________________
એક સામાયિક રૂપ જ છે એ તેમને પોતાની જાત ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાત અને તેથી ખેદ પામીને આધ્યાન કર્યા કરે એમ ન થાય તે માટે ચારિત્રના સામાયિક અને છેદેપસ્થાપનીય એવા બે ભેદ પાડવામાં આવ્યા છે કહ્યું પણ છે—“૩િ૦ ” ઈત્યાદિ. પહેલા અને છેલ્લા તિર્થંકરના સાધુઓ અનુક્રમે રાજુજડ અને વકજડ હોય છે. તેથી તેમને સામાયિક ચારિત્રની પછી વ્રતનું આરે પણ કહ્યું છે કારણ કે સામાયિક ચારિત્રમાં થેડી સરખી અશુદ્ધિ આવી જવાથી પુનઃ વ્રતારેપણથી અને છેદથી શુદ્ધિ થઈ જાય છે.
આ રીતે ચારિત્રના સંબંધમાં કથન હોવા છતાં પણ તેમને તે બાબતમાં શંકા થાય છે.
તથા સાધુના વેષ વિષે પણ તેમને શંકા થયા કરે છે. જેમ કે બીજા તીર્થકરથી લઈને તેવીસમા સુધીના તીર્થકરોએ એવું કહ્યું છે કે સાધુએ જેવા મળે એવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. પણ પહેલા અને છેલ્લા તીર્થકરે એવું કહ્યું છે કે સાધુઓએ પ્રમાણ સહિત અને સફેદ વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. આ જાતના કથનને લીધે સર્વજ્ઞના વચનમાં પણ વેષના વિષયમાં પરસ્પર વિરોધાભાસ જણાય છે, એવી શંકા થાય છે. પરંતુ તે શંકાનું સમાધાન
આ પ્રમાણે છે–સર્વાના કથનમાં કદી પણ પરસ્પર વિરોધ હોતો નથી. શિમાં ઋજુડ, વકજડ અને ઋજુપ્રાજ્ઞ શિષ્ય હોય છે તેમની અપેક્ષાએ તીર્થકરોએ એવે ઉપદેશ આપે છે. કારણ કે એવા ઉપદેશથી જ તેમને ઉપકાર થતું હોય છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ તેમને આ વિષયમાં શંકા વગેરે થયા કરે છે.
એજ પ્રમાણે પ્રવચનમાં પણ તેમને શંકા થાય છે-જેમ કે મધ્યમ તીર્થકરોના પ્રવચનમાં ચાર મહાવ્રતરૂપ ધર્મનું કથન થયું છે અને પહેલા અને છેલ્લા તીર્થકરના પ્રવચનમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મનું કથન થયું છે તો તે પ્રકારના કથનમાં વચ્ચેના બાવીસ તીર્થકરોને અને પહેલા તથા છેલા તીર્થકરોના પ્રવચનમાં વિરોધ જણાય છે, એવી શંકા તેમને થાય છે. પરંતુ તેનું સમાધાન આ રીતે કરી શકાય છે–પાંચ મહાવ્રતરૂપ ધર્મની વસ્તુ ચાર મહાવ્રતરૂપ ધર્મમાં આવી જાય છે, જેમ કે ચોથા મહાવ્રતને પરિગ્રહમાં સમાવેશ થઈ શકે છે. કારણ કે સ્ત્રીઓ પણ પરિગ્રહરૂપ જ હોય છે. તેથી જેમણે પરિગ્રહને ત્યાગ કર્યો હોય છે તેઓ સ્ત્રીઓને પણ પરિગ્રહરૂપ ગણીને તેમને ત્યાગ કરે છે.
તેમજ પ્રવચન કરનારાઓના સંબંધમાં પણ તેમને આ જાતની શંકા થાય છે. જે પ્રવચનને ભણે અથવા જાણે તે પ્રાવચનિક કહેવાય છે. તે અગિયાર ગણધરોને નવ ગચ્છ હોય છે. વળી એમ પણ કહ્યું છે કે કાળની અપેક્ષાએ બહુશ્રુત સાધુ પણ પ્રવચનિક કહેવાય છે. તે પ્રવચન કરનારા એમાંથી એક, એક રીતે કેઈ તત્ત્વ સમજાવે છે બીજે બીજી રીતે સમજાવે છે–તે તેમાં સત્ય તત્ત્વ કયું સમજવું ? કોના કથનમાં વિશ્વાસ મૂક? આ પ્રકારની શંકા તેમને થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે-ચારિત્રમોહનીય
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨ ૨૪