SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તે સૂત્ર દ્વારા બતાવેલ છે. કૃષ્ણલક્ષ્યા-દંડકમાં અને નલિયા-દંડકમાં વેદના સૂત્રમાં “શુવિહા રૂચા પwwારા સમૂચા ય ત્રિમૂચા ચ” નારક બે પ્રકારના કહ્યા છે–(૧) સંજ્ઞિભૂત અને અસંજ્ઞિભૂત” એ ઔધિક દંડકમાં સૂત્રપાઠ કર્યો છે. તે પાઠ અહીં ભણવો નહીં. કારણ કે અસંસી જે પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. “બસ હુ પઢમં ” એવું આગમનું કથન છે જ્યારે પહેલી નરકમાં (રત્નપ્રભા) કૃષ્ણલેશ્યા અને નીલેશ્યાનો અભાવ હોય છે. શંકા–જે આ પાઠ પૂર્વોક્ત રીતે બોલાવાને ન હોય તે કેવી રીતે બેલવો જોઈએ તે કહો. ઉત્તર–“માદિકાઠ્ઠિીવવાન્ના જ સમાચિસન્માવિઠ્ઠી વવવ ચ માજિક” આ પ્રમાણે તે પાઠ વાંચવો જોઈએ. માયમિથ્યાષ્ટિને મહાવેદના થાય છે કારણ કે તેઓ સૌથી અધિક અશુભ સ્થિતિને ઉત્પન્ન કરે છે. અને જ્યારે અશુભ સ્થિતિ અતિશય વધારે હોય ત્યારે મહાવેદના થાય એ સ્વાભાવિક જ છે. તથા જે અમાયિ સમ્યગ્દષ્ટિ હોય તેઓ અલ્પવેદનાવાળાં હોય છે. મજુરા વિચક્રિયાપ્રતિપાદક સૂત્રોમાં સરાગ, વીતરાગ, પ્રમત્ત, અપ્રમત્ત કહેવું નહીં. તાત્પર્ય એ છે કે “મનુષ્ય પદના કિયાસૂત્રના ઔધિક દંડકમાં છે કે મનુષ્યના ત્રણ પ્રકાર કહ્યા છે-સંયત, અસયત અને સંયતાસંયત, તેમાં સંયતના બે પ્રકાર છે–સરાગસંયત અને વીતરાગસંયત. અને સરોગસંયત પણ બે પ્રકારના કહ્યા છે–પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત, ઇત્યાદિ પાઠ ત્યાં આવેલ છે. પણ અહીં મનુષ્યવિષયક કિયાસૂત્રમાં કૃષ્ણલેશ્યા અને નલલેશ્યા દંડકમાં એવું કહેવું નહીં. કારણ કે કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યાના ઉદયમાં સંયમને ઉદય થતો નથી. એટલે કે તેના સદુભાવમાં સંયમને અભાવ કહ્યો છે, તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “ પુદવપત્તિવનો ગુણ કન્નચરણ ૩ STU” જે જીવે પૂર્વે સયંમ ગ્રહણ કર્યો હોય છે. એ કોઈ પણ જીવ સય માથામાં છ લેશ્યાઓમાંથી કોઈ પણ એક લેસ્થામાં હોઈ શકે છે. આ કથન કૃષ્ણાદિ દ્રવ્યરૂપ લેશ્યાની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. “શrsસેક્ષા વિ” કાતિલેશ્યાવાળાને સૂત્રપાઠ પણ નિલ અને કૃષ્ણલેશ્યાના સૂત્રપાઠ પ્રમાણે જ સમજ. પણ તેમાં આ પ્રકારની વિશેષતા છે.–“ર નg nિ રંg cઠ્ઠા માળવા” વેદના સૂત્રમાં નારકને ઔધિક દંડક પ્રમાણે જ સમજવા તે આ પ્રમાણે છે-નારક છવ બે પ્રકારના કહ્યા છે.-(૧) સંજ્ઞિભૂત અને (૨) અસંગ્નિભૂત. અસંગ્નિ જીવે પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે, અને ત્યાં કાપોતલેશ્યા જ હોય છે તેથી કહ્યું છે કે-“ઢેરળ ”િ તથા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૬૫
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy