SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે વધારેમાં વધારે એક હજાર વર્ષથી પણ થોડા વધારે આંતરે આહાર લેનારા અને એક પક્ષ કરતાં થોડા વધારે સમયે ઉચ્છવાસ લેનારા અસુરકુમારોની અપેક્ષાએ અલ્પશરીરવાળા અસુરકુમારો અ૫કાલિક આહાર અને ઉચ્છવાસ લેનાર હોય છે. તેથી “અમારાન્તિ અમી ઝુવાન્તિ” એવું સમજાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકસૂત્રમાં “સમી ગgરચનિત, અમીરાં ઉફૅવત્તિ ” એવું કહ્યું છે, અને એવું જ કથન અસુરકુમારોના આહાર અને ઉત્કૃવાસની બાબતમાં પણ કર્યું છે. તેથી અહીં એવી શંકા ઉદ્ભવી શકે છે કે અસુરકુમારના આભેગનિવર્તિત આહારને જઘન્યકાળ એક ઉપવાસને આંતરે અને ઉચ્છવાસને સાત સ્તકને આંતરે કહેલ છે. તે “નારક પ્રકરણમાં કહેલ શમી ગરન્તિ અમી કૃતિ” આ કથન અસુરકુમારના વિષયમાં કેવી રીતે સુસંગત હોઈ શકે? તે શંકાનું નિવારણ કરવાને માટે અહીં એવું કહેવામાં આવ્યું છે કે જે અસુરકુમારો એક હજાર વર્ષને આંતરે આહાર લે છે અને એક પક્ષ કરતાં થોડા વધારે સમયે ઉચ્છવાસ લે છે તેમની અપેક્ષાએ એક ઉપવાસને આંતરે આહાર લેનારા અને સાત સ્તોકને આંતરે ઉચ્છવાસ લેનારા અસુરકુમારોની તે ક્રિયાએને અનુલક્ષીને અભક્ષણ આહારરૂપતા અને અભીક્ષણ શ્વાસોચ્છવાસ રૂપતાનું કથન ગ્રહણ કરાયું છે. તથા જે “બાહ્ય બાજંતિ બાહ્ય ઉફૅવનિત્ત” એ રીતે આહાર અને ઉચ્છવાસમાં જે કદાચિતતા પ્રગટ કરી છે તેનું કારણ એવું છે કે મહાશરીરવાળાં અસુરકુમારો કરતાં અલપ શરીરવાળા અસુરકુમારના આહાર અને ઉચ્છવાસમાં વધારે પ્રમાણમાં આંતરો (અંતરાલતા) પડે છે. કારણ આ બહતર અંતરાલમાં તેઓ આહાર અને ઉચ્છવાસ લેતા નથી, ત્યાર બાદ લે છે. આ પ્રકારની વિવક્ષાન સભાવમાં મહાશરીરવાળા અસરકુમારોમાં પણ તે અન્તરાલ છે, પણ ત્યાં તે ઘણું જ સૂફમ છે તેથી વિવક્ષિત થયું નથી. તે કારણે “મા” એવું કહેવામાં આવ્યું છે. આ રીતે મહાશરીરવાળા અસુરકુમારોના આહાર અને ઉચ્છવાસમાં થોડું અંતર છે અને અલ્પશરીરવાળા અસુરકુમારોના આહાર અને ઉચ્છવાસમાં ઘણું મોટું અંતર છે, એ વાત સિદ્ધ થાય છે. જેમકે સૌધર્મ દેવકના દેવેનું શરીર સાત હાથપ્રમાણ હોય છે. આ રીતે તેઓ મહાશરીવાળા હોવાથી તેમના આહારનો આંતરો બે હજાર વર્ષનો કહ્યો છે, અને તેમને ઉચ્છવાસ બે પક્ષને આંતરે લેવાય છે એમ કહ્યું છે. અનુત્તર વિમાનવાસી દેવાનું શરીર એક હાથપ્રમાણ હોય છે. તે રીતે તેઓ અપશરીરવાળા હોવાથી તેત્રીસ ૩૩ હજાર વર્ષને આંતરે આહાર ગ્રહણ કરે છે અને તેત્રીસ ૩૩ પક્ષને આંતરે ઉચ્છવાસ લે છે, એમ કહ્યું છે. એવી જ રીતે આ અસુરકુમાર દેવે અભીષ્ણ આહાર અને ઉચ્છવાસ ગ્રહણ કરે છે, તે કથનથી તેમને અ૫સ્થિતિવાળા દર્શાવ્યા છે અને તેમનાથી ભિન્નને વૈમાનિક દેવની માફક તેમનાથી ઉલટી સ્થિતિવાળા મહાસ્થિતિવાળા દર્શાવ્યા છે એમ જણાય છે. અથવા પર્યાપ્તાવસ્થામાં મહાશરીરવાળા અસુરકુમાર દે માહારની અપેક્ષાએ અભણ-નિરંતર આહાર કરે છે, તથા યક્ત (કહ્યા પ્રમાણે) પ્રમાણુથી થવા છતાં પણ તેમને ઉચ્છવાસ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧પ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy