SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી પણ રહે છે, તેથી તે કૃત, ચિત અને ઉપચિતમાં ત્રણ કાળની ક્રિયાઓ બતાવવા ઉપરાંત સામાન્ય ક્રિયાના કાળને લાંબાકાળ સુધીની સ્થિતિના સત્તાકાળને બતાવવાને માટે ચિરાવસ્થાનસ્વરૂપ કૃતત્વ ચિતત્વ આદિ ધર્મની અપેક્ષાએ કત. ચિત અને ઉપસ્થિત એ ત્રણેને સામાન્ય કિયાનાં સૂચક પદ કહેવામાં આવ્યાં છે. જે કર્મો ઉદીરણારૂપ, વેદનારૂપ અને નિજીર્ણરૂપ હોય છે તે લાંબા કાળ સુધી રહેતાં નથી. તેથી ત્રિકાળવતી ક્રિયા દ્વારા જ ઉદીરણ, વેદન આદિનું સ્થન કરાયું છે. તેનો ભાવ એ છે કે ઉદીરણા આદિનું ઘણા કાળ સુધી અસ્તિત્વ રહેતું નથી. તે કારણે તેમના વિષયમાં સામાન્ય કાળનું પ્રતિપાદન ન કરતાં ફક્ત ત્રણ કાળની ક્રિયાઓનું જ કથન કરવામાં આવ્યું છે. કારણ કે તેમનામાં ત્રિકાળવતી ક્રિયા હોય છે, પણ સામાન્ય ક્રિયા હોતી નથી, આ સૂટ ૨ જીવો કાંક્ષામહનીય કર્મનું વેદન કરે છે, એવું પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. એવાં કર્મોનું છેદન કરવાના કારણે કયાં કયાં હોય છે આ રીતે કારણેનું પ્રતિપાદન કરવાને માટે પ્રસ્તાવના પૂર્વક સૂત્રકાર સૂત્ર કહે છે. બીયા i મંતે ! વણામોર્જાિ વેતિ” ઈત્યાદિ. (નીવા બે મંતે! સંગ્રામળિ વર્ષ વેતિ) હે પૂજ્ય ! શું જીવો કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે ? (દંતા જોયવેરિ) હા, ગૌતમ ! જીવે કાંક્ષાહનીય કમનું વેદન કરે છે. ( i મતે ! વીના વામોળિજું જન્મે વેતિ) હે પૂજ્ય ! જીવો કાંક્ષાહનીય કર્મનું વેદન કયા પ્રકારે કરે છે? (गोयमा ! तेहि तेहिं कारणेहिं संकिया, कंखिया, वितिगिच्छिया, भेयसमावन्ना, વસ્તુસરમાવા, ઘઉં સંજુ વીવા વણામોળિ વ વેતિ) હે ગૌતમ ! તે તે કારણો વડે શક્તિ થઈને કાંક્ષિત થઈને, વિચિકિત્સાયુક્ત થઈને, ભેદ. સમાપન્ન થઈને, કલુષસમાપન્ન થઈને જીવો કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે. ટીકાઈ-ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને વિનયપૂર્વક પૂછયું, “હે ભદન્ત ! શું જીવો કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે?” પ્રભુએ જવાબ આપે “હા. તેઓ તેનું વેદન કરે છે. શંકા–આગળના પ્રકરણમાં જ એ વાત બતાવવામાં આવી છે, કે જીવો કાંક્ષામહનીય કર્મનું વેદન કરે છે, વગેરે તે અહીં તેના વેદનના સંબંધમાં ફરીથી પ્રશ્ન પૂછવો તે યોગ્ય નથી. ઉત્તર–શંકા ઠીક છે. પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તે વેદનના કારણોનું પ્રતિપાદન કરવા માટે પૂછાય છે. આ રીતે પુનરુક્તિ દેષ લાગતું નથી. જે વાત પહેલાં કહેવાઈ હોય એજ વાત શાસ્ત્રકાર ફરીથી કહે છે તે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૯૫
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy