SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ ભેગવવા પડે છે. આ પ્રકારનું માનસિક દુઃખ તેઓ અનુભવ્યા કરે છે. તેથી તેમને મહાવેદનાવાળાં કહ્યાં છે. તથાતથ જે તે જિમ્યા તે વહુ બqવેચાતાજે અસંગ્નિભૂત-મિથ્યાદ્રષ્ટિ નારક હોય છે તેઓ અપવેદનાવાળાં હોય છે. કારણ કે દુઃખના અનુભવ કરવા છતાં પણ તેઓ એવું સમજતા નથી કે આ દુઃખ અમારાં જ કર્મોનું ફળ છે. તેથી તેમને પશ્ચાત્તાપ માનસિક સંતાપ થતું નથી. આ રીતે પશ્ચાત્તાપથી રહિત હોવાને કારણે તેમને અલ્પવેદનાવાળાં કહ્યાં છે. અથવા સંજ્ઞી એટલે સંક્ષીપંચેન્દ્રિય જીવ. સંજ્ઞીપંચેન્દ્રિયની નિમાંથી નારકત્વ પામેલા જીવોને સંસીભૂત નારકો કહે છે. એવાં સંજ્ઞીભૂત નારક જીવોએ પહેલાં સંજ્ઞીપંચેન્દ્રિય નિમાં તીવ્રતર અશુભ અધ્યવસાયના કારણે અશુભતર કર્મને બંધ બાં હોય છે. તે કારણે તેઓ મહાનરકમાં ઉત્પન્ન થયા હોય છે, અને ત્યાં મહાવેદનાઓ ભેગવતા હોય છે. અસંગ્નિભૂત એવાં હોતાં નથી. કારણ કે તેઓ પહેલાં અસંશી હતા. અને તે અવસ્થામાંથી મરીને તેઓ નરક એનિમાં ગયા હોય છે. તેમણે સંસી હોવાને કારણે આગલી પેનિમાં તીવ્રતર અશુભ અધ્યવસાયને અભાવે અલ્પ અશુભ કર્મને બંધ બાંધ્યો હોય છે અને તે કારણે અલપ વેદનાવાળી રત્નપ્રભા નરકમાં તેમની ઉત્પત્તિ સંભવિત છે. તેથી તેઓ અલ્પવેદનાવાળાં હોય છે. અથવા સંક્સિભૂત એટલે પર્યાપ્તક-શરીરાદિ સમસ્ત પર્યાપ્તિ જેમની પૂર્ણ થઈ ગઈ હોય એવાં જીવો અને અસંગ્નિભૂત એટલે અપર્યાપ્તક જીવો. સંશીભૂત નારક જીવો મહાદનાવાળાં હોય છે, કારણ કે પર્યાપ્તક અવસ્થામાં અનુભૂતિ થાય છે. જે અપર્યાપ્તક હોય છે તેઓ અલ્પવેદનાવાળાં હોય છે, કારણ કે પર્યાપ્તિથી શૂન્ય હોવાને કારણે તેમને સ્કુટ અનુભૂતિ થવી સંભવિત હોતી નથી, કારણ કે પર્યાપ્તિ જ જીવને દુઃખના અનુભવનું કારણ હોય છે. આ કારણે અસંજ્ઞિભૂત નારક જીવોને અ૫વેદનાવાળાં કહ્યાં છે. ફિયાસૂત્રમાં જે એમ કહેવામાં આવ્યું છે કે સમસ્ત નારકજીવો એક સરખી ક્રિયાવાળાં હોતાં નથી, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે-આરશ્મિકી આદિ જે પાંચ કિયાઓ કર્મબન્ધના કારણરૂપ હોય છે તે યિાએ તે નારકમાં એક સરખી હોતી નથી. કારણ કે તે નારક જીવોમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમ્યક્ મિથ્યાષ્ટિ, એ ત્રણ પ્રકારના નારકજ હોય છે. “તબ્ધ બંને તે સદ્દિદી તેાિળ ચત્તાર ઉરિયામો gumત્તાગો’ તેમાંના જે સમ્યગ્દષ્ટિ નારક જ હોય છે તેમને ચાર કિયાઓ હોય છે-(૧) આરંભિકી, (૨) પારિગ્રહિકી, (૩) માયા પ્રત્યયા, અને (૪) અપ્રત્યાખ્યાન કિયા. મિથ્યાદૃષ્ટિ નારકને તથા સમ્યફ મિથ્યાષ્ટિ નારક જીવોને શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૪૭
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy