SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે, (તથા) એ જ પ્રમાણે (માવતીબમવે) ભગવતી પ્રકટ થતાં (ામી મચાર) તે ભવ્ય (મોક્ષત્રિએ સમુપમૂચિ ચતત્તે) મોક્ષલક્ષમીને ભેટવાને માટે ઉત્કંઠિત થાય છે. વિશેષાર્થ_એ તે માત્ર કલ્પનાની વાત જ છે કે ચન્દ્રમાને ઉદય થતાં કમદવન પ્રફુલ્લિત થઈને તેને પિતાને હિતૈષી માનીને જાણે કે તેને ભેટવા ચાહે છે. કારણ કે ત્યારે તે શીતલ, મંદ, સુગંધ, સમીર-વાયુની લહેરેથી ડેલવા લાગે છે. તે કારણે દશકના મનમાં એવી કલ્પના ઉદય પામે છે કે તે પિતાના હિતૈષી ચન્દ્રને આલિંગન કરવાને માટે ઉત્સુક બન્યું છે. એ વાત તે કલ્પના માત્ર છે પણ ભગવતી (સમ્યજ્ઞાન)ને ઉદય થતાં તે ભવ્યજને મુક્તિશ્રીનું આલિંગન કરવાને માટે વાસ્તવિક ઉત્સુક બની જાય છે. કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા વિના સમ્યજ્ઞાનરૂપ ભગવતીને ઉદય આત્મામાં થતું નથી. તેથી તેવા છોને સંસારનિવાસ અર્ધપગલપરાવર્તન માત્ર જ બાકી રહી જાય છે. એ સિદ્ધાંત દ્વારા માન્ય થયેલ હકીકત છે. આ લેક દ્વારા એ વાતને જ પ્રકટ કરવામાં આવી છે. | ૮ | અન્વયાર્થ–સ્પષ્ટ છે ૯ વિશેષાર્થ—કામધેનુ અને ચિન્તામણિ તે જીની આલોકસંબંધી ચિન્તાઓને દૂર કરી શકે છે. તેમનામાં પારલૌકિક ચિન્તાઓ દૂર કરવાનું સામર્થ્ય હોતું નથી. પણ જ્યારે તે બન્ને કરતાં પણ શ્રેષ્ઠ એવું ભગવતીનું જ્ઞાન જ્યારે આત્મામાં ઉદય પામે છે ત્યારે જીવની આલેક અને પરલોકની સઘળી ચિન્તાઓ નાશ પામે છે. તેનું કારણ એ છે કે સમ્યજ્ઞાનીને આત્મા સાંસારિક સમસ્ત અવસ્થાઓને કર્મકૃત વિકાર માનીને તેમાં રાગદ્વેષ રાખતું નથી. અને “એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ સ્વભાવમાં પરિવર્તન કરી શકતું નથી, પ્રત્યેક દ્રવ્ય પોતાના જ ગુણ સ્વભાવમાં પરિણમન કરવાના સ્વભાવવાળું છે” એવું સમજીને તે જળથી ભિન્ન કમળની જેમ સંસારાવસ્થામાં પિતાની પ્રવૃત્તિ રાખે છે. તેથી કઈ પણ ચિન્તામાં એવું સામર્થ્ય હોતું નથી કે તે કઈ પણ પ્રકારે તે વીરની સામે ટકી શકે. એજ વાત આ લેકમાં સમજાવવામાં આવી છે. લા શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy