SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ષણરૂપ શરીરજન્ય માની રહ્યા છે. એ જ પ્રમાણે વીર્યને વાણી અને મનજન્ય પણ માનવું જોઈએ. તાત્પર્ય એ છે કે–તમે એમ કહો છો કે શરીરવાળા જીવનું વીર્ય શરીરથી જન્ય હોય છે, પણ વચન અને મનથી જન્ય હોતું નથી. એમ શા કારણે કહો છે? કારણ કે જેવી રીતે જીવનું વિશેષણ શરીર છે, એવી રીતે વચન અને મન પણ જીવન વિશેષણ છે. તેથી ઉદ્દેશ્યાવચ્છેદક જેવું શરીર છે એજ પ્રમાણે ઉદ્દેશ્યતાવચ્છેદક વચન અને મન પણ હોવાં જોઈએ? ઉત્તર–જે કે શરીર, વચન અને મનથી યુક્ત જે જીવ છે તે જીવના પરિણામ વિશેષ વીર્ય છે. આ રીતે સકરણક વીર્યમાં શરીરજન્યત્વની જેમ મન અને વચનનું જન્યત્વ પણ સંભવી શકે છે. છતાં પણ “પ્રધાન (મુખ્ય વસ્તુ) ની અપેક્ષાએ જ વ્યવહાર થાય છે. ” એ નિયમ અનુસાર શરીર, વચન અને મન, એ ત્રણેમાં શરીરની જ પ્રધાનતા છે-વચન અને મનની નથી. કારણ કે તે અને શરીરના આશ્રિત હોય છે. શારીરાધિષ્ઠાનજેમનું અધિષ્ઠાન શરીર જ છે. તે વચન અને મનનું શરીર ન હોય તે અસ્તિત્વ જ સંભવી શકતું નથી. તેથી વીર્યમાં શરીરજન્યવ જ કહેવામાં આવેલ છે. વળી એ વાત સર્વજ્ઞપ્રરૂપિત હોવાથી સકરણુક વીર્યને શરીરજન્ય જ માનવું જોઈએ. એ કારણે જ “ોચમ! સીરપ વીgિ” આ વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે, એવું કહેલ છે. ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! શરીર શાથી ઉત્પન્ન થાય છે? પ્રભુએ જવાબ આપ્યો કે હે ગૌતમ! શરીર જીવથી ઉત્પન્ન થાય છે. એટલે કે જીવરૂપ કારણવિશેષને લઈને જ શરીરની ઉત્પત્તિ થાય છે. પ્રત્યક્ષમાં પણ એજ જોવામાં આવે છે કે ગર્ભથી લઈને અંતિમ શ્વાસોચ્છવાસ સુધી શરીર જીવાધિષ્ઠિત જ હોય છે. જો કે શરીરને માટે એકલે જીવ જ કારણરૂપ નથી, કર્મ પણ કારણરૂપ છે, પણ જે કર્મ થાય છે તે પણ જીવકૃત જ હોય છે તેથી કર્મ કરતાં જીવમાં પ્રધાનતા છે, અને “પ્રધાનની અપેક્ષાએ જ વ્યવહાર થયા કરે છે.” તે ન્યાયને આધારે શરીરનું કારણ જીવને ગણ્યા છે. પ્રમાદ આદિ પદોમાં ઉત્પાદક-ઉપાદ્યની શૃંખલાનું જે કથન કરવામાં આવ્યું છે તેમાં પ્રયોજન શું છે? તેના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે “પૂર્વ સાર” ઇત્યાદિ. શરીર જીવથી ઉત્પન્ન થાય છે, એ વાતનું પ્રતિપાદન થઈ ગયું છે. એટલે જ હવે તે શરીરમાં ઉત્થાન આદિ ક્રિયાઓ થાય છે, એ વાતને સૂત્રકાર પ્રકટ કરે છે– “૩zz ઘા” ઉથ્વભવન (ઉભા થવું) રૂપ ક્રિયાવિશેષતું નામ ઉત્થાન છે. અહીં “રુતિ” શબ્દ તે ઉપદર્શન અર્થમાં વપરાય છે. “ના” શબ્દ વિકલ્પ અને સમુચ્ચય અર્થને સૂચક છે. “જો વા” ઉપણું (ઉપર ફેંકવું), પ્રક્ષેપણ (ચારે બાજુ ફેંકવું) તથા ભ્રમણ વગેરેરૂપ ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. “પહેર્ ઘા” શરીરના સામર્થ્યનું નામ બળ છે “વારિર્ વા ” જીવથી ઉત્પન્ન થતી શક્તિનું નામ વીર્ય છે. “પુરિસપોર શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૦૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy