SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પિત પિતાનાં કર્મના આવરણનો ક્ષયે પશમ એક સાથે થવા છતાં પણ તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વારાફરતી જ ઉત્પન્ન થાય છે, એક જ્ઞાનના ઉપયોગમાં બીજા જ્ઞાનના ક્ષપશમને અભાવ હોય છે એવું પણ નથી. કારણ કે તેમના ક્ષપશમને સમય છાસઠ સાગરપ્રમાણુવાળ કહ્યો છે. આ રીતે જુદા જુદા મત ધરાવનારા આચાર્યોના અભિપ્રાય જોઈને તેમના મનમાં એવો વિચાર થાય છે કે કયા આચાર્યને મત સ્વીકારે? આ પ્રમાણે તેમના મનમાં શંકા જન્મે છે. તેનું સમાધાન આ પ્રમાણે છે-જેને મત આગમ અનુસાર હોય તે સત્ય માનીને સ્વીકારે. અને જેને મત આગમ અનુસાર ન હોય તેને સત્ય માની શકાતું નથી. આપણને એ કેવી રીતે ખબર પડે કે અમુક મતજ આગમ અનુસાર છે? અને અમુક મત આગમ અનુસાર નથી ? આ વાત તે બહુશ્રુત જ જાણું શકે છે-અન્ય કઈ જાણું શકતું નથી. તે સામાન્ય બુદ્ધિવાળાને સત્ય અને અસત્ય મતની સમજણ કેવી રીતે પડે? તે આ બાબતમાં એ વિચાર કરવું જોઈએ કે સંપ્રદાયના દેષથી આચાર્યોમાં મત ભેદ હોય છે. પરંતુ તીર્થકરોનાં વચનમાં ભેદ હોતું નથી. કારણ કે તેઓ રાગદ્વેષ રહિત હોવાથી જુદી જુદી પ્રરૂપણ કરતા નથી તેમને મત તે એ છે કે જ્ઞાન અને દર્શન એક સાથે પ્રાપ્ત થતાં નથી. પણ વારાફરતી થાય છે. કારણ કે એક સમયે બે ઉપગ હોઈ શકે નહીં. રાગદ્વેષથી રહિત હોવાને કારણે તીર્થકરોના મતમાં એક વાક્યતા યુક્તિયુક્ત જ છે. કહ્યું પણ છે– “gવચ” ઈત્યાદિ. જિનેન્દ્ર ભગવંતે સ્વયં અનુપકૃત હોય છે. એટલે કે તેમના ઉપર કેઈને ઉપકાર હેત નથી પરંતુ તેઓ અન્યનું ભલું કરવાને તત્પર રહે છે. તેઓ યુગપ્રવર હોય છે, તેઓ રાગદ્વેષથી રહિત હોય છે જેથી તેઓ અસત્ય કે વિપરીત બેલતા નથી. તેથી એવું જ માનવું જોઈએ કે સંપ્રદાયના દેશને કારણે જ આચાર્યોમાં પરસ્પર મતભેદ પડે છે પરંતુ આગમના અભિપ્રાયમાં કઈ ભેદ હોતો નથી. આ પ્રમાણે તેમની શંકાનું સમાધાન સમજવું. તથા ભાંગાઓના વિષયમાં પ તેમને શંકા થાય છે. તે ભાંગ છે, ત્રણ, ચાર વગેરે જાતના હોય છે. તેમાં હિંસાના વિષયમાં ચાર ભાંગા ભેદ) કહ્યા છે જેમ કે-(૧) દ્રવ્યથી હિંસા, ભાવથી હિંસા નહીં, (૨) ભાવથી હિંસા દ્રવ્યથી હિંસા નહીં, (૩) દ્રવ્યથી પણ હિંસા નહીં અને ભાવથી પણ હિંસા નહીં, (૪) અને દ્રવ્યથી પણ હિંસા અને ભાવથી પણ હિંસા. આ ચાર ભાંગામાં પહેલે જ ભાંગ બરાબર લાગતું નથી, કારણ કે પહેલા ભાગમાં હિંસાનું લક્ષણ ઘટાવી શકાતું નથી–ઈર્યાસમિતિપૂર્વક ગમન કરતાં મુનિના પગનું દ્રવ્યનિમિત્ત મળતાં કીડી વગેરેનું મરી જવું તેનું નામ દ્રવ્યહિંસા છે પણ તે દ્રવ્યહિંસારૂપ ગણાય નહિં. કારણ કે તેમાં હિંસાનું લક્ષણ ઘટાવી શકાતું નથી. પ્રમાદના યેગથી પ્રાણેને નાશ થ તેનું નામ હિંસા છે ક પણ છે–“કો ૩ વમવો” ઈત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy