SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સહન કરવા પડે છે તેને અકામતૃષા કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, નિર્જરા કરવાની અભિલાષા વિના કેવળ જળ પ્રાપ્તિના અભાવ આદિ કારણેને લીધે જે પિપાસા પરીષહને સહન કરવામાં આવે છે તેને અકામતૃષ્ણા કહે છે) અકામ ક્ષધાથી, ( નિર્જરા કરવાની ઈચ્છા વિના જે ક્ષધા પરીષહને સહન કરવામાં આવે છે એટલે કે ભજન ન મળવાને કારણે જે સુધાજન્ય એને સહન કરવામાં આવે છે તેનું નામ અકામક્ષુધા છે.) અકામ બ્રહ્મચર્ય વાસથી, (સ્ત્રી આદિની પ્રાપ્તિ ન થવાથી બ્રહ્મચર્યનું સેવન કરવાથી અથવા “ હું બ્રહ્મચર્યનું પાલન કરું. તેથી મારા કર્મોની નિર્જરા થશે.” એ પ્રકારની ભાવના રાખ્યા વિના કેવલ વિષય સેવનના સાધનરૂપ સ્ત્રી આદિની પ્રાપ્તિ ન થવાને કારણે બ્રહ્મચર્યમાં રહેવું–રહેવાની અભિલાષા તો નથી પણ સાધનોના અભાવે રહેવું પડે છે તેનું નામ અકામબ્રહ્મચર્યાવાસ છે,) (અકામતૃષા, અકામક્ષુધા અને હવે પછી આવતાં પદમાં પણ એજ પ્રમાણે સમજવું) અકામ શીતથી, (નિર્જરા કરવાની ઈચ્છા વિના હેમન્ત ઋતુની ઠંડી સહન કરવાથી–જે કે ઠંડી સહન કરવાની ઈચ્છા નથી પણ ઠંડીનું નિવારણ કરવાના સાધનોને અભાવે ઠંડીને સહન કરવી તેનું નામ અકામશીત છે,) અકામ આપ સહન કરવાથી, અકામ દશમશક જન્ય દુઃખ સહન કરવાથી (મચ્છર આદિ જંતુઓના દંશરૂપ પરીષહને સહન કરવાથી) અકામ અસ્નાન જન્ય સંતાપ સહન કરવાથી, સ્વેદજન્ય, જલ્લજન્ય, મલજન્ય, અને પંકજન્ય સંતાપોને અનિચ્છા પૂર્વક સહન કરવાથી, આમ ઉપરોક્ત પ્રકારે જે જીવ પોતાના આત્માને થોડા સમય સુધી કે વધારે સમય સુધી પીડિત કરે છે તેઓ (વાઢમાણે) મૃત્યુના સમયે “વાર્ટ વિવામરીને “અન્ન ” કઈ એક “વાળમંતરેરેવો” વાનવ્યન્તના દેવલેકમાં “રેવત્તા” દેવરૂપે “વવત્તા” ઉત્પન્ન થાય છે. અહીં “ પૂરું થવા મુઝતાં વા” માં જે બે વ” પદ આવ્યાં છે તે દેવત્ર સંબંધી સમત્વના અભિધાયક છે. તેના દ્વારા એવું સમજવું કે સામાન્ય રીતે દેવ પદની પ્રાપ્તિ જીવને બને અવસ્થામાં થાય છે, પણ જે અલ્પકાલિક અકામ નિર્જરા કરનાર જ હોય છે તેમને જે દેવપદની પ્રાપ્તિ થાય છે તે સામાન્યરૂપે થાય છે, અલ્પકાલિક હોય છે અને તે વિશેષ સુખસમૃદ્ધિથી રહિત હોય છે. અને જે છે બકાલ સુધી અકામ નિર્જરા કરનારા હોય છે તેમને જે દેવપદ પ્રાપ્ત થાય છે તે વિશિષ્ટ પ્રકારનું હોય છે. એ કારણે અહીં એવું કહેવામાં આવ્યું છે કે એ અસયત આદિ વિશેષણોથી યુક્ત જેમાંના કેટલાક જીવે અહીંથી મરીને દેવ થાય છે અને કેટલાક જ દેવ થતા નથી કે સૂટ ૨૯ . શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy