SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પદેને જે “મી ” “પણ” લગાવ્યો છે તે ભિન્નાશયત્વ અને એકાગ્રત્વને પ્રતિપાદક છે. એટલે કે તે પદેની સાથે આવેલ “જિ” શબ્દ તે પદમાં ભિન્નાશ્રયત્ન અને એકાગ્રત્વનું પ્રતિપાદન કરે છે. અહીં કાળભેદથી એકાશ્રયતા થાય છે. તે આ રીતે છે-કાળભેદની અપેક્ષાએ એક જ જીવ કેઈ કાળે આત્મારંભી હોય છે, કઈ કાળે પરારંભી હોય છે, કેઈ કાળે ઉભયારંભી હોય છે. તેથી કઈ પણ કાળે જીવ આરંભરહિત હોતા નથી, એ રીતે તેઓ એકાશ્રયી બની રહે છે. તેમનામાં ભિન્નાશ્રયતા આ રીતે ઘટાવી શકાય છે-કેટલાક અસંયત જ આત્મારંભી હોય છે, કેટલાક અસંયત છ પરારંભી હોય છે, અને કેટલાક અસંયત જી ઉભયારંભી હોય છે, તેથી તેઓ કદી પણ આરંભ રહિત હોતા નથી. અનેક જીવોની અપેક્ષાએ આ ભિન્નાશ્રયતા છે. કેટલાક જી આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી હતા નથી પણ આરંભરહિત હોય છે એવું જે કહેવામાં આવ્યું છે તે સિદ્ધાદિ અને અનુલક્ષીને કહેલ છે. “જોળાં મરે ! ” ઈત્યાદિ જે સૂત્રપાઠ આપવામાં આવ્યો છે તે પ્રશ્નકારની એવી શંકા બતાવવા માટે મૂક્યો છે કે “ઉપાગવત્વાત્મક એક એક ધમ સર્વ જીવેમાં મોજૂદ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે. છતાં પણ કેટલાક જીવ આત્મારંભી કેટલાક જીવ પરારંભી, કેટલાક જીવ ઉભયારંભી હોય છે એ પ્રકારની વિષમતા આપ કેવી રીતે બતાવે છે ? શંકાકારની તે શંકાનું નિવારણ કરવાને માટે પ્રભુએ કહ્યું છે-“હે ગૌતમ ! જીવના આ પ્રમાણે બે પ્રકાર છે-(૧) સંસાર સમાપન્નક-(સંસારી જીવ) અને (૨) અસંસાર સમાપન્નક (મુક્ત જીવ) આ રીતે જીવ બે પ્રકારનાં છે. તેમાં સંસારથી મુક્ત (મુક્ત જીવો) સિદ્ધોને કહેવાય છે. તે જીવ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી. ઉભયારંભી હોતા નથી પણ આરંભથી રહિત હોય છે. આરંભ શરીરથી થાય છે. સિદ્ધોને શરીર હોતું નથી. તેથી તેમને અનારંભી (આરંભ રહિત) કહ્યા છે. સંસારી જી બે પ્રકારના હોય છે-(૧) સંયત અને (૨) અસંયત ગૃહસ્થજન અસંમત હોય છે અને મુનિજન સંયત હોય છે, સંયતના પણ એ કાર પડે છે-(૧) પ્રમત્ત સંયત અને (૨) અપ્રમત્ત સંયત. સાતમા ગુણસ્થાને પહોંચેલ જી અપ્રમત્ત સંયત હોય છે. તેઓ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, ઉભયારંભી હોતા નથી પણ આરંભથી રહિત હાય છે. છઠ્ઠા ગુણસ્થાનવર્તી જી પ્રમત્ત સંયત હોય છે. પ્રમત્ત સંયતેમાં પ્રમાદીપણું અને સંતરૂપતા હોય છે. તે કારણે તેમનામાં શુભ અને અશુભ યેગ સંભવી શકે છે. તેથી શુભગ-શાસ્ત્રોક્ત રીતે કિયા કરવારૂપ શુભાગની અપેક્ષાએ તેઓ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, અને ઉભયારંભી પણ હોતા નથી. તેથી તેઓ અનારંભી હોય છે. શુભગ એટલે ઉપગપૂર્વક પ્રતિલેખના કરવી, ઉભયકાળ આવશ્યક કરો, નિરવઘ ભિક્ષાથી સંયમયાત્રા નિભાવવી આદિ. - તથા અશુભયોગ (અનુપયુક્ત રૂપે પ્રત્યુપ્રેક્ષણાદિ ક્રિયા કરવારૂપ અશુભ ગ)ની અપેક્ષાએ તેઓ આત્મારંભ આદિ વાળાં હોય છે, આરંભરહિત હોતા નથી. પણ આરંભયક્ત જ હોય છે. અનુપયુક્તભાવે પ્રત્યુપ્રેક્ષણાદિ કિયા કરવાને કારણે મુનિજન દ્વારા છકાયના જીવોની વિરાધના થાય છે. કહ્યું પણ છે– પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલ મુનિજન પૃથિવીકાય, અપૂકાય, તેજકાય, શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૧૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy