SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જયંતરે”િ મતાન્તરે વડે, “માંતરે હિં” ભંગાન્તરે વડે, “જયંતfહું” નયાન્તરે વડે. “નિમંતરે હિં” નિયમાન્ત વડે, અને “ઘમઘતરે હિં” પ્રમ ન્તરે વડે, “વિચા” શંકાયુક્ત થયેલ–દેશથી કે સર્વરૂપે શંકા પામેલએટલે કે જ્ઞાનાન્તરથી લઈને પ્રમાણાન્તર સુધીના તમામ કારણોને લઈને જિનપ્રતિપાદિત જીવાદિક પદાર્થોમાં શંકા વગેરે કરતા મુનિયે કાંક્ષામહનીય કર્મનું વેદન કરે છે. તથા “ વિચા” પર દર્શનને (બીજાના ધર્મને) ગ્રહણ કરવાની ઈચ્છા રાખનાર, “ વિડિજિરિયા ” આ કરણીનું આ ફળ મળશે કે નહિ? એવી જાતને સંશય જેના હૃદયમાં ઉત્પન્ન થયે છે તેવા, “મેચમાવ” બુદ્ધિવિપર્યાસ રૂપ ભેદ જેમનામાં ઉદ્ભવ્યું છે તેવા, “ જુમાવ” જિનેશ્વરભગવાને કહેલ તમામ વાર્તા સત્ય છે કે નહીં? એવા પ્રકારની બુદ્ધિની મલિનતા જેનામાં પેદા થઈ છે તેવા શ્રમણ નિર્ચ પણ “ઉં” એવી રીતે “હુ” અવશ્ય કક્ષાએહનીય કર્મનું વેદન કરે છે, શ્રમણ નિને કારણેને લીધે જ્ઞાનાદિકમાં શંકા વગેરે જાગે છે. તેનું સ્વરૂપ હવે બનાવવામાં આવે છે – જ્ઞાનના વિષયમાં મુનિવરોને આ જાતની શંકા ઉદ્દભવે છે–તેમના મનમાં એવા વિચાર આવે છે કે અવધિજ્ઞાનથી મન:પર્યય જ્ઞાનને અલગ શા માટે માનવું જોઈએ? કારણ કે પરમાણુ આદિ સૂમદ્રવ્યથી માંડીને તમામ રૂપીદ્રવ્ય અવધિજ્ઞાન વડે જાણી શકાય છે અને અવધિજ્ઞાન પણ એક પ્રકારનું તો નથી જ. તે તે અસંખ્ય પ્રકારનું છે. તેમજ મન:પર્યય જ્ઞાન વિષય પણ રૂપી દ્રવ્યજ છે, અને તે પણ મને દ્રવ્ય માત્ર રૂપ જ હોય છે, મદ્રવ્ય કે જે મન:પર્યાય જ્ઞાન વિષય છે, તેને અવધિજ્ઞાનથી પણ ગ્રહણ કરી શકાય છે કારણ કે તે પણ રૂપીદ્રવ્ય છે તે ફરી અવધિજ્ઞાનથી મન:પર્યવ જ્ઞાનને ભિન્ન શા માટે ગયું છે? આ જાતના કારણને લીધે નિગ્રંથ શ્રમણને પણ જ્ઞાનની બાબતમાં કાકા ઉત્પન્ન થતી હોય છે તે તેમની શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે જો કે અવધિજ્ઞાનથી પણ મદ્રવ્યને જાણી શકાય છે છતાં પણ અવધિજ્ઞાનનું મન:પર્યયજ્ઞાન વ્યાપ્ય છે, એટલે કે જ્યાં જ્યાં અવધિજ્ઞાન હશે ત્યાં ત્યાં મનઃપર્યયજ્ઞાન હશે જ એ નિયમ નથી. તેથી અવધિજ્ઞાન કરતાં મનઃ પર્યયજ્ઞાન વ્યાપ્ય છે માટે તેને અન્તર્ભાવ (સમાવેશ) અવધિજ્ઞાનમાં થઈ શકો નથી, તે બને જ્ઞાનનાં સ્વાભાવમાં ભિન્નતા રહેલી છે. સામાન્ય નિયમ એ છે કે જેમના સ્વભાવમાં ભિન્નતા હોય તેમને એક બીજાની અંદર સમાવેશ થતું નથી જેમ કે સેનાને ઘડે અને માટીને ઘડે એ બને ભિન્ન સ્વભાવવાળા હોવાથી તેમને એક બીજામાં સમાવેશ કરી શકાતો નથી. આ બન્ને જ્ઞાનમાં આ રીતે સ્વભાવની ભિન્નતા છે–મન:પર્યયજ્ઞાન ફક્ત મનોદ્રવ્યને જ ગ્રહણ કરે છે, વળી તેમાં મન:પર્યય દર્શન થતું નથી. ત્યારે અવધિજ્ઞાન મને દ્રવ્ય સિવાયના દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને તેમાં અવધિદર્શન પણ હોય છે. આ પ્રમાણે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનમાં શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૨૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy