SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના શરીરના અવયવથી એટલે એક ભાગથી પદાર્થના એક દેશ રૂપ અવયવનું આચ્છાદન કરી શકે છે. કેઈ શરીરના અવયવથી અવયવીરૂપ સંપૂર્ણ પદાર્થનું આચ્છાદન કરી દે છે, કઈ સમસ્ત શરીર વડે પદાર્થના એક દેશ (ભાગ) નું આચ્છાદન કરી દે છે અને કઈ સમસ્ત શરીર વડે સમસ્ત પદાર્થનું આચ્છાદન કરી દે છે. આ રીતે (૧) અવયવ દ્વારા અવયવમાં કિયા, (૨) અવયવદ્વારા અવયવીમાં કિયા, (૩) અવયવી દ્વારા અવયવમાં કિયા અને (૪) અવયવી દ્વારા અવયવીમાં કિયા-આ ચાર ભાંગા રૂપ ભેદ થઈ જાય છે. એ ચાર ભાંગામાંથી કયા ભાંગાની અપેક્ષાએ જીવ કાંક્ષાહનીય કર્મને બંધ બાંધે છે–એટલે કે ક્રિયા કરવાના આ ચાર ભાંગામાંથી ક્રિયા કરવાની કઈ પદ્ધતિ દ્વારા આત્મા કાંક્ષા મેહનીય કર્મને બંધ બાંધે છે? એ પ્રશ્ન રૂપ વાતને “તે મંતે ! ફ્રિ સેળ રે ? ળિ જે છે? સર્વેoi પિરે છે? સર્વેમાં સરે છે?” આ સૂત્રપાઠ દ્વારા દર્શાવવામાં આવેલ છે કે–(૧) હે ભદન્ત ! શું જીવના એક અંશરૂપ દેશથી કાંક્ષામહનીય કર્મને એક અંશ કરાયે હોય છે? કે (૨) જીવન એક અંશ દ્વારા સમસ્ત કાંક્ષામહનીય કર્મ કરાયું હોય છે? કે (૩) જીવના સર્વ અંશ દ્વારા કાંક્ષામહનીય કર્મને એક અંશ કરા હોય છે. ? કે (૪) જીવના સર્વ અંશ દ્વારા સમસ્ત કાંક્ષા મોહનીયકર્મ કરાયું હોય છે? પ્રભુએ એ પ્રશ્નોનો આ પ્રમાણે ઉત્તર આપે છે-હે ગૌતમ! જીવન એક દેશ દ્વારા તે કક્ષાહનીય કર્મ એક દેશરુપે કરાતું નથી, અને જીવના એક દેશ દ્વારા પણ તે કાંક્ષાહનીય કર્મ સવંશ રૂપે કરાતું નથી, અને જીવના સર્વાશે દ્વારા તે કાંક્ષામહનીયકર્મ એદેશરૂપે કરાતું નથી, પરંતુ જીવના સર્વાશ દ્વારા જ તે કાક્ષામેહનીય કર્મ સવંશે કરાયું છે, આ પ્રમાણે ક્રિયા કરવાની ચાર પદ્ધતિમાંથી અહીં છેલી પદ્ધતિ લેવામાં આવી છે. શંકા–“સદને સવે કે ” એટલે કે “જીવના સમસ્ત પ્રદેશ દ્વારા તે સમસ્ત કાંક્ષામહનીય કર્મ કરાયું છે” એવું આપ કેવી રીતે કહે છે? ઉત્તર--જીવન એ સ્વભાવ છે કે તે એક સમયમાં જેટલાં બાંધવા ચોગ્ય કર્મ પુદ્ગલોને બંધ બાંધે છે. તેટલાં કર્મ પુદગલોને તે પિતાના સમ સ્ત આત્મપ્રદેશે સાથે વિશિષ્ટ રૂપે અવગાઢ કરી લે છે-જેડી લે છે, તે કર્મ પુદ્ગલોનું બંધન કરવામાં જીવના સમસ્ત પ્રદેશોનો વ્યાપાર (પ્રવૃત્તિ) થાય છે. તેથી જ “સ વેoi સરવે કરે” એવું કહ્યું છે. એવું બનતું નથી કે એક સમયમાં કાંક્ષામેહનીયકર્મનો કેટલેક અંશ બંધાય, અને બીજા સમયમાં બીજે કેટલાક અંશ બંધાય, ત્રીજા સમયમાં વળી બીજે કેટલેક અંશ બંધાય, અને એ રીતે કેટલાય સમયમાં કાંક્ષામેહનીય કર્મને બંધ બંધાય, કારણ કે કાંક્ષાહનીય કર્મના સર્વાંશે એક જ સમયે જીવના સમત પ્રદેશની સાથે બંધ પામે છે, તેથી એક જ કાળમાં સમસ્ત આત્મપ્રદેશની સાથે કાંક્ષા મેહનીય કર્મ સર્જાશે બંધદશાને પ્રાપ્ત થતું હોવાથી “સર્વેમાં સર્વ ” શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૮૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy