________________
ચલિતકર્મોની નિર્જરા થાય છે, ઈત્યાદિ સમસ્ત કથન મૈરયિકસૂત્રમાં બતાવ્યા પ્રમાણે જ “ષ્ઠિત વર્ષ નિશાન્તિ, નો અત્રિત કર્મ
નિત્ત” સુધી સમજવું. ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે વાનચત્તર આદિ દેવોની સ્થિતિ આદિનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે નાગકુમારદેવોની સ્થિતિ કરતાં વનવ્યન્તર દેવોની સ્થિતિમાં ભેદ બતાવ્યો છે, બાકીનું સમસ્ત કથન નાગકુમારે પ્રમાણે જ છે. આહારાદિનું જે કથન નાગકુમારોના પ્રકરણમાં કર્યું છે તે સમસ્ત કથન વાનવ્યન્તર દેવને પણ લાગુ પડી શકે છે, કારણ કે નાગકુમાર અને વ્યન્તર દેશમાં મોટે ભાગે સમાનઘર્મતા છે. વ્યન્તર દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નાગકુમારની જઘન્ય સ્થિતિ દસહજારવર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમ કરતાં થોડી ઓછી છે. તેઓની સ્થિતિમાં એજ ભેદ છે. આ પ્રમાણે તેમની સ્થિતિને ભેદ બતાવીને સૂત્રકારે કહ્યું છે કે, વનવ્યન્તર દેવને ઉચ્છવાસ, આહાર આદિ નાગકુમાર દેવ જેવો જ છે. હવે સૂત્રકાર જ્યોતિષ્ક દેવની સ્થિતિ આદિ વિષયમાં “gવં ગોવિચાi ” આ સૂત્રપાઠદ્વારા સમાન વક્તવ્યતા પ્રગટ કરે છે. તેમાં તેમણે એવું નિરૂપણ કર્યું છે કે, સ્થિતિ સિવાયનું બધું-ઉચ્છવાસ, આહારાદિનાગકુમારે પ્રમાણે જ છે. તિષ્ક દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ કરતાં એક લાખ વધારે વર્ષની છે. અને જઘન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમાં ભાગની છે. “ના” શબ્દદ્વારા ઉછુવાસ આદિમાં જે ભેદ બતાવ્યા છે તે આ પ્રમાણે છે–તિષ્કના દેના શ્વાસોચ્છવાસનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ મુહર્ત પૃથકત્વનો છે–તે બન્નેના કાળમાં ભેદ નથી. બેથી શરૂ કરીને નવ સુધીની સંખ્યાનું નામ પૃથકત્વ છે. અહીં જે શ્વાસોચ્છુવાસને જઘન્યકાળ મહતું પૃથકત્વને કહ્યો છે તેમાં બે અથવા ત્રણ મુહૂર્ત લીધાં છે. અને ઉત્કૃષ્ટ કાળ મૂહર્ત પૃથકત્વને કહ્યો છે તેમાં આઠ અથવા નવ મહ લીધાં છે. તેમના આહારમાં પણ આ પ્રકારની વિશેષતા છે-જયોતિષ્કદની આહારાભિલાષાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ દિવસ પૃથકત્વને કહ્યું છે. બાકીનું સમસ્ત કથન નાગકુમારદેવે પ્રમાણે જ સમજવું. વૈમાનિકદેવોની સ્થિતિ સામાન્ય છે. અને તે પાપમથી લઈને ૩૩ સાગરેપમ સુધીની સમજવી. અહીં જે પલ્યોપમની સ્થિતિ કહી છે તે સૌધર્મ કલ્પની અપેક્ષાએ જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ સમજવી. અને જે સાગરેપમની સ્થિતિ કહી છે તે અનુત્તર વિમાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. અહીં જઘન્યની અપેક્ષાએ ઉચ્છવાસ કાળ જે મહતું પૃથકત્વને કહ્યો છે તે જઘન્ય સ્થિતિવાળા વૈમાનિક દેવને અનુલક્ષીને કહેલ છે. અને જે ૩૩ પક્ષને ઉત્કૃષ્ટ ઉવાસકાળ કહ્યો છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા–અનુત્તર વૈમાનિક દેવેની અપેક્ષાએ કહેલ છે, આભેગનિવર્તિત આહારના વિષયમાં જે દિવસ પૃથકત્વને જઘન્યકાળ અને ૩૩ હજાર વર્ષે ઉત્કૃષ્ટકાળ કહેવામાં આવ્યું છે તે ચા નિયમ પ્રમાણે કહેલ છે-જે દેવની જેટલા સાગરેપમની સ્થિતિ હોય છે એટલા પક્ષને આંતરે તેઓ ઉચ્છવાસ લે છે અને એટલા હજાર વર્ષને આંતરે તેઓ આહાર લે છે, એજ વાત “રસંગ” ઈત્યાદિ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. “રે વઢિચારૂથે ” ઈત્યાદિ સૂત્રનો અર્થ મૂળ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે જ છે. તે સૂ. ૨૩ ll
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૦૯