું છે તે દ્રવ્યહિસાનું લક્ષણુ નથી. પશુ દ્રવ્ય અને ભાવહિંસાનું લક્ષણ છે. પ્રાણીઓનું મરણુ એજ દ્રવ્યહિંસા છે. કારણ કે લેકમાં મરણ જ દ્રવ્યહિસારૂપ પ્રસિદ્ધ છે અને આ દ્રવ્યહિંસા પહેલા ભાંગામાં ઘટાવી શકાય છે. આ પ્રમાણે શંકાનું સમાધાન થવા છતાં પણ આ વિષયમાં તેમના મનમાં શફા આદ્દિ થયા જ કરે છે,
તેમજ નયના વિષયમાં પશુ તેમને શંકા થયા કરે છે. દ્રવ્યાકિ વગેરે નય છે. દ્રષ્યાર્થિ ક નયની અપેક્ષાએ વસ્તુમાં નિત્યતા છે. અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ એજ વસ્તુમાં અનિત્યતા છે, એવી માન્યતા છે તે આ વિષયમાં તેમને શકા થાય છે કે જે વસ્તુ દ્રાર્થિક નયના અભિપ્રાયથી નિત્ય છે તેજ વસ્તુ પર્યાયાર્થિક નયના અભિપ્રાયથી અનિત્ય કેવી રીતે હાઇ શકે ? કારણ કે નિત્યતા અને અનિત્યતા તે વિાધી ગુણા છે તે બન્નેને એક જ વસ્તુમાં એક સાથે કેવી રીતે સમાવેશ થઈ શકે? માટે એ વાત જ અશકય છે તે તેનું સમાધાન આ પ્રમાણે છે-અપેક્ષાભેદથી નિત્યતા અને અનિત્યતાને! સદ્ભાવ એક જ વસ્તુમાં હાઈ શકે છે જે નિત્યતા અને અનિત્યતાને વસ્તુમાં અપેક્ષાકૃત ન માનીએ તે તેમને યુગપત્ ( એક સાથે ) સમાવેશ થવા બેશક અસવિત ગણાય પણ વસ્તુમાં જે નિત્યતા માનવામાં આવે છે તે દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષાએ મનાય છે કારણ કે દ્રવ્યાર્થિક નયને વિષય દ્રવ્ય છે, અનિત્યતા જે મનાય છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૧
२२७