SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીએ પૂછો છે. તેના જવાબમાં ભગવાને કહ્યું છે-“હે ગૌતમ અહીંથી મરીને કોઈ એક જીવ પરભવમાં દેવ બને છે અને કોઈ એક જીવ દેવ બનતો નથી.” ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભદન્ત ! “nિi” શા કારણે આપ એવું કહે છે કે “ફો ગુનો” અહીંથી મરીને કોઈ એક જીવ પરભવમાં દેવ થાય છે અને કઈ એક જીવ પરભવમાં દેવ થતો નથી? તે પ્રશ્નનો ભગવાને એ ઉત્તર આપે છે કે હે ગૌતમ ! પ્રત્યક્ષ દેખાતા મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિર્યંચ છે કે જે ગ્રામમાં, (કાંટા આદિથી ઘેરાયેલા સ્થાનરૂપ ગામમાં) આકરમાં, ( સુવર્ણ આદિ ધાતુઓની ઉત્પત્તિવાળા સ્થાનરૂપ આકારમાં) અઢાર પ્રકારના કરથી રહિત નગરમાં, વધારે પ્રમાણે વણિકજનોના નિવાસવાળા નિગમમાં, અથવા-જ્યાં શેઠીયાઓની મુખ્ય વસ્તી છે એવા સ્થાન રૂપ નિગમમાં, રાજધાનીમાં, (રાજા પિતે જ્યાં રહેતા હોય તે નગરમાં) ખેટમાં (માટીના કિલ્લાથી ચારે તરફ ઘેરાયેલા સ્થાનરૂપ બેટમાં) કર્બટમાં, (ખરાબ નગરમાં) મડંબમાં, ( ચારે તરફ અઢી કેશના વિસ્તારમાં વસ્તી વિનાના સ્થાનમાં) દ્રોણમુખમાં (જળમાર્ગ અને સ્થળમાર્ગ વાળા સ્થાનમાં) પત્તનમાં, (જ્યાં અનેક દેશોમાંથી આવેલી વસ્તુઓ વેચાતી હોય તે સ્થાનમાં) (પત્તનના બે ભેદ છે-જળપત્તન અને સ્થળ પત્તન. જ્યાં નૌકાઓ દ્વારા જઈ શકાય છે તે જળપત્તન અને જ્યાં ગાડી આદિથી જવાય છે તેને સ્થળ પત્તન કહે છે–અથવા ગાડાં આદિ દ્વારા કે નૌકા દ્વારા જ્યાં જઈ શકાય છે તે સ્થળને પત્તન કહે છે અને જ્યાં ફક્ત નૌકાઓ દ્વારા જ જવાય છે તે સ્થળને પટ્ટણ કહે છે, કહ્યું પણ છે કે જ્યાં ગાડી દ્વારા, ઘોડા દ્વારા અને નૌકાઓ દ્વારા અવર જવર થાય છે તેને “પત્તન” કહે છે અને જ્યાં ફકત નૌકાઓ દ્વારા જ અવર જવર થાય છે તેને “પટ્ટણ” કહે છે) આશ્રમમાં ( પહેલાં તાપસ વડે વસાયેલું અને ત્યાર બાદ બીજા લોકો પણ ત્યાં વસ્યા હોય એવું સ્થાન ) સંવાહમાં, (ધાન્ય રક્ષાને માટે ખેડૂતો દ્વારા બનાવાયેલું દુર્ગમ ભૂમિસ્થાન કે જે પર્વતના શિખર પર હોય છે. અને જેમાં મનુષ્ય રહેતાં હોય છે તે સ્થાનને સંવાહ કહે છે.) (અથવા-જ્યાં ઘણું પથિકે આવીને થોભતા હોય તેવા સ્થાનમાં) અને સન્નિવેશમાં (જ્યાં આવીને સાર્થવાહ આદિ વસ્યા હોય એવા સ્થાનમાં) અકામ તૃષ્ણથી (નિર્જરા કરવાની ભાવનાથી રહિત જીવોની પ્યાસને સહન કરવાની જે કિયા તેને અકામતૃષ્ણ કહે છે. અહીં “કામ” શબ્દનો અર્થ નિર્જરા કરવાની અભિલાષા થાય છે. તે અભિલાષાથી રહિત વ્યકિતઓની જે તૃષ્ણા–તૃષા–પ્યાસ પરીષહ હોય છે તેને અકામતૃષા–તૃષ્ણ કહે છે. અથવા નિર્જરા કરવાની ભાવના વિના જ અનિચ્છાએ જે પિપાસા-પિપાસા પરીસહને શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy