SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ દંડકે વૈમાનિક સુધીના કહેવામાં આવ્યાં છે એવાં જે દંડકે અહીં કહેવા જોઈએ. હવે સૂત્રકાર કાંક્ષામહનીયકર્મમાં વર્તમાનકાળની ક્રિયા જન્યતા દર્શાવવાને માટે કહે છે કે “ર્વ તિ” જીવ વર્તમાનકાળમાં પણ આ કાંક્ષામહનીયકર્મનું ક્રિયા દ્વારા ઉપાર્જન કરતા રહે છે. આ વર્તમાનકાળ વિષયક કાંક્ષામેહનીયકર્મના પ્રકરણમાં પણ નારકીના દંડકથી લઈને વૈમાનિકે સુધીનાં દંડકે વર્તમાન કિયાની અપેક્ષાઓ કહેવાં જોઈએ. ભવિષ્યકાળમાં પણ જીવ કાંક્ષાહનીય કર્મનું ક્રિયા દ્વારા ઉપાર્જન કરશે, એ વાત દર્શાવવાને માટે સૂત્રકાર ફરમાવે છે કે “gવં શરિરતિજેમ જીવેએ ભૂતકાળમાં આ કાંક્ષામેહનીયકર્મનું કિયાદ્વારા ઉપાર્જન કર્યું છે, તેમ ભવિષ્યકાળમાં પણ તેઓ કરશે. અહીં પણ નારકીના જીવોથી લઈને વૈમાનિકે સુધીના ભવિષ્યકાળ વિષયક દંડક ભવિષ્યકાળની ક્રિયાને જોડીને કહેવાં જોઈએ. કૃતકર્મને જ ચય, ઉપચય વગેરે થાય છે. તેથી સૂત્રકાર હવે તે વાતને દર્શાવવાને માટે “gવં નિg” ઈત્યાદિ સૂત્રો કહે છે. કહેવાનો આશય એ છે કે જે કમ ઉપાર્જિત હોય છે, તેનોજ ચય, ઉપચય આદિ થાય છે, તેથી તે કર્મમાં ચય, ઉપચય આદિ દર્શાવવા ગ્ય જ છે. કર્મમાં પ્રદેશ અનુભાગ આદિની વૃદ્ધિ થવી તેનું નામ “શ” છે. જ્યારે કાંક્ષામેહનીય કામમાં પ્રદેશ, અનુભાગ વગેરેથી વૃદ્ધિ થાય છે ત્યારે તે “ચિત કહેવાય છે. તેનામાં આ ચિત (ચયન) ત્રિકાળવિષયક હોય છે. જીવોએ આ કાંક્ષા. મેહનીયને ચય ભૂતકાળમાં કર્યો છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યકાળમાં પણ કરશે. “gિ , વિનંતિ, વિનિરવંતિ” આ પદે દ્વારા સૂત્રકારે ‘ય’માં ત્રિકાળતા દર્શાવી છે. નિળિg » પદથી તેમાં ભૂતકાળ વિષયતા, “જિuiતિ” પદથી તેમાં વર્તમાન કાળ વિષયતા, અને “ વિવિંતિ” પદથી તેમાં ભવિષ્યકાળવિષયતા પ્રગટ થાય છે. કવિ –પ્રદેશ, અનુભાગ આદિની વારંવાર વૃદ્ધિ થવી તેનું નામ ઉપચય” છે-જ્યારે કાંક્ષામેહનીય કર્મમાં પ્રદેશ, અનુભાગ આદિ વારંવાર વધતા રહે છે ત્યારે તેને ઉપચિત કહે છે. તેમાં તે ઉપચય ત્રિકાળવિષયક થાય છે-જીએ કાંક્ષાહનીયકર્મને ઉપચય ભૂતકાળમાં કર્યો છે, વર્તમાનકાળમાં કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ તેનો ઉપચય કરશે. “વવાળિસ, saવિMત્તિ, કવનિર્નિંતિ” આ ક્રિયાપદે વડે સૂત્રકારે “ઉપચય ની ત્રિકાળ વિષયતા પ્રગટ કરી છે. “વ ળણું” પદ વડે ભૂતકાળવિષયતા, “વનિર્ધાત” પદ વડે વર્તમાનકાળ વિષયતા અને વિíિતિ” પદ્ધ વડે ભવિષ્યકાલવિષયતા દર્શાવવામાં આવેલ છે. એ વાત તે આગળ કહેવાઈ ગઈ છે, કે કર્મોમાં પ્રદેશ, અનુભાગ (કર્મફળ) આદિને વધારે છે તેનું નામ “ચય” છે, અને પ્રદેશ અનુભાગ આદિમાં વારંવાર વૃદ્ધિ થવી તેનું નામ “ઉપચય ” છે. અથવા-કર્મપુદ્ગલેનું માત્ર ઉપાદાન (ગ્રહણ) કરવું તેનું નામ “ચય છે. અને અબાધાકાળ સિવાયના અન્યકાળમાં ગ્રહણ કરવામાં આવેલાં કર્મ પુદ્ગલેનું વેદન કરવાને માટે જે નિચન નિષેક (સંચય) છે તેનું નામ “ઉપચય” છે. નિષેચનનું સ્વરૂપ આ પ્રમાણે છે-પ્રથમ સ્થિતિમાં જીવ બહુતર કર્મલિકેનું શ્રી ભગવતી સૂત્ર: ૧ ૧૯૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy