SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકમાં ઉત્પન્ન કરાવનારી હોતી નથી. જે સામાન્ય વિરાધનાથી જ સૌધર્મ કલ્પપર્યત જ ઉત્પત્તિ થતી હોય તે બકુશ (એક પ્રકારના સાધુ) આદિની-કે જેઓ ઉત્તર ગુણાની પ્રતિસેવા-વિરાધના–વાળા હોય છે તેઓની અસ્કૃત આદિ દેવલોકમાં કેવી રીતે ઉત્પત્તિ થઈ શકે ? કારણ કે તેઓ પણ થોડા પ્રમાણમાં સંયમના વિરાધક તે હોય છે જ. છતાં તેમની ઉત્પત્તિ અયુત આદિ કપમાં થાય છે એમ સાંભળ્યું છે. વિલિંનમસંગના નો રોમે ” દેશવિરતિરૂપ શ્રાવકના આચાર ધારણ કરીને તેની વિરાધના ન કરનાર જીવોની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ સૌધર્મકપમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અશ્રુતક૯પમાં થાય છે. જે જીએ દેશવિરતિરૂપ પરિણામેનું વચ્ચેથી જ ખંડન કર્યું છે તેમની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ ભવનપતિ દેવોમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તિષી દેવોમાં થાય છે. મને લબ્ધિરહિત-અકામ નિરાવાળા-અસંજ્ઞી જીવોની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ ભવનવાસીઓમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાણવ્યંતરમાં થાય છે. શંકા–“રમવષ્ટિ સમર્ઘિચમરેન્દ્રનું આયુષ્ય સાગરેપમ અને બલિઈન્દ્રનું આયુષ્ય સાગરેપમથી કાંઈક અધિક, એવું કહેવામાં આવ્યું છે. આ કથન વડે અસરોની ત્રાદ્ધિ વધારે દર્શાવવામાં આવી છે, અને “વસ્ટિોવોલ દારિદા” વ્યંતરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું કહ્યું છે. આ કથન વડે તેમની અદ્ધિ અલ્પ જ બતાવી છે. તે અહીં ભવનપતિની અપેક્ષાએ વાણવ્યંતરે ને વધારે ઋદ્ધિવાળા શા કારણે બતાવ્યા છે? ઉત્તર–જેટલા આગમે છે. તે બધાં સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત થયેલાં છે તથા પ્રવાહરૂપે તેઓ બધાં નિત્ય છે. તે કારણે તેમનામાં સ્વતઃ પ્રમાણતા છે. તેમનામાં પરતઃ પ્રમાણતા નથી. તેથી પ્રમાણભૂત શાસ્ત્રના કથનમાં વિપરીતતા સંભવી શકતી નથી, તથા તે સર્વજ્ઞનું કથન છે તેથી એવું અનુમાન કરવું જોઈએ કે કઈ કઈ ભવનપતિદેવો એવા પણ હોય છે કે જેમની ત્રાદ્ધિ વાણુવ્યંતર દેવોથી ઓછી હોય છે અને કઈ કઈ વ્યંતરદેવો એવા હોય છે કે જેમની રદ્ધિ ભવનપતિથી વધારે હોય છે તેમની અપેક્ષાએ જ અહીં વાણવ્યંતરમાં મહાદ્ધિત્વ બતાવવામાં આવેલ છેઆ રીતે અહીં કે વિરોધાભાસ રહેતું નથી “કાલા સરવે ન મળવાણિયુ” તાપોથી લઈને સલિંગિ દર્શનવ્યાપન્નક સુધીના બાકીના બધા જીવોની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ ભવનવાસી દેવોમાં થાય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ તાપસની ઉત્પત્તિ જ્યોતિષી દેવોમા. કાંદપિકની ઉત્પત્તિ સૌધર્મક૯૫માં, ચરક પરિવ્રાજકની બ્રહ્મક શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૮૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy