________________
( तत्थणं जे ते असंजया ते अविरई पडुच्च आयारम्भा वि जाव नो अणारम्भा) જેઓ અસંમત હોય છે તેઓ અવિરતિની અપેક્ષાએ આત્મારંભી પણ છે, પરારંભી પણ છે, તદુભયારંભી પણ છે, પરંતુ અનારી નથી. (સે તેબદ્દે જોવા ! પર્વ યુ રૂચા જોવા જાવ બજારમા) હે ગૌતમ! એ કારણે હું એ પ્રમાણે કહું છું કે, કેટલાક જીવો આત્મારંભી પણ છે ત્યાંથી લઈને અનારભી પણ છે ત્યાં સુધીના કથનને ગ્રહણ કરવું.
ટીકાર્ય–નારક પ્રકરણથી લઈને વાનવ્યન્તર સુધીના પ્રકરણમાં સૂત્રકારે નારક આદિ જીના ધર્મનું જે કથન કર્યું છે તે આરંભપૂર્વક જ બને છે. એટલે કે, નારક આદિ ની ધર્મની વક્તવ્યતા જે આરંભ પૂર્વક જ થાય છે તે આરંભ તે વક્તવ્યતાનું વિશેષણ બને છે અને વક્તવ્યતા વિશેષ્ય બને. છે. તેથી અહીં આપોઆપ એ જિજ્ઞાસા ઉદ્ભવે છે કે આરંભ શું છે? એટલે કે આરંભનું સ્વરૂપ કેવું છે? એ તે એક સામાન્ય વાત છે કે, જ્યાં સુધી જીવને આરંભના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી તેને નારકાદિ છેના ધર્મની વક્તવ્યતાની સમજણ કેવી રીતે પડે? કારણ કે જે વિશિષ્ટજ્ઞાન હોય છે તે તેના વિશેષણના જ્ઞાનપૂર્વક જ થાય છે. તેથી સૂત્રકારે આરંભરૂપ વિશેષણનું કેવું સ્વરૂપ છે, તેના કેટલા ભેદ છે, ઇત્યાદિ જ્ઞાન ને પ્રાપ્ત થાય તે હેતુથી આત્મારંભ આદિ પ્રકરણનું કથન કર્યું છે. આ પ્રકરણનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે “વવા મરે! ફ્રિ માયામ” રૂત્યારિ “જીવ શું આત્મારંભી છે? ઈત્યાદિ. અહીં ગૌતમસ્વામીએ એ પ્રશ્ન પૂછે છે કે “ હે ભદન્ત ! જીવ આત્મારંભી છે? કે પરારંભી છે? ઉભયારંભી છે? કે અનારંભી છે?” પ્રભુએ તે પ્રશ્નને આ પ્રમાણે ઉત્તર આપે છે-“હે ગૌતમ! કેટલાક જ આત્મારંભી પણ છે, કેટલાક જીવે પરારંભી પણ છે, કેટલાક જી ઉભયારંભી પણું છે, પણ અનારંભી નથી. તથા કેટલાક જીવે આત્મારંભી નથી, પરારંભી નથી, ઉભયારંભી નથી, પણ અનારંભી છે.” આરંભ એટલે જીવેની વિરાધના-ઉપદ્રવ. સામાન્ય રીતે “ આસ્રવદ્વારમાં પ્રવૃત્તિ કરવી” એ તેને ભાવાર્થ થાય છે. “સારા”માં “”િ પદ અવ્યયરૂપે છે. અને તેને પ્રયોગ બહુવચન “ત્તિ”ના અર્થમાં પણ કરાય છે. અહીં તે પદ “ન્તિ”ના અર્થમાં વપરાયું છે. આત્માને જે આરંભમાં લગાડે છે અથવા આત્માદ્વારા જેઓ પોતે જ આરંભ કરે છે તેમને આત્મારંભી કહે છે. પરને જે આરંભમાં લગાડે છે–એટલે કે અન્યના દ્વારા જેઓ આરંભ કરાવે છે તેમને પરારંભી કહે છે. આત્મા અને પર એ બને દ્વારા જેઓ આરંભ કરાવે છે તેમને તદુભયારંભી કહે છે. આત્મા, પર, અને ઉભય, એ ત્રણે પ્રકારના આરંભથી જેઓ રહિત હોય છે તેમને અનાભી કહે છે. આત્મારંભઆત્મારંભી પણ છે, પરારંભ–પરારંભી પણ છે, ઉભયારંભ-ઉભયારંભી પણ છે. એ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૧૧