________________
કારણ કે સિદ્ધો આરંભરહિત હોય છે. “ વાળમંતરા ના વેમifજા ” આ પ્રકારનું કથન એ કારણે કર્યું છે કે જેમ નારક જીવે અસંયત હોય છે તેમ વાનગૅતરથી લઈને વૈમાનિક સુધીના દેવ પણ અસંમત હોય છે તેથી નારક જીવોના વક્તવ્યાનુસાર જ તેમનું વક્તવ્ય બતાવ્યું છે.
પહેલાં આરંભકત્વ આદિ ધર્મો દ્વારા જે જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે જ લેશ્યાવાળાં અને લેશ્યા વિનાના પણ હોય છે. તેથી લેશ્યાયક્ત જીવનું નિરૂપણ આત્માઆરંભકત્વ આદિ ધર્મો દ્વારા કરતાં સૂત્રકાર કહે છે કે “રતા કહૃા રોહિયા” જેના દ્વારા જીવ કર્મોથી યુક્ત બને છે તેનું નામ લેશ્યા છે. એટલે કે કૃષ્ણાદિ દ્રવ્યના સચિવતારૂપ સંબંધથી જીવનું જે શુભ અને અશુભ પરિણામ થાય છે તેનું નામ લેશ્યા છે. કહ્યું પણ છે કે
કૃષ્ણાદિ દ્રવ્યના સંસર્ગથી સ્ફટિક મણિમાં જેવું પરિણમન થાય છે એવું જ પરિણમન કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી આત્મામાં થાય છે. એનું નામ જ લેશ્યા છે. કહેવાને ભાવાર્થ એ છે કે અતિ સ્વચ્છ એ સ્ફટિક મણિ જેમ નીલ, પીત આદિ દ્રવ્યના સાગથી નીલ અથવા પીત રંગને પ્રતિભાસિત થવા લાગે છે, અને તેણે પિતાની સ્વાભાવિક સ્વછતા જાણે કે છોડી દીધી હોય એવું લાગે છે, એ જ પ્રમાણે સ્વાભાવિક રીતે નિર્મળ એ જીવ પણ જેના સંબંધથી પિતાની સ્વાભાવિક નિર્મળતાને છોડીને જેના સંબંધથી તેના જેવું જ પરિણમન પામે છે. તેને લેસ્યા કહે છે. એ વેશ્યા વાળાં જીવેનું કથન સામાન્ય જીવન (નરક આદિ વિશેષણોથી રહિત સામાન્ય જના) કથન પ્રમાણે જ જાણવું એટલે કે નારક આદિ વિશેષણથી રહિત જેવાં જ સામાન્ય રીતે “નીલા f મરે! જિં આવારા, પૂરામ” આ પૂર્વોક્ત દંડક દ્વારા કહેવામાં આવ્યા છે, એવી જ રીતે લેફ્સાવાળ જીવોનું વક્તવ્ય પણ વિશેષણોથી રહિત કરીને સામાન્ય રૂપે કરવું જોઈએ. લેફ્સાવાળાં જીવોમાં અસંસાર-સમાપન્નત્વ (મુક્ત) રૂપ વિશેષણ સંભવી શકતું નથી. પણ સંસારસમાપન્નત્વ (સંસારી) અને અસંસાર સમાપન્નત્વ (મુક્ત) રૂપ વિશેષ સિવાયના સંયત, અસંયત આદિ વિશેષણે તેમને લગાડવાં જોઈએ, કારણ કે વેશ્યાવાળાં જીવોમાં પણ સંયત અસંયત આદિ વિશેષણે ઘટાવી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વેશ્યાવાળાં જીવોનું વક્તવ્ય સામાન્ય જીના વક્તવ્ય પ્રમાણે જ કરવું જોઈએ. સામાન્ય જીવોનું વક્તવ્ય કરતી વખતે જીવના સંસારી અને મુક્ત એવા બે પ્રકાર કહ્યા છે. વેશ્યાવાળા જીમાં મુક્તને ભેદ સંભવી શકતો જ નથી કારણ કે મુક્ત જીવોમાં કઈ પણ લેશ્યા હોતી નથી. આ રીતે લેશ્યાવાળાં જીવોને અસંસારસમાપન્ન (મુક્ત) વિશેષણ લાગી શકતું નથી. જે અસંસારસમાપન્નક (મુક્ત) વિશેષણની અસંભવતા હોય તે સંસારસમાપક (સંસારી) વિશેષણ પણ તેને લાગી શકે નહીં કારણ કે તે બન્ને પરસ્પર સાપેક્ષ વિશેષણ શબ્દ છે. તેથી તે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૧૫