SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ શબ્દને લાક્ષણિક અર્થ “જણ જન્ય દુઃખ છે.” તેથી પણ વધારે દુઃખવાળું આ સંસારકાંતાર છે. દેણદાર માણસને જે દુઃખ અનુભવવું પડે છે તેના કરતાં પણ વધારે દુઃખ આ સંસારમાં પરિભ્રમણ કરનારને અનુભવવું પડે છે. અથવા “અતિર” છે–અત્યંત પાપયુક્ત છે. વળી તે સંસાર કે છે તે બતાવવા સૂત્રકાર કહે છે કે-“ભગવચ” અનવદગ્ર છે. “અનવદગ્ર” એટલે અવદશ નહીં એવું. “અવયગામઠી શબ્દ છે અને તે “અન્ત ને વાચક છે એટલે તેનો અર્થ “અન્તરહિત થાય છે. અથવા “મવા ” ની સંસ્કૃત છાયા “નવ” પણ થાય છે. એ દૃષ્ટિએ વિચાર કરતાં અનવત (નિકટ), મા (અન્ત) જે-એટલે કે જેને અન્ત નિકટ હોય છે તેને “અનવતાગ્ર” કહે છે. અને જે એ નથી તેને અનવનતા કહે છે. અહીં નિષેધાર્થમાં “નગ્ન” તન્દુરુષ સમાસ થયા છે. અને “ર” વર્ણને લેપ થયો છે. જેને અન્ત નિકટ નથી એવું આ સંસારરૂપી વન છે. અથવા–આ સંસારકાંતાર “ અનવતા” છે. અનવગત એટલે અપરિછિન્ન-અજ્ઞાત, અને અગ્ર એટલે પરિમાણ. જેનું પરિમાણ અજ્ઞાત હોય છે તેને અનવગતા કહે છે. એજ કારણે આ સંસારકાંતાર દીર્ઘકાળ વાળું અને લાંબા માર્ગવાળું છે. તે ચાતુરન્ત-નરકાદિ ચાર ગતિરૂપ અથવા પૂર્વાદિ ચાર દિશારૂપ ચાર વિભાગ વાળું છે. હે ગૌતમ! પૂર્વોક્ત કારણોને લીધે હું એવું કહું છું કે અસંવૃત અણગાર અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. “નો સિક નાવ નો સરવદુસ્થાનમાં શરૂ” તે સિદ્ધ થતું નથી, બુદ્ધ થતું નથી, મુક્ત થતું નથી, પરિનિર્વત થતું નથી અને સમસ્ત દુઓને અંત કરતું નથી. સૂત્ર ૨૭ | સંવૃત અનગાર કાનિરૂપણ संवृतानगार निरूपणસંગે મંતે કારે” ઈત્યાદિ ! (संवुडे णं भंते ! अणगारे सिज्झइ, जाव सव्वदुक्खाणमंतं करेइ ?) ભદન્ત ! સંવૃત અણગાર શું સિદ્ધ બને છે? “તે શું સમસ્ત દાખનો અન્ત લાવી દે છે?” ત્યાં સુધીનું વક્તવ્ય આગળના સૂત્રોનુસાર સમજવું દૂતા શિક્ષ૬ જ્ઞાવ ત ) હા, તે સિદ્ધ પદ પામે છે, બુદ્ધ બને છે, મુક્ત થાય છે, પરિનિવૃત્ત થાય છે અને સમસ્ત દુઃખેને નાશ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૨૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy