________________
“જોવા-પૂર્વજન્મ, પતિ-પત્તિને નિમિત્તમબીવી
રૂરિ-રસ-લા-ગો, મિત્રો મા ગુરૂ | ? " કૌતુક. ભૂતિકમ, પ્રશ્નાપ્રશ્ન, અને નિમિત્ત મારફત પિતાને નિર્વાહ ચલાવનારા તથા દ્ધિગર્વ, રસગર્વ અને શાતા ગર્વથી ભારે બનેલા એવા જ અભિ
ગની ભાવના કરે છે. સૌભાગ્ય-શૃંગાર વગેરેને માટે સ્નાન કરવું અથવા તે લોકેને આશ્ચર્ય ચકિત કરનારી ક્રિયાઓ કરવી તેનું નામ કૌતુક છે. તાવ વગેરેના નિવારણ માટે ભસ્મ વગેરે દવાઓ આપવી તેનું નામ ભૂતિકર્મ છે. સ્વપ્ન વિદ્યાને કહેવી તેનું નામ પ્રશ્નાપ્રશ્ન છે. ઈત્યાદિ ક્રિયાઓ દ્વારા જે પિતાની આજીવિકા ચલાવે તે આંભિગિક કહેવાય છે. “ખ્રિવિંદવાવાળ” સાધુના વેષને તે ધારણ કર્યો હોય પણ જે દર્શનથી ભ્રષ્ટ થયેલ હોય એવા સાધુને “સલિંગિદર્શનવ્યાપન્નક” કહેવામાં આવે છે. દેરક મુહપત્તી, રજોહરણ આદિને ધારણ કરવા તે મુનિને વેષ કહેવાય છે, મુનિને આ પ્રકારનો વેષ ધારણ કરવા છતાં પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલ હોય એવા નિક્ષત્ર જનને સલિંગિવ્યાપન્નક કહેલ છે ઉપરોક્ત બધા જીવોની જે દેવલોકમાં ઉત્પત્તિ થાય તે કયા જીવની કયા દેવલોકમાં ઉત્પત્તિ થાય છે, એવો પ્રશ્ન ગૌતમ સ્વામીએ પૂછડ્યો છે. ત્યારે પ્રભુએ તેનો આ પ્રમાણે જવાબ દીધું છે-હે ગૌતમ! “અસંચમવિઘવાઉં.” જે અસંયત ભવ્યદ્રવ્યદેવની ઉત્પત્તિ દેવલોકમાં થાય તે તેઓ ઓછામાં ઓછા ભવનવાસી દેવોમાં અને વધારેમાં વધારે ઉપરના પ્રવેયકમાં ઉત્પન્ન થાય છે તેનાથી આગળના દેવલોકોમાં તેમની ઉત્પત્તિ થતી નથી. એ જ પ્રમાણે સંયમની જેમણે વિરાધના કરી નથી એવા જીવોની જે દેવલેકમાં ઉત્પત્તિ થાય તે ઓછામાં ઓછા સૌધર્મ દેવલોકમાં અને વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેઓ ઉત્પન્ન થાય છે. જેમણે સંયમ અંગીકાર કરીને તેની વિરાધના કરી હોય તેવાં જીવોની ઉત્પત્તિ ઓછામાં ઓછી ભવનવાસી દેવોમાં અને વધારેમાં વધારે સૌધર્મ દેવલોકમાં થાય છે.
શંકા–દ્રૌપદીએ સુકુમાલિકાના ભાવમાં સંયમની વિરાધના કરી હતી. છતાં તે મરીને ઈશાન નામના બીજા દેવલોકમાં ગઈ છે સાંભળવામાં આવ્યું છે. જ્યારે વિરાધિત સંયમવાળાને જન્મ વધારેમાં વધારે સૌધર્મકલ્પમાં થાય છે એવું કહેલ છે. તે આ વાત કેવી રીતે સંગત હોઈ શકે? શું આ કથન શાસ્ત્રથી વિરુદ્ધ થતું નથી ?
ઉત્તર-દ્રોપદીએ સુકુમાલિકાના ભાવમાં સંયમની જે વિરાધના કરી હતી તે કેવળ ઉત્તર ગુણમાં થઈ હતી–જે બકુશત્વ કરનારી હતી અર્થાત્ શરીરના ઉપકરણ તથા વિભૂષા વગેરેથી સંયમને મલીન કરનારી હતી. મૂલગુણમાં તે વિરાધના થઈ ન હતી. જ્યારે સંયમની વિરાધના મૂલગુણવિશિષ્ટ હોય છે. ત્યારે તે વિરાધના સૌધર્મકલ્પમાં જ ઉત્પન્ન કરાવનારી હોય છે–તેનાથી ઉપરના
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૮૦