SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ એવી રીતે બધા નારક જીવો મરી જાય પણ જ્યાં સુધી માત્ર એક જીવ પણ બાકી રહે તેવા કાળને મિશ્રકાળ કહે છે. કહ્યું પણ છે-“ઉવદ્ પ્રક્રિમ રિ હલાવિ તો મીરો ધારૂ વાવ છો વિ” મરતાં મરતાં જે કાળમાં એક જ નારક જીવ બાકી રહે છે તે કાળને મિશ્રકાળ કહે છે. “સિરિઝોજિસારવિદ્રવાહ પુછે” જ્યારે તિર્યંચનિક જીવોના સંસારસંસ્થાનકાળના વિષયમાં ગૌતમે પ્રશ્ન પૂછયો ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે હે ગૌતમ! તિર્યચનિક જીવોને સંસારસંસ્થાનકાળ અશૂન્યકાળ અને મિશ્રકાળની અપેક્ષાએ બે પ્રકાર છે. તેમનામાં શૂન્યકાળ હોતો નથી. કારણ કે ત્યાં તેને સદ્ભાવ જ હોતું નથી. કેવળ મિશ્રનારકસંસારસંસ્થાનકાળનો વિચાર કરનાર આ સૂત્ર વર્તમાનકાળ સંબંધી નારકભવને અંગીકાર કરીને તેનો વિચાર કરવામાં પ્રવૃત્ત થયું નથી, પરંતુ વર્તમાનકાલિક નારક જીવોની બીજી ગતિના ગમન વડે ફરીથી ત્યાં જ ઉત્પત્તિ થવાની બાબતને વિચાર કરવામાં પ્રવૃત્ત થયું છે. જે કદાચ એવું માનવામાં આવે કે વર્તમાનકાલિક નારકભવને જ વિચાર કરવામાં આ સૂત્રપ્રવૃત્ત થયું છે તે અશૂન્યકાળ કરતાં મિશ્રકાળમાં અનંતગુણત્વનું કથન કે જે સૂત્ર દ્વારા પ્રતિપાદિત થયું છે તે સંગત થઈ શકે નહીં. કહ્યું પણ છે " एयं पुण ते जीवे, पडुच्च मुत्तं न तब्भवं चेव । નર ન્ન તમવંતો, અનંતો ન હંમરૂin આ સૂત્ર તે જીવોના તે ભવને આશ્રય લઈને કહેવામાં આવ્યું નથી. જે તેમને તે ભવને આશ્રય લઈને આ સૂત્ર કહેવામાં આવ્યું છે એમ માનવામાં આવે તે અનંતકાળનો સંભવ રહેતો નથી. એટલે કે અશુન્યકાળ કરતાં મિશ્રકાળમાં અનંતગણાપણું સંભવી શકતું નથી. શંકા-શા કારણે અશૂન્યકાળ કરતાં મિશ્રકાળમાં અનંતગણાપણું સંભવી શકતું નથી? ઉત્તર–જે નારકે વર્તમાનકાળમાં વિદ્યમાન (મેજૂદ) છે, તેમનું ઉદ્વર્તન તેમના આયુષ્યકાળને અન્ત થાય છે. તેમનું આયુષ્ય તે અસંખ્યાતકાળનું જ હોય છે. તે કારણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ બાર મુહૂર્તના અશૂન્યકાળ કરતાં સૂત્રપ્રતિપાદિત મિશ્રકાળમાં અનંતગણુપણું સંભવી શકતું નથી. કહ્યું પણ છે " किं कारणमाइट्ठा नेरइया, जे इमम्मि समयम्मि। ते ठिइकालस्संते जम्हा, सव्वे खविज्जंति" ॥ વર્તમાનકાળમાં જેટલા નારકજીવે છે તેઓ બધા પિતપોતાના સ્થિતિ કાળને અંતે નરકમાંથી નીકળે છે. તેમના ઓછા વધુપણાના પ્રશ્નને વિચાર આ પ્રમાણે કર્યો છે-“ચ મંતે ! ચિરસ સારસંવિના સુન્નાઇરસ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૭૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy