SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીનું નારકજીવો પ્રમાણે જ. તથા-કીન્દ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય તિર્યામાં નારકે સાથે સમાનતા, ક્રિયાભેદ, તિર્યચ, સંયતાસંયત અને અસંયત છે. એવું કથન મનુષ્ય નરયિકે જેવાં છે, આહારભેદ અને કિયા ભેદનું કથન. વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક અસુરકુમાર જેવાં છે. તિષ્ક વૈમાનિકમાં વેદના ભેદ. શ્યાયુક્ત નરયિક આદિ ચોવીસ દંડકમાં પ્રથમની જેમ વિચાર તુલ્યતા અને વિશેષતાનું કથન. એ પૂર્વોક્ત વિષયોને આ શતકના બીજા ઉદ્દેશકમાં સંગ્રહ થયા છે. લેશ્યા કેટલી? પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી. કેટલા પ્રકારનો સંસાર-સંસ્થાના કાળ? તેના ચાર ભેદ. નિરયિક સંસાર સંસ્થાન કાળ કેટલા પ્રકારનો છે? ત્રણ પ્રકારનો છે. શૂન્ય, અશૂન્ય અને મિશ્રકાળ. તિર્યકુ સંસાર સંસ્થાન કાળ કેટલા પ્રકારનો છે? અશુન્ય અને મિશ્રના ભેદથી બે પ્રકારનો દેવ મનુષ્ય નરયિક જેવાં છે. નરયિક જીવોના કાળને અ૫ બહુવની દૃષ્ટિએ વિચાર, સર્વ જીવોના કાળનો અ૯૫મહત્વની અપેક્ષાએ વિચાર. જીવ અન્તિમ ક્રિયા દ્વારા કર્મનો નાશ કરે છે કે નહીં ? નાશ કરે છે અને નથી પણ કરતો. પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અખંડિત સંયમી, ખંડિત સંયમી. આખતિ સંયમસંયમી, ખંડિત સંયમસંયમી, અસંસી, તાપસ, કાપદક. ચરક પરિવ્રાજક, કિલ્પિષક, તિર્યંચ, આજીવિક, આભિયોગિક, વેષધર, અને સમ્યકત્વ રહિત. એ કયા દેવલેકમાં જાય છે તેનું ક્રમશઃ કથન. અસંસીનાં આયુષ્યના કેટલા ભેદ છે? એવો પ્રશ્ન અને ચાર ભેદ છે એવો ઉત્તર. અસંસી જીવ કેટલા પ્રકારનું આયુ બાંધે છે? એવો પ્રશ્ન અને ચારે પ્રકારનું આચ બાંધે છે એવો ઉત્તર ચારે પ્રકારના આયુનો જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચાર–એટલે કે અલ્પ બહત્વનો વિચાર. ઉદ્દેશકની સમાપ્તિ. ગૌતમનો વિહાર આ સમસ્ત વિષયનું સંક્ષેપમાં આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશકનું નિરૂપણ થઈ ગયું. હવે કમપ્રાસ બીજા ઉદ્દેશકનું નિરૂપણ શરૂ થાય છે, “ના અતં વિદ્યાર્” આ નિયમાનુસાર પ્રથમ અને દ્વિતીય ઉદ્દેશકનો સંબંધ આ પ્રમાણે છે–પહેલા ઉદ્દેશકમાં ચલનાદિ ધર્મ વિશિષ્ટ કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અને આ બીજા ઉદ્દેશકમાં પણ એજ કર્મનું નિરૂપણ કરવામાં આવશે. આ રીતે બને જગ્યાએ એક કર્મનું નિરૂપણું હેવાથી એક કાર્યકારિત્વરૂપ સંબંધ છે એ સમજાવ્યું છે. કારણ કે, પ્રથમ ઉદ્દેશકનું જે કાર્ય છે એજ કાર્યનું દ્વિતીય ઉદ્દેશકમાં પણ નિરૂપણ કરાઈ રહ્યું છે આ રીતે તે બનેમાં એક કાર્યકારિત્વરૂપ સંબંધ ઘટાવી શકાય છે. અહીં શતકની શરુઆતમાં કહેલી “ચાદું વળતુવ” ફૂલ્યાણિ આ ઉદ્દેશકાર્થ સંગ્રહ ગાથામાં જે દ્વિતીય દ્વાર દુઃખરૂપ કહેવામાં આવ્યું છે, શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૩૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy