________________
જે જીવ સમ્યગ્દષ્ટિ હોય છે તે અણુવ્રત, મહાવ્રત, બાલતપ અને અકામ નિર્જરા વડે દેવતાના આયુષ્યને બંધ બાંધે છે પણ તે કથન બરાબર નથી, કારણ કે જે અસંયત ભવ્યદ્રવ્યદેવ છે તેમને ઉપપાત દ્રવ્યચારિત્રની આરાધનાથી વધારેમાં વધારે ઉપરિમ પ્રિવેયક સુધી જ કહ્યો છે. જેમાં દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે તેમને ઉપપાત તે ઉપરિમ ગ્રેવેયક દેવનિકાયમાં થતો જ નથી. કારણ કે દેશવિરતિ શ્રાવકોનું અશ્રુત દેવલેકથી ઉપરના ભાગમાં ગમન કહ્યું નથી. તથા તે અસંયત ભવ્યદ્રવ્યદેવ નિદ્ભવ પણ નથી, કારણ કે નિવોનું આ સૂત્રમાં ભિન્નરૂપે કથન થયું છે. તે કારણે અસંયત ભવ્યદ્રવ્યદેવને મિથ્યાદષ્ટિ જીવો જ સમજવા. પછી ભલે તે ભવ્ય હોય કે અભય હોય. તે અસંયત ભવ્યદ્રવ્યદેવ શ્રમણના ગુણોને ધારણ કરે છે, સમસ્ત સામાચારી અને અનુષ્ઠાનથી યુક્ત રહ્યા કરે છે, પણ તેઓ દ્રવ્યલિંગી હોય છે-ભાવલિંગી હોતા નથી. તેથી અહીં “અસંયતભવ્યદ્રવ્યદેવ ” પદ દ્વારા દલિગને ધારણ કરનાર શ્રમણગુણસંપન્ન સાધુ જ ગ્રહણ કરવાના છે એમ સમજવું. તેઓ માત્ર કિયાના પાલનના પ્રભાવથી જ ઉપરિમરૈવેયકમાં ઉત્પન્ન થાય છે. તેઓ સાધુના બધા અનુષ્ઠાન કરે તે છે, પરંતુ ચારિત્રના પરિણામથી (ભાવથી) રહિત થઈને જ કરે છે, તેથી તેમને અસંત કહ્યા છે.
શંકા–ભવ્ય અથવા અભવ્ય મિથ્યાષ્ટિ જીવોને શ્રમણ ગુણના ધારણ કરનારા કેવી રીતે કહી શકાય? કારણ કે તેમનામાં શ્રમણગુણધારકતા અસંભવિત છે.
ઉત્તર–જે કે તેમનામાં મિથ્યાદર્શનરૂપ દર્શન મેહનો ઉદય હોય છે, છતાં પણ ચકવીત વગેરે અનેક મહારાજાઓ વડે સાધુઓનો સત્કાર થત જઈને તેમના મનમાં પણ એવાં માન સત્કાર વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. અને એ કારણે પ્રત્રજ્યા અને ક્રિયાઓના અનુષ્ઠાન પ્રત્યે તેમને રુચિ ઉત્પન્ન થાય છે તેથી તેઓ શાસ્ત્રોક્ત કિયામાત્રને મોક્ષ બુદ્ધિએ નહીં પણ સંસાર બુદ્ધિએ અનુષ્ઠાન કરનારા બની જાય છે. “કવિતાસિંષમાળ” કારણુ વાત દેષ થવાનો સંભવ હોવા છતાં પણ જેઓ આલેચના વગેરે કરીને પિતાના સંયમને વિરાધના યુક્ત કરતા નથી તે જીવોને અવિરાધિત સંયમવાળા કહેવામાં આવે છે. એટલે કે દીક્ષાકાળથી લઈને જેમણે પિતાના સંયમના ભાવનો ત્યાગ કર્યો નથી. તેમને અવિરાધિત સંયમવાળા કહેવામાં આવે છે. સંવલન કષાયના
ગથી અથવા પ્રમત્તગુણસ્થાનને કારણે તેમનામાં શેડા માયાદિ દેજે સંભવી શકે છે ખરા, પણ તે મુનિઓ આલેચના વગેરે કરીને ચારિત્ર પરિણામથી ચલિત થતા નથી. “વિચિરંગમાળે” દીક્ષા લીધી ત્યારથી જ માયાદિ દોષ દ્વારા જેમને સંયમ ( ચારિત્ર) ખંડિત થતું રહે છે તે ને વિરાધિત સંયમવાળા કહે છે “વિરાહિમાવંજમા” જ્યારથી સંયમસંયમ (દેશવિરતિરૂપ ચારિત્ર) અંગીકાર કર્યો છે એટલે કે જ્યારથી શ્રાવકત્રત લીધું
શ્રી ભગવતી સૂત્ર : ૧
१७७