SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વને ” પુરૂષપણાનું અભિમાન તેને પુરુષકાર કહેવામાં આવે છે અને ઈષ્ટ વસ્તુના સાધક પુરુષકાર (પુરુષાર્થ) રૂપ પરાક્રમ છે. અથવા પુરૂષક્રિયા કે પુરુષ પ્રયત્નને પુરુષકાર અને શત્રુ નિરાકરણ કિયાને પરાક્રમ કહે છે. શંકા–સ્ત્રક્રિયાને ગ્રહણ નહીં કરતાં, પુરુષક્રિયાને જ અહીં ગ્રહણ કરવાનું કારણ શું છે? ઉત્તર–સ્વાભાવિક રીતે જ સ્ત્રીકિયા કરતાં પુરુષક્રિયા વધારે પ્રકર્ષવાળી (બળવત્તર) હોય છે, તે કારણે અહિં પુરુષક્રિયાને જ ગ્રહણ કરી છે, ગોશાલક મતના અનુયાયીઓ એમ કહે છે કે ઉત્થાન વગેરે કિયાઓની અવશ્યકતા જ નથી. કારણ કે તે ક્રિયાઓ પુરુષાર્થની–એટલે કે પુરુષના પ્રજનની સાધક હોતી નથી. એટલે કે ઉત્થાન આદિ કિયાઓ અસાધક હોવાથી ગોશાલકના મતમાં તેમની આવશ્યકતા જ નથી. અમારા મત પ્રમાણે તે નિયતિને જ સર્વકાર્યની સાધક ગણી છે. “નિયતિથી જ સમસ્ત કાર્યોની સિદ્ધિ થતી રહે છે, ઉત્થાનાદિ ક્રિયાઓથી નહીં ” કહ્યું પણ છે કે “મનુષ્યને જે શુભ કે અશુભ વસ્તુ મળવા યોગ્ય હોય છે તેની પ્રાપ્તિ તેને નિયતિના પ્રભાવથી અવશ્ય થાય છે. જીવ ભલે ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે બનવાનું નથી તે કદી બનતું નથી, અને જે બનવાનું હોય છે તે અવશ્ય બને જ છે, એમાં કઈ ફેર પડતો નથી, વળી “ અવશ્ય બનનાર ભાવને પ્રતિકાર છે જ નહીં” એ નીતિ અનુસાર તથા કાંટાની તીણુતા વગેરે જેવાથી એ સિદ્ધ થાય છે કે નિયતિ જ કારણ રૂપ છે, પુરુષાર્થ કારણ રૂપ નથી, એવું શૈશાલકમતાનુયાયીઓ માને છે પણ આ જાતની માન્યતા બરાબર નથી, કારણ કે એવું માનવાથી પ્રત્યક્ષ દેખાતા પુરુષાર્થના અપલાપ (અભાવનો) પ્રસંગ પ્રાપ્ત થશે. તમારે એમ ન કહેવું જોઈએ કે પુરુષાર્થ કરવા છતાં પણ કયારેય પણ કાર્યની સિદ્ધિ થતી દેખાતી નથી તેથી નિયતિ જ કારણભૂત છે. અમે તો એમ કહીએ છીએ કે એકલી નિયતિજ કાર્યસાધક છે. એ વાત બરાબર નથી. જેવી રીતે પુરુષાર્થની અપેક્ષા વગરની નિયતિ કાર્ય સાધવાને અસમર્થ છે. એ જ પ્રમાણે નિયતિની અપેક્ષા વગરને પુરુષાર્થ પણ કાર્ય સાધવાને માટે અસમર્થ છે. કારણ કે જેવી રીતે ઘડાની ઉત્પત્તિ દંડ ચક, માટી, કુંભાર અને દેરી, એ બધા એકત્ર થવાથી જ થાય છે અને એ બધાને સમદાયરૂપે જ ઘડાની રચનામાં કારણરૂપ ગણવામાં આવે છે, એવી જ રીતે કાળ, સ્વભાવ, કર્મ નિયતિ અને પુરુષાર્થ એ બધાં એકત્ર થાય છે ત્યારે જ તેમના દ્વારા કાર્યની સિદ્ધિ થાય છે. તેથી કાળ, સ્વભાવ નિયતિ પુરુષાર્થ વગેરે સમુદાયરૂપે જ કાર્યના સાધક હોવાથી તેમનામાં કારણુતા માનવામાં આવી છે. જ્યારે ખરી હકીકત આ પ્રમાણે છે કે તમે તે માત્ર નિયતિમાં જ કાર્યસાધકતા છે. પુરુષાર્થ વગેરેમાં કાર્યસાધકતા નથી, એમ માને છે તે બરાબર નથી, જે તમારા કથન પ્રમાણે માનવામાં આવે તે પુરૂષાર્થ વગેરેમાં કારણતા સિદ્ધ કરનારા પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણે છે તે પ્રમાણે સાથે અવશ્ય-વિરોધાભાસ થશે, માટે તે વિરોધ દર કરવાને નિયતિની સાથે પુરુષાર્થ વગેરે પણ કારણભૂત છે એવું સ્વીકારવું જ જોઈએ સૂ.૮ શ્રી ભગવતી સૂત્ર : ૧ २०७
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy