________________
અને ચોથા પ્રસ્તટને (પાથડાની) મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ કહેલ છે, એવું આપ શા કારણ કહો છો?
ઉત્તર–રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં (પાથડામાં) જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની કહી છે. તથા રત્નપ્રભા પૃથ્વીના બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ દસ લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું લાખ વર્ષની કહી છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોટી (કરોડ) પૂર્વની કહી છે. રત્નપ્રભા પૃથ્વીના ચોથા પ્રસ્તરમાં જઘન્ય સ્થિતિ એક કેટિ (કેરેડ) પૂર્વની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમના દસમાં ભાગ જેટલી કહી છે. આ રીતે પહેલી નરકના ચોથા પ્રસ્તટમાં મધ્યમ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સિદ્ધ થઈ જાય છે.
તિર્યંચના સૂત્રમાં એવું જે કહ્યું છે કે અસંશી જી ઓછામાં ઓછા અન્તર્મુહૂર્તપ્રમાણુ અને વધારેમાં વધારે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ આયુષ્યને બંધ બાંધે છે–તે કથન તિર્યંચયુગલીયાજીવોની અપેક્ષાએ જાણવું. “મનુસ્નાર્થ ઉર પર્વ રેવ” મનુષ્યના આયુષ્યના વિષયમાં પણ એમ જ સમજવું, એટલે કે જે અસંસી જે મનુષ્ય આયુષ્યને બંધ બાંધે તો ઓછામાં ઓછા અન્તર્મુહૂર્તપ્રમાણ અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્યને બંધ બાંધે છે. આ કથન પણ યુગલીયા મનુષ્યને અનુલક્ષી ને કરાયું છે. “રેવા જ્ઞાનેરપુરાષણઅસંજ્ઞીજી જે દેવતાના આયુષ્યને બંધ બાંધે તે નારકોના આયુષ્ય જેટલી જ જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિને બંધ બાંધે છે. આ કથન ભવનપતિ અને વાણવ્યંતરદેવેની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, તેમ જાણવું.
" एयस्स णं भंते ! नेरइयअसन्निआउयस्स तिरिक्खजोणियअसन्निआउयस्स मणुस्सअसन्निआउयस्स देवअसन्निआउयस्स कयरे कयरेहितो अप्पे वा बहुए વા સુસ્કે વા વિણેસાણિg a?” નિરયિક અસંજ્ઞીઆયુષ્યવાળા જીવ, તિર્યાનિક અસંજ્ઞી આયુષ્યવાળ છે, મનુષ્ય અસંસીઆયુષ્યવાળા જીવ અને દેવઅસંજ્ઞી. આયુષ્યવાળા જીવો,-એ ચારે આયુષ્યવાળા જીવમાં ક્યા જીવો કોના કરતાં અલપ છે, ક્યાં કેના કરતાં વધારે છે, ક્યા કોની બરાબર છે, અને કયા જીવો કેની કરતાં વિશેષાધિક છે? ગૌતમસ્વામીના ઉપરોક્ત ચારે પ્રશ્નોના ઉત્તર મહાવીર પ્રભુએ આ પ્રમાણે આપ્યા છે-હે ગૌતમ! તેઓમાં દેવઅસંસી આયુષ્યવાળા જીવે સૌથી અ૫ છે, મનુષ્ય અસંજ્ઞી આયુષ્યવાળા છે તેનાથી અસંખ્યાતગણી વધારે છે, તિર્યોનિક અસંસીઆયુષ્યવાળા છે તેના કરતાં પણ અસંખ્યાતગણી વધારે છે અને તિર્યનિક અસંસી આયુષ્યવાળા છ કરતાં નરયિક અસંજ્ઞી આયુષ્યવાળા જી અસંખ્યાતગણુ વધારે છે. આ પ્રમાણે “ચાણ મરે! ઈત્યાદિ સૂત્રે અસંજ્ઞી જેમાં અલ્પતા અધિક્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૮૫