SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થયેલ ગની ઉત્પત્તિ વીર્યથી થાય છે. વર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષપશમથી ઉત્પન્ન થતા જીવનાં જે પરિણામવિશેષ (ઉત્સાહી છે તેને જ વીર્ય કહે છે. તે વીર્યની ઉત્પત્તિ શરીરથી થાય છે. તેને આશય આ પ્રમાણે છે વીર્ય બે પ્રકારનું હોય છે-(૧) સકરણક અને (૨) અકરણક. લેશ્યાથી રહિત તથા સમસ્ત રેય અને દશ્ય પદાર્થોને કેવળજ્ઞાન અને કેવળદર્શનથી જાણનાર, સર્વજ્ઞ કેવળી ભગવાનનું જે અપરિસ્પન્ટ (ચેષ્ટી વિનાનું) અપ્રતિઘ (અખલિત) પરિણામ (ઉત્સાહ) છે. તેને “અકરણુક વીર્ય” કહે છે. તે અકરણક વીર્યને ઉલ્લેખ અહીં કર્યો નથી. પણ અહીં તે સકણિક વીર્યને જ ઉલ્લેખ કરેલ છે, કારણ કે તેને જ અધિકાર છે. તે સકરણ, વીર્યનું સ્વરૂપ આ પ્રમાણે છે-લેસ્યાથી યુક્ત તથા મન, વચન અને કાયારૂપ ગવાળા જીવને જે પરિસ્પન્દાત્મક (ચેષ્ટાવાળે) વ્યાપાર છે એને જ “સકરણક વીર્ય ” કહે છે. એવા સકરણક વીર્યનું જનક શરીર જ છે. કારણ કે શરીર વિના આ પ્રકારના વીર્યની ઉત્પત્તિ થવી અસંભવિત છે. જે કે જીવના પરિણામ વિશેષરૂપ જે વીર્ય છે તે જીવથી જ ઉત્પન્ન થાય છે-શરીરથી નહીં પરંતુ શરીર વિનાને જે જીવ હોય તેની મારફત એવું પરિણામ સંભવી શકતું જ નથી. તેથી જ અહીં શરીરસંપન્ન જીવના પરિણામને વીર્ય કહેવામાં આવેલ છે. બાધકની ગેરહાજરીમાં ઉદ્દેશ્યતાવછેદક ધર્મ વિધેયને પ્રત્યેજક થાય છે. ઉદ્દેશ્યમાં રહેનાર ધર્મને ઉદ્દેશ્યાવચ્છેદક કહેવામાં આવે છે. અહીં શરીરસહિત જીવ ઉદ્દેશ્ય છે જેમકે ધનવાજૂ સુથ્વી” અહીં સુખરૂપ કાર્યનું ઉદ્દેશ્યાવચ્છેદક ધન પ્રોજક હોય છે. કારણ કે જ્યાં સુધી પુરૂષની પાસે ધન હોય છે ત્યાં સુધી તેને સુખ રહે છે. ધનના અભાવમાં સુખને અભાવ થઈ જાય છે. એ જ પ્રમાણે આ વિષયમાં પણ શરીર, વચન અને મનથી યુક્ત જે જીવ છે તેનું જ પરિણામ વીર્ય છે. આ પ્રમાણે આમાં પણ ઉદ્દેશ્યતાવછેદક શરીર છે અને વીર્ય વિધેય છે. વય જીવનું પરિણામ હોવા છતાં પણ ઉશ્યતાવચ્છેદક શરીર વીર્યનું પ્રાજક છે. એટલા માટે જ વીર્યને શરીરજનિત કહેવામાં આવે છે. તેથી અહિં વીર્યને સકરણુક વીર્યરૂપે કહ્યું છે. કરણ સહિત હોય તેને સકરણુક કહે છે. અહીં કરણ શરીર છે. આ રીતે આ વિષયમાં પણ વીર્ય શરીરજન્ય સિદ્ધ થઈ જાય છે. શરીરના વ્યાપારના અભાવે અગી કેવલી ભગવાનનું અકરણ વીર્ય કહેવાય છે, તેથી અહીં અગી કેવલી ભગવાનમાં જે વીર્ય છે તે શુદ્ધ જીવનું જ પરિણામ છે. જ્યારે શરીરયુક્ત જીવમાં જે વીર્ય છે તે શુદ્ધ જીવનું પરિણામ નથી, તે તે શરીર સ્પંદન-કંપનયુક્ત જીવનું પરિણામ છે. શંકા–જેવી રીતે શરીરયુક્ત જીવનના પરિણામરૂપ વીર્યને આપ વિશે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૦૫
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy