________________
સ્વભાવ ભેદ હોવાથી તેમનામાં ભિન્નતા જણાય છે. સારાંશ એ છે કે મન પર્યાય જ્ઞાન રૂપીદ્રવ્યમાં પણ માત્ર મનદ્રવ્યને જ ગ્રહણ કરે છે અને દર્શનથી રહિત હોય છે જ્યારે અવધિજ્ઞાન તમામ રૂપીદ્રવ્યોને જાણે છે અને અવધિ દર્શનથી યુક્ત હોય છે. એજ વાત નીચેની પંક્તિઓ વડે સમજાવવામાં આવી छ-मनःपर्ययज्ञानं व्याप्यविषयकं दर्शनरहितं च, अवधिज्ञानं व्यापकविषयकं दर्शनસમન્નિતં ” આ રીતે સ્વભાવ ભેદને લીધે બને જ્ઞાનની વચ્ચે પાણી અને અગ્નિ જે ભેદ બતાવ્યો છે. આ રીતે બને જ્ઞાનમાં ભેદ હોવા છતાં પણ તેઓ (કેટલાક શ્રમણ નિ ) જ્ઞાનના વિષયમાં શંતિ બની જાય છે તે કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે.
દર્શનના વિષયમાં શ્રમણ નિર્ચ થે આ પ્રકારે શંકિત બને છે–
સામાન્ય બોધનું નામ દર્શન છે. એમાં જે ઈન્દ્રિયોના નિમિત્તથી અને અનિન્દ્રિય એટલે મનના નિમિત્તથી થયેલ પદાર્થોના સામાન્ય જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે તે પછી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન રૂપ બે ભેદ પાડવાની જરૂર શી છે? જો ઇન્દ્રિયજન્ય અને અનિન્દ્રિય (મન) જન્ય સામાન્ય બોધરૂપ દર્શનના ભેદ જ પાડવા હોય તે ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શન, ઘાણદર્શન, રસનાદર્શન, સ્પર્શદર્શન અને મને દર્શન, એ રીતે દર્શનના છ ભેદ પાડવા જોઈએ- બેજ ભેદ શા માટે? આ રીતે દર્શનની બાબતમાં તેમને શંકા ઉદ્ભવે છે. પરંતુ તેમની શંકાનું સમાધાન આ રીતે કરી શકાશ છે–પદાર્થના બે પ્રકાર હોય છે એક સામાન્ય રૂપ અને બીજે વિશેષરૂપ ક્યારે ક વસ્તુને સામાન્યરૂપે નિર્દેશ થાય છે અને કયારેક વિશેષ રૂપે નિર્દેશ થાય છે. અહિં ચક્ષદર્શનને નિર્દેશ વિશેષરૂપે થયે છે અને અચક્ષુદર્શનને નિર્દેશ સામાન્ય રૂપે થયો છે જે કે દર્શનના વિભાગ બીજી રીતે પણ થઈ શકે છે, છતાં પણ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એવા જે બે ભેદ કહ્યા છે તેની પાછળ એ આશય છે કે ઈન્દ્રિયે બે પ્રકારની છે (૧) પ્રાકારી અને (૨)અપ્રાપ્યકારી. જો કે મન તે અપ્રાપ્યકારી જ છે. પણ ચક્ષુ ઇન્દ્રિય પણ મનને અનુસરનારી છે તેથી ચક્ષુ ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા દર્શનને (સામાન્યધને) ચક્ષુદર્શન કહેવામાં આવેલ છે અને દર્શન અને ચક્ષુ સિવાયની બીજી ઇન્દ્રિયવડે ઉત્પન્ન થતાં દર્શનને અચક્ષુદર્શન કહેવામાં આવેલ છે.
અથવા–સમ્યક્ત્વને પણ દર્શન કહે છે. તેમાં આ પ્રકારની શંકા ઉદ્દભવે છે-કે સમ્યકત્વના બે ભેદ છે-(૧) લાપશમિક અને (૨) ઔપથમિક તેમાં ક્ષાપશયિક સમ્યકત્વનું આ પ્રકારનું સ્વરૂપ છે-જ્યારે ઉંદી મિથ્યાત્વને ક્ષય થાય છે અને અનુદીર્ણ મિથ્યાત્વને ઉપશમ થાય છે ત્યારે ક્ષાપશયિક સમ્યકત્વ થાય છે. ઉપશમ એટલે સત્તામાં માજીદ રહેવું તે. ઔપશમિક સમ્યકત્વનું લક્ષણ આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૨૨