________________
ભવની ગણના થાય છે. તેથી તદુભયભવિક જ્ઞાનને એ અર્થ કરવો જોઈએ કે જે જ્ઞાન વર્તમાન ભવમાં જીવની સાથે રહે છે અને તૃતીયાદિ ભવમાં પણ જીવની સાથે સાથે રહે છે તે જ્ઞાનને તદુભયભવિક જ્ઞાન કહે છે. આ ભવથી જુદા હેવાને કારણે પર પરતર આદિ ભને પણ પરભવરૂપે ગણવામાં આવે છે. વર્તમાન ભવમાં પ્રાપ્ત કરેલું જે જ્ઞાન પરભવમાં સાથે જતું નથી તેને એહિભાવિક જ્ઞાન કહે છે. આ ભવમાં પ્રાપ્ત કરેલું જે જ્ઞાન પછીના ભાવમાં સ્મૃતિરૂપે સાથે સાથે જાય છે તે જ્ઞાનનું નામ પારભવિક જ્ઞાન છે. અને આ ભવમાં પતિ જે જ્ઞાન પરભવમાં તથા પરતરાદિ ભામાં સાથે સાથે જાય છે તે જ્ઞાનને ઉભયભવિક જ્ઞાન કહે છે. દર્શન પણ ઐહિભવિક, પારભવિક અને ઉભયભવિક હોય છે. કારણ કે દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન ઐતિભવિક આદિ રૂપ છે તે દર્શન પણ ઐતિભવિક આદિ રૂપ હોય છે. તેથી જ સૂત્રકારે “Ë વિ શામેવએ પ્રમાણે કહ્યું છે. મોક્ષમાર્ગને અધિકાર ચાલતો હોવાથી અહીં દર્શન શબ્દ દ્વારા સમ્યકત્વ ગ્રહણ કરાયેલ છે તે દર્શન દર્શનમેહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ આદિ દ્વારા શ્રદ્ધારૂપે પષ્ટ થાય છે. તેથી જ કહ્યું છે કે- “સખ્યાનજ્ઞાનરાત્રિાળ મોક્ષમા. ” સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર, એ ત્રણેની એક્તા મોક્ષનો માગે છે. જ્યાં ફક્ત જ્ઞાન દર્શન એ બેને જ ગ્રહણ કર્યા હોય ત્યાં દર્શન શબ્દ દ્વારા સામાન્ય બેધ રૂપ જ્ઞાનને જ ગ્રહણ કરાયું છે એમ સમજવું.
ચારિત્રના વિષયમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેને જે જવાબ આપવામાં આવ્યું છે તેમાં કહ્યું છે કે ચારિત્ર વર્તમાન ભવમાં જ જીવની સાથે રહે છે. તે પારભવિક કે તદુભયભવિક હોતું નથી. અન્ય જન્મમાં ઉપાદિત અષ્ટકમેનો નાશ કરવાને માટે જે આચારિત કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે. અથવા આત્મામાંથી આઠ કર્મોને દૂર કરવાને માટે સામાયિક આદિરૂપ જે આચરણ કરાય છે તેને ચારિત્ર કહે છે. તે ચારિત્ર સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું કહ્યું છે. અથવા સર્વવિરતિ અને દેશવિરતિના ભેદથી બે પ્રકારનું પણ કહ્યું છે. તે ચારિત્ર પારભવિક કે ઉભય. ભવિક હોતું નથી કારણ કે આ ભવમાં ચારિત્રયુક્ત બનેલો જીવ પરભવમાં એ ચારિત્રથી જ ચારિત્રવાળે બનતું નથી. કારણ કે ગ્રહણ કરાયેલું ચારિત્ર જીવ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી જ તેની સાથે રહે છે. તે કારણે તેને “ચાવીવાર્તાધ” કહેલ છે. તથા ચારિત્રમાં ભલે દેશવિરતિવાળો જીવ હોય કે સર્વવિરતિવાળા જીવ હોય તેની ઉત્પત્તિ દેવામાં જ થાય છે. કારણ કે સિદ્ધાંતનું એવું વચન છે કે “અનુદામડ્યારું = ૪૬ સેવા મોત્ત” દેવેમાં વિરતિને અત્યંત અભાવ હોય છે, તેથી ત્યાં ચારિત્ર હાત જ નથી. અને મોક્ષની બાબતમાં વિચાર કરીએ તે જે ચરિત્રવાળા જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ છે તે મુક્તજીવની અપેક્ષાએ મેક્ષમાં પણ ચારિત્રને અભાવ જ હોય છે. કર્મોને ક્ષય કરવાને માટે જ ચારિત્ર ધારણ કરાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૧૮