SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેથી સંવૃત અણગાર અને અસંવૃત અણગાર, એ બનેમાં ફળ પ્રાપ્તિની અપેક્ષાએ ભેદનો અભાવ હોવાને કારણે અભેદ જ હોય છે? ઉત્તર–એવું કહેવું જોઈએ નહીં. તેને ભાવ નહીં સમજવાને કારણે આ પ્રકારની શંકા તમે કરી છે. જે અચરમશરીરી સંવૃત અણગાર હોય છે તેમને પણ ક્યારેક મુક્તિની પ્રાપ્તિ થશે. અને જે અસંવૃત અણગાર છે તેમને પણ ક્યારેક તે મુક્તિ પ્રાપ્ત થશે–આ દષ્ટિએ વિચાર કરતાં બંને પરંપરારૂપે મૂર્તિ પ્રાપ્ત કરશે એ સિદ્ધ થાય છે. અને તે કારણે જ બંનેમાં પારંપર્યની સમાનતા જણાય છે. છતાં પણ અચરમશરીરી સંવૃત અણગાર અને અસંવૃત અણગારની પરંપરામાં જે અન્તર છે તે આ પ્રમાણે છે–સંવૃત અણગારની પરંપરા વધારેમાં વધારે સાત-આઠ ભવ પ્રમાણવાળી હોય છે. સિદ્ધાંતમાં એવું કથન છે કે “ચારિત્રની આરાધનાનું આરાધન કરીને જીવ ઓછામાં ઓછા સાત-આઠ ભવ પછી સિદ્ધ બને છે.” આ રીતે ચારિત્રનું આયકર્મ સિવાયની જે સાત કમ પ્રકૃતિને સંવૃત અણગારે પહેલાં ગાઢ બંધનથી બાંધી હતી તેમને તે શિથિલ બંધનથી બાંધવા મંડી જાય છે. ” વગેરે. “નિધનવધા” આદિ સમસ્ત પદનો અર્થ અસંવૃત અણગારના સૂત્રમાં કર્યા પ્રમાણે જ સમજવાનો છે, પણ અહીં સંવૃતઅણગારની વાત હોવાથી તે અર્થની વિરુદ્ધ અર્થ લેવાનું છે. ત્યાં તે કર્મ પ્રકૃતિ ગાઢતર બનવાની વાત આવે છે અહીં તેમને હાસ બતાવ્યું છે. તે આયુષ્કર્મનો આંધતો નથી. એવું જે કહેવામાં આવ્યું છે તે ચરમશરીરીની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તેમ સમજવું. એજ પ્રમાણે “તે અસાતવેદનીય કર્મનો વારંવાર ઉપચય કરતો નથી. ” એ કથનની બાબતમાં પણ સમજવું “ના, “આયુકર્મ સિવાયની જે સાત કમ પ્રકૃતિને સંવૃત અણગારે પહેલાં ગાઢ બંધનથી બાંધી હતી તેમને તે શિથિલ બંધનથી બાંધવા મંડી જાય છે. જે વગેરે. “ઘજિયવંધનવધા” આદિ સમસ્ત પદોનો અર્થ અસંવૃત અણગારના સત્રમાં કર્યા પ્રમાણે જ સમજવાનો છે, પણ અહીં સંવૃતઅણગારની વાત હોવાથી તે અર્થની વિરુદ્ધ અર્થ લેવાનો છે. ત્યાં તે કર્મ પ્રકૃતિ ગાઢતર બનવાની વાત આવે છે અહીં તેમનો હ્રાસ બતાવ્યું છે. તે આયુષ્કર્મનો બંધ બાંધતે નથી, એવું જે કહેવામાં આવ્યું છે તે ચરમશરીરીની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તેમ સમજવું. એજ પ્રમાણે “તે અસાતવેદનીય કર્મને વારંવાર ઉપચય કરતું નથી. ” એ કથનની બાબતમાં પણ સમજવું “ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૫
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy