SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મેટાં હોય છે એવાં નારક જીવો અને (૨) નાનાં શરીરવાળાં નારક જીવો. અહીં શરીરનું મેટાપણું અને નાનાપણું, એ બને આપેક્ષિક છે. તેમાંનું અલ્પપણું જઘન્ય અવગાહની અપેક્ષા છે. નારક જીવોની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ મહત્વ-મોટાપણું છે. નારક જીવની ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અવગાહના પ૦૦ (પાંચ સો) ધનુષપ્રમાણ હોય છે. આ બન્ને પ્રકારના પરિણામે ભવધારણીય શરીરની અપેક્ષાએ સમજવા જોઈએ. ઉત્તર વેકિય શરીરની અપેક્ષાએ જઘન્ય (ઓછામાં ઓછું) અ૫ત્વ અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સમજવું, અને મહત્ત્વ (મેટાપણું) એક હજાર ધનુષ પ્રમાણુ સમજવું. મરણ સુધી સાથે રહેનારૂં જે શરીર તેને ભવધારણીય શરીર કહે છે. અને ઈચ્છા પૂર્વક શરીરને નાનું મેટું કરવું તે ઉત્તરક્રિય શબ્દને અર્થ છે. અહીં શરીરના અલ્પત્વ અને મહત્વની જે વાત કરવામાં આવી છે એ વાત દ્વારા “ નારક છે સમાન શરીરવાળાં હોય છે કે નહીં” એ પ્રશ્નને ઉત્તર આપવામાં આવ્યું છે. શંકા : સૂત્રમાં સૌથી પહેલે આહાર વિષેને પ્રશ્ન મૂકે છે. અને અહીં જવાબમાં શરીરનું અલ્પત્વ મહત્ત્વ પહેલાં બતાવવામાં આવ્યું છે. આહારના વિષયમાં જે પહેલે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે તેને ઉત્તર પાછળ આપવામાં આવે છે, આગળ આપવામાં આવ્યું નથી. તો આ પ્રમાણે ઉલટ કમ શા માટે લેવામાં આવ્યો છે? ઉત્તર : પહેલાં શરીરની વિષમતાનું કથન કરીને ત્યાર બાદ આહાર વિશેના પ્રશ્નનો ઉત્તર આપવાનું કારણ એ છે કે જ્યાં સુધી શરીરની વિષમતા બતાવવામાં ન આવે ત્યાં સુધી આહારની તથા શ્વાસQશ્વાસની વિષમતા સરળતાથી સમજી શકાય નહીં. એ વિષમતા સરળતાપૂર્વક સમજી શકાય તે હેતુથી એવું કર્યું છે. તેથી પહેલાં શરીર વિષયક પ્રશ્નનો ઉત્તર દે એ વાત યુક્તિયુક્ત જ લાગે છે. આહાર અને શ્વાચ્છવાસના વિષયમાં ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછી તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે “મેટાં શરીરવાળાં નારકે અલ્પ શરીરવાળાં નારકે કરતાં “વહુરાણ વોઢે ગણાતિ ” બહુસંખ્યક પુદ્ગલેને આહારરૂપે ગ્રહણ કરે છે. તેઓ મહાશરીરવાળાં હેવાથી એવું બને છે. લેકમાં પણ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જેમનું શરીર મોટું હોય છે તેઓ “મgશી” વધારે ભેજન કરનારા હોય છે અને જેમનું શરીર નાનું હોય છે તેઓ “શી ” ઓછું ખાનારા હોય છે. જેમકે હાથી અને સસલું. આ કથન બાહુલ્યની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. નહીં તે એવું પણ બને છે કે જે મહાકાય હોય છે તે ઓછું ખાનાર હોય છે અને જે અલ્પકાય હોય છે તે વધારે ખાનાર હોય છે. ઉદાહરણ રૂપે એ પ્રકારના માણસ બતાવી શકાય છે. પણ અહીં જે આહારવિષયક કથન છે તે બાહુલ્યની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ જાડા શરીરવાળો માણસ ડે આહાર લે છે અને નાના શરીરવાળે માણસ વધારે આહાર લે છે, એવું પણ જોવા મળે છે. તેથી શરીરના મેટાપણું કે અલ્પપણને આહારની અધિકતા કે ન્યૂનતાના કારણરૂપ કે નિયમ રૂપે ગણું, શકાય નહીં, પણ મેટે ભાગે એવું જ બને છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૪૦
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy