________________
રૂપ મિથ્યાત્વ નાશ પામે છે. તેથીજ આ સૂત્રની ઉપમા સૂર્યાંથી પણ અધિક પ્રકાશપૂર્ણ અહીં ખતાવાઇ છે. વળી કોઈ અહીં એમ શકા કરે કે જેવી રીતે સૂ અંદરના અન્ધકારરૂપ અજ્ઞાનને દૂર કરવા અસમર્થ છે તેવી રીતે આ ભગવતી સૂત્ર પણ ખાદ્ઘ અંધકારને નાશ કરવામાં અસમર્થ છે. માટે એમાં સૂની અપેક્ષા વિશિષ્ટતાનું પ્રતિપાદન કેવી રીતે સંગત માની શકાય ? તે એવી આશકા કરવી ઉચિત નથી, કેમકે આ ભગવતીસૂત્રના અધ્યયન, મનન, અને ચિત્ત્વનથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એના વડે ક્ષેપકશ્રેણીને પ્રાપ્ત કરીને જીવ ચાર ઘાતી કર્મોના નાશ કરે છે ત્યારે તેને અનંત તેજવાળા કેવળજ્ઞાન રૂપ સૂર્યના ઉદય થાય છે જે અંતર અને બાહ્ય અને અધકારોના નાશ કરે છે. માટેજ સૂની અપેક્ષાએ ભગવતીસૂત્રની વિશિષ્ટતા છે. ૫ ૧૪ ૫
અન્વયા –(ચા) જેમ (સત્તારાન્તારે ભ્રમત્તામ્ ) આ સંસારરૂપી અટવીમાં ભટકતા (વિજ્ઞાન) ભવ્ય જીવાને (વમ્ ) આ સૂત્ર (વિન્નાન્યે) વિશ્રાન્તિ માટે (વર્નપત્રાઢથઃ) અક્ષરરૂપ પત્રાથી યુકત ( વવફીલમ-૧: ) કલ્પલતાના મપ સમુ` છે.
વિશેષા—આ સ’સારરૂપી વનમાં મિથ્યાત્વ અને અવિરતિ આદિ પડળાથી ઘેરાએલા આ જીવાત્મા અનાદિ કાળથી ભટકયાં કરે છે. સંસારમાં ભ્રમણ થવામાં કારણરૂપ ક જીવાત્માના પેાતાનાં કર્યાં જ્યાં સુધી નષ્ટ ન થયા હોય ત્યાં સુધી આ તેનું ભમવુ બંધ થતું નથી. અને આ ભવભ્રમણના કારણેાના નાશ કરનાર -અટકાવનાર આ ભગવતીસૂત્ર છે કેમકે એનું અધ્યયન કરનારને હૈય અને ઉપાદેયનું એટલે માગવાનું અને લેવાનું વિવેકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ વિવેકજ્ઞાનને પામતાં જીવામા સંસારમાં પરિભ્રમણ કરાવતાં કારણેાથી વિરકતત્વ અનુભવે છે.અને આજ વિશ્રાન્તિ જીવાત્મા માટે છે. જેમ શ્રમિત પથિકને કલ્પલતાના મ`ડપ વિશેષ આનંદદાયક અને છે, એવી જ રીતે સ`સારમાં ભમતાં ભમતાં થાકી ગએલા માનવીને આ ભગવતીસૂત્ર કલ્પલતા સમું વિશેષ આનંદદાયી નિવડે છે. એટલે કે આ સૂત્રના યથાવત્ અધ્યચન કરવાથી તથા તેમાં ચિંધેલા માગે અનુસરવાથી જીવાત્માનું સ’સારમાં ભટકવું અટકી જાય છે. આ એક જાતની આત્મા માટે વિશ્રાન્તિ છે, અને આ વિશ્રાન્તિ અપાવનાર ભગવતીસૂત્ર છે. કેમકે આ સૂત્ર સાક્ષાત્ ભગવાન શ્રી મહાવીર પ્રભુની વાણીરૂપ છે. અને ભગવાનની વાણીમાં એ શિત છે કે જે ભવ્ય જીવાત્મા એની આરાધના મન વચન અને કાયાની એકાગ્રતાએ કરે છે તેનું ભવેાલવ ભટકવાનુ અટકી જાય છે, અને એ રીતે મેાક્ષરૂપ અક્ષય આનંદને પ્રાપ્ત કરે છે.॥૧૫॥
શ્રી ભગવતી સૂત્ર : ૧
૯