________________
કેટલા પ્રકારને કહ્યું છે?” આ પ્રશ્નમાં “જીવ” પદ દ્વારા સામાન્ય જીવો ગ્રહણ કરવામાં આવેલ નથી પણ નારક આદિ વિશેષણોથી યુક્ત જીવો ગ્રહણ કરેલ છે. એ વાત “આદિષ્ટ' પરથી જાણી શકાય છે. આ નારકજીવો છે, આ તિર્યંચ જીવો છે. આ મનુષ્ય જીવે છે, આ દેવજીવો છે. આ રીતે જે જીવ વિશેષિત થાય છે તેનું આદિષ્ટ-વિવક્ષિત પદ સૂચન કરે છે. પસાર થયેલ ભૂતકાળને (કર્તત દ્ધા) અતીતકાળ કહે છે-એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરવારૂપ ક્રિયાનું નામ સંસાર છે. તે સંસારની જે અવસ્થાન ક્રિયા છે તેને સંસારસંસ્થાન કહે છે તેને જે કાળ (અવસર) છે તેને સંસારસંસ્થાનકાળ કહે છે.
અનિર્દિષ્ટ ( નિર્દેશ કર્યા વિના) નામવાળે અમુક જીવ ભૂતકાળમાં કઈ કઈ ગતિમાં રહેલે હતો ? તેના જવાબમાં મહાવીર પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! જીવને સંસારસંસ્થાનકાળ ઉપાધિ ભેદથી ચાર પ્રકાર છે-(૧) નારકસંસારસંસ્થાનકાળ, (૨) તિર્યંચ પેનિક સંસારસંસ્થાનકાળ, (૩) મનુષ્ય સંસારસંસ્થાનકાળ અને (૪) દેવસંસારસંસ્થાનકાળ. તેમાં નારકસંસારસંસ્થાનકાળના (નારકભવ સંબંધી સ્થિતિ કાળના) ત્રણ પ્રકાર છે-(૪) શૂન્યકાળ, (૨) અશુન્યકાળ અને (૩) મિશ્રકાળ. શૂન્યકાળનો ભાવાર્થ આ પ્રમાણે છે-સાતે પ્રવીએ માં ( નરકમાં ) વર્તમાન સમયે જેટલા નારકજીવો મોજૂદ છે. તેઓ ત્યાંથી નીકળી જાય-એટલે કે, મરીને બીજી ગતિમાં જાય–તેમાં કોઈ એક પણ જીવ જે સમયે બાકી રહે નહીં તે સમયને શૂન્યકાળ કહે છે. એટલે કે સાતે પૃથ્વીઓ (નરક)માં એક પણ નારકજીવ જ્યારે બાકી ન રહે એટલે કે બધાં નારક મરીને જે સમયે તે સ્થાનને બિલકુલ ખાલી કરી નાંખે તે સમયને શૂન્યકાળ કહે છે. કહ્યું પણ છે કે-“નિવિ બૅહિં વડ્ડમાહૈિં જો ” વર્તમાન સમયમાં જેટલાં નારક જીવો નરકમાં છે તે બધા નારકજીવોથી તે સ્થાન નિર્લિપ્ત (ખાલી) થઈ જાય ત્યારે તે સમયને શૂન્યકાળ કહેવાય છે. સાતે નરકમાં વર્તમાનકાળમાં જેટલા નારકે છે તેમને એક પણ જીવ ત્યાં સુધી મરતો નથી અને બીજો કોઈ જીવ ત્યાં આવીને જ્યાં સુધી જન્મતે નથી પણ ત્યાં જેટલા નારકે છે તેટલા જ ત્યાં કાયમ રહે છે એ સમયને નારની અપેક્ષાએ અશૂન્યકાળ કહે છે. કહ્યું પણ છે– ___“ आइट्ठसमइयाणं णेरइयाणं, न जाव एक्को वि।
उव्वट्टइ अन्नो वा उववज्जइ, सो असुन्नो उ ॥१॥" વિવક્ષિત (વર્તમાન) સમયમાં જેટલા નારકજીવો છે તેમાને કોઈ પણ જીવ ન મરે અને બીજે કઈ પણ જીવ ત્યાં ઉત્પન્ન ન થાય એવા કાળનું નામ અશૂન્યકાળ છે. સાતે પૃથ્વીએ (નર) માંથી જ્યારે એક, બે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
१७०