SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (गोयमा ! संबुडे अणगारे आउयवज्जाओ सत्तकम्मप्पगडीओ घणिय बंधनबद्धाओ सिढिलबंधनबद्धाओ पकरेइ, दीहकालट्टिइयाओ हस्सकालट्ठिइयाओ पकरेइ, सिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ, बहुप्पएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ) હે ગૌતમ ! સંવૃત અણગારે આયુકર્મ સિવાયની જે સાત કર્મ પ્રકૃતિને પહેલાં ગાઢતર બંધનથી બાંધી હતી તે કર્મ પ્રકૃતિને તે શિથિલ બંધનવાળી કરવા લાગી જાય છે, તથા તે દીર્ઘકાળની સ્થિતિવાળી કર્મ પ્રકૃતિને અલ્પકાળવાળી કરવા માંડે છે. તીવ્રભાગવાળી કર્મપ્રકૃતિને તે મંદ અનુભાગવાળી બનાવવા માંડે છે અને બહુ પ્રદેશબંધવાળી પ્રકૃતિને તે અલ્પપ્રદેશબંધવાળી કરવા માંડે છે. (કાર્ચ ૨ નં ક્રમં 7 વંધર) તે આયુષ્કકર્મને બંધ બાંધતે નથી. (સાયાણિ = i જન્મ મુન્નો મુકનો હવનના) અસાતા વેદનીય કર્મનો તે વારંવાર સંગ્રહ કર નથી. ( િ Tવાં વીદ્ધ જાવંતરાતાજું વીવર્ડ્સ) અનાદિ અને અનંત તથા દીર્ઘકાળવાળા અને દીર્ઘમાર્ગવાળા ચાર ગતિવાળા અથવા ચાર દિશારૂપ વિભાગવાળા સંસારકાંતારને તે પાર કરે છે. (તે તેનાં જોવા ! પર્વ ગુજરુ સંહે કાળrસિક્સરૂ નાવ નં ૬) હે ગૌતમ ! ઉપરોક્ત કારણે હું એવું કહું છું કે સંવૃત અણગાર સિદ્ધ બને છે, મુકત બને છે, પરિનિગૃત થાય છે અને સમસ્ત દુઃખોને અંત કરી નાખે છે. ટીકાર્થ–સૂત્રકારે આગળના સૂત્રમાં એ વાત બતાવી છે કે અસંવૃત અણગારને સંસારમાં પરિભ્રમણ કરવારૂપ ફળની પ્રાપ્તિ થાય છે આ રીતે અસંવૃતતાનું સંસાર પરિભ્રમણુરૂપ ફળ સૂત્રકારે દર્શાવ્યું છે. તે અસંવૃતાવસ્થા કરતાં સંવૃતાવસ્થા તદ્દન ભિન્ન છે. તેથી સંવૃતાવસ્થાનું શું ફળ પ્રાપ્ત થાય છે એ વાતનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકારે “સંયુi” ઇત્યાદિ પાઠ મૂક્યો છે. તેમાં ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછયો છે કે, હે ભદન્ત! સંવૃત અણુગાર શું કરે છે? તેમના તે પ્રશ્નને ઉત્તર આ સૂત્ર દ્વારા આ છે. સંવૃત અણગાર પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત આદિ જીવ હોય છે. સંવૃત અણુગારના બે ભેદ છે-(૧) ચરમશરીર સંવૃત અણગાર અને (૨) અચરમ શરીરી સંવૃત અણગાર. તેમાના ચરમ શરીરી સંવૃત અણુગારની અપેક્ષાએ “સંવ ” સૂત્ર કહેવામાં આવ્યું છે તેમ સમજવું. તથા અચરમ શરીરી સંવૃત અણગારની અપેક્ષાએ આ સૂત્રને અર્થ પરંપરાથી છે તેમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સૂત્રને જે સાક્ષાત્ અર્થ છે તે ચરમ શરીરી અણગારની અપેક્ષાએ છે અને તેને જે પરંપરા અર્થ છે તે અચરમશરીરી અનગારની અપેક્ષાએ છે તેમ સમજવું જોઈએ. શંકા–જે અચરમશરીરી સંવૃતઅણગારને મિક્ષરૂપ ફળ પરંપરાથી પ્રાપ્ત થતું હોય તે તે ફળ અસંવૃત અણગારને પણ પ્રાપ્ત થશે. કારણ કે શુકલપાક્ષિક જે અસંવૃત અણગાર છે તેમને અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાનું કહ્યું શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૪
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy