________________
આનંદ કરે છે-અન્ય સરવામાં નહીં, મૈત્રીભાવ મનમાં જ સ્થાન જમાવે છે. અન્ય ઇન્દ્રિમાં નહીં, આ વાત જેમ સ્વાભાવિક ગણાય છે તેમ એ પણ એક સ્વાભાવિક વાત છે કે પ્રભુની દેશનારૂપ આ ભગવતીરૂપ ભાવથુત પણ ભવ્ય જનાજ હૃદયમાં સ્થાન જમાવે છે અભનાં હૃદમાં નહીં આપા
અન્વયાર્થ—(તરવવાં) જીવાદિક તત્વરૂપ રસને ઉત્પન્ન કરનારી એટલે કે તેના વાસ્તવિક સ્વરૂપને બતાવનારી (મામાનુભૂતિમતતિબકુષ્ટામ્) તથા આત્માની
અનુભૂતિરૂપ પરાગપુંજ (પુષ્પરજ)થી યુક્ત એવી (gz) આ (માવતીમરાત્રિ) ભગવતીરૂપ કમળપંક્તિ-કે જે (નિત્યં નવાં) નિત્ય નવીન જ લાગ્યા કરે છે, અને જે (લુણાવાં) અવ્યાબાધ સુખને ઉત્પન્ન કરે છે, તેનું (મરિનો મિસ્ટિા ) જે ભવ્યજીવ રૂપ ભ્રમર (ત્તિતં નિતાં સારવારૂત્તિ) નિરંતર ઈચ્છાનુસાર અત્યંત આસ્વાદન કરે છે તેઓ (કુચિત્તા:) નિર્મળ ચિત્તવાળાં બની જાય છે.
વિશેષાર્થ–કમળાના મકરંદ ( પુષ્પરસ)નું પાન કરનારા ભ્રમરે સુચિત્ત (નિર્મળ ચિત્તવાળા) થતા નથી પણ મદેન્મત્ત થાય છે, એ વાત પ્રસિદ્ધ છે, કારણ કે વનસ્પતિકાયના રસમાં માદક્તા ઉત્પન્ન કરવાને ગુણ હોય છે તેથી તેનું પાન કરનાર જીવ જીવાદિકના યથાર્થ સ્વરૂપને જ્ઞાતા થઈ શકતો નથી, અને તે પિતાના આત્માની અનુભૂતિ પણ કરી શકતું નથી. તથા કમળપંક્તિ નિત્ય નવીન રૂપ ધારણ કરતી નથી પણ ધીરે ધીરે જીર્ણશીર્ણ થાય છે. તેના રસના પાનથી જે આનંદની અનુભૂતિ થાય છે તે કેવળ સાન્ત (અન્ત સહિતની) અને દરદયથી યુક્ત રહ્યા કરે છે પણ આ ભગવતીરૂપ કમળપતિ એવી નથી. કારણ કે તેના યથાર્થ રહસ્યરૂપ રસને અનુભવ કરવાથી જીવને જીવાદિક તના જ્ઞાનની સાથે સાથે પિતાના આત્માની પણ અનુભૂતિ થાય છે. તેથી તે જીવ અશુભ કિયાએથી વિરક્ત થઈને શુભ કિયાઓના સેવનમાં લીન થઈને ધીરે ધીરે શદ્ધોપયોગમાં પહોંચી જાય છે. તે સમયની તેની તે પરિણતિ નિત્ય નવીન બનીને અવ્યાબાધ સુખની જનક બને છે. અને તે ધારા સ્થિર થતાં જ તે જીવ સુચિત્ત (નિર્મળચિત્ત) થઈને કેવળ નિજ આત્મસ્વરૂપમાં લીન બની જાય છે, એટલે કે મુકિતને અધિકારી બની જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભગવતીના રહસ્યરૂપ રસનું પાન કરવાથી જીવાદિક પદાર્થોને જ્ઞાતા બનીને જીવ ધીમે ધીમે પિતાની નબળાઈ દૂર કરીને ભેદવિજ્ઞાનના પ્રભાવથી પિતાના
શ્રી ભગવતી સૂત્ર : ૧