SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંતર, અવિશુદ્ધ વર્ણતર અને અવિશુદ્ધ લેશ્યવાળા હોય છે, ( પ્રોTavoriારા) અને જે અસુકુમારે પશ્ચાદુપપન્નક-પાછળથી ઉત્પન્ન થયેલા હોય છે તેઓ પ્રશસ્ત હોય છે. (હે તવ જીવું લાવ થયિ કુમાજ) બાકીનું બધું નારક પ્રમાણે જ સમજવું. સ્વનિતકુમાર સુધીના દેવામાં આ પ્રમાણે જ સમજવું. ટીકાર્થનાનકજીના આહાર, શરીર, શ્વાસ આદિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અસુરકુમારોના આહાર, શરીર, શ્વાસ આદિનું નિરૂપણ કરવાને માટે “અહુમારા ઈત્યાદિ સૂત્રે કહે છે. આ સૂત્રમાં નારક પ્રકરણમાં પૂછ્યા પ્રમાણેના નવ પ્રશ્નો પૂછુયા છે અને તેમના ઉત્તર દીધા છે. પહેલે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારને આહાર શું એક સરખો હોય છે ? બીજો પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું એક સરખાં શરીરવાળા હોય છે? ત્રીજો પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા હોય છે? ચોથે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન કર્મવાળા હોય છે? પાંચમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન વર્ણવાળા હોય છે? છો પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન લેશ્યાવાળા હોય છે? સાતમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન વેદનાવાળા હોય છે? આઠમો પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન કિયાવાળા હોય છે અને નવમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન આયુષ્યવાળા અને સમાપપન્નક હોય છે? આ પ્રશ્નોનું સમાધાન કરવાને માટે સૂત્રકારે કહ્યું છે.“ને યા તા માળિયા ” એટલે કે નારક જી પ્રમાણે જ અસુરકુમારના આહાર, શરીર, ઉચ્છવાસ આદિનું વર્ણન સમજવું, જે વર્ણન નારક પ્રકરણમાં આપેલું છે. તેમાં આ પ્રમાણે વિશેષતા છે–ભવધારણીય શરીરની અપેક્ષાએ અસુરકુમારનાં શરીરનું અ૫ત્વ જઘન્ય (ઓછામાં ઓછું) અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે અને તેમનું મહત્વ ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે સાત હાથ પ્રમાણ છે તથા ઉત્તરવૈકિયની અપેક્ષાએ અસુરકુમારેનાં શરીરનું અ૫ત્વ ઓછામાં ઓછું અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ અને તેમનાં શરીરનું મહત્ત્વ વધારેમાં વધારે એક લાખ જન પ્રમાણ છે. આહારના વિષયમાં એવું છે કે મહાશરીરવાળા અસુરકુમારે બહુતર પુદ્ગલોને આહાર કરે છે અને તે બહુતર પગલે આહાર તેમના મને ભક્ષણરૂપ આહારની અપેક્ષાએ સમજવું જોઈએ. દેવેમાં મુખ્યત્વે એ પ્રકારને આહાર થાય છે. શાસ્ત્રમાં પણ પ્રધાનતા (મુખ્યતા)ની અપેક્ષાઆ જ વસ્તુઓને નિર્દેશ કરવામાં આવ્યા છે. મહાશરીરવાળાં નારક જેમ અલ્પશરીરવાળાં નારકે કરતાં વધારે પુગલેને આહાર લે છે તેમ મહાશરીરવાળા અસુરકુમારે અલ્પશરીરવાળા અસુરકુમાર કરતાં વધારે પદગલને આહારરૂપે ગ્રહણ કરે છે. નારક સૂત્રમાં “ગમી ગાનિત, કમી કૃત્તિ ” એવું કહ્યું છે. અસુરકુમારે એક ઉપવાસને આંતરે આહાર લે છે અને સાત સ્ટેક આદિને આંતરે શ્વાસોચ્છવાસ લે છે તેની અપેક્ષાઓ આહાર અને ઉચ્છવાસના વિષયમાં “સમીક્ષ્ય ” એવું પ્રતિપાદિત થયું છે શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧પ૦
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy